Skip to main content

Gujarat Weather Update: ગુજરાતમાં સતત બીજા દિવસે અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ, ધરતીપુત્રોમાં ચિંતાનો માહોલ


<p style="text-align: justify;"><strong>Gujarat Weather Update:</strong> ગુજરાત રાજ્યના હવામાન વિભાગ દ્વારા કમોસમી વરસાદની આગાહી આપવામાં આવેલ ત્યારે ગુજરાતના અનેક વિસ્તારોમાં સતત બીજા દિવસે વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. આજે રાજ્યમાં અનેક વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો છે.&nbsp;</p> <p style="text-align: justify;">તો બીજી તરફ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર મહેમદાવાદ વિસ્તારમાં બરફના કરા પડ્યા છે. મહેમદાવાદ &nbsp;વિસ્તારમાં પણ જુદા જુદા વિસ્તારોમાં છૂટો છવાયો &nbsp;વરસાદ પડ્યો છે.</p> <p style="text-align: justify;">બનાસકાંઠાના યાત્રાધામ અંબાજીમાં ધોધમાર વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદની ધમાકેદાર એન્ટ્રીથી ખેડૂતો ચિંતિત થયા છે. હવામાન વિભાગની આગાઈ વચ્ચે કમોસમી વરસાદ પડ્યો છે. કમોસમી વરસાદથી ખેડૂતોમાં પાકને &nbsp;લઈ ચિંતા વ્યાપી છે. ભર શિયાળે ધમાકેદાર કમોસમી વરસાદને લઇ અંબાજીના બજારોમાં પાણી વહેતુ થયું હતું. કડાકા ભડાકા સાથે કમોસમી વરસાદ પડ્યો હતો. અંબાજીમાં કમોસમી વરસાદ સાથે બરફનાં કરા પડ્યા હતા.</p> <p style="text-align: justify;">દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. લીમખેડા, ધાનપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં હળવો વરસાદ પડ્યો હતો. ઝાલોદ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો હતો. ધાનપુર અને મિરાખેડીમાં બરફના કરા સાથે વરસાદ પડ્યો હતો. સમગ્ર જીલ્લામાં વાદળછાયુ વાતાવરણ છવાયું હતું. ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.</p> <p style="text-align: justify;">આ ઉપરાંત વલસાડ જિલ્લાના વાતાવરણમાં પલટો આવ્યો હતો. ધરમપુરના અંતરિયાળ વિસ્તારમાં કમોસમી વરસાદ પડ્યો છે. વિલ્સન હિલ અને આસપાસના વિસ્તારમાં કમોસમી વરસાદ નોંધાયો હતો. ખેતીના પાકને નુક્સાનની ભીતિ સેવાઈ રહી છે. ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે.</p> <p style="text-align: justify;">તો બીજી તરફ ભાવનગરના વાતાવરણમાં બપોર બાદ અચાનક પલટો આવ્યો હતો. શહેરમાં છૂટા છવાયા વરસાદના છાંટા શરૂ થયા હતા. હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી આગાહીને લઈ શહેરમાં વરસાદી વાતાવરણ જોવા મળી રહ્યું છે. કમોસમી વરસાદના કારણે ખેડૂતોને શિયાળુ પાકમાં ભારે નુકસાની જવાની ભીતી સેવાઈ રહી છે.</p> <p style="text-align: justify;">બોટાદ જીલ્લાના બરવાળા, રાણપુર ગઢડા અને બોટાદમાં ગઈકાલે સાંજના સમયે વરસાદ પડ્યો હતો અનેક ગામડાઓમાં કરા સાથે વરસાદ પડેલ અને આ કમોસમી વરસાદ પડતા ખેડૂતોની ચિતામાં વધારો થયો છે .બોટાદ જીલ્લામાં રવિપાકમાં મુખ્યત્વે ચણા, જીરું અને ઘઉંનું વાવતેર કરવામાં આવ્યું છે. ખેડૂતોએ પોતાના ખેતરમાં દવા, બિયારણ,ખાતરના ખર્ચા કરી વાવેતર કર્યું પરતું પાક આવાના સમયે જે કમોસમી વરસાદ આવતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.</p> <p style="text-align: justify;">હાલ વરસાદના કારણે ખેડૂતોનો પાક મોટાભાગે નિષ્ફળ ગયો છે. વરસાદના કારણે ચણામાંથી ખાર ઉતરી ગયો છે જેના કારણે ચણા આવી શકે તેમ નથી અને જીરું બળી ગયું છે. જયારે ઘઉં આડા પડી ગયા છે જયારે હવે ખેડૂતોને પુરતો નફો મળે તેમ નથી માત્રને માત્ર હવે ખર્ચાના રૂપિયા નીકળશે તેવી આશા દેખાઈ રહી છે. ત્યારે બોટાદ જીલ્લાના ખેડૂતો દ્વારા હવે સરકાર પાસે સર્વે કરી સહાયની માંગ કરી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...