
<p>Gujarat Rain: રાજ્યમાં કેટલાક જિલ્લાઓમા છેલ્લા બે દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. અનેક નદીઓમાં પૂરની સ્થિતિ પેદા થઇ છે. આ વચ્ચે હવામાન વિભાગે આગાહી કરી છે કે રાજ્ય માટે 24 કલાક હજુ ભારે છે. 24 કલાક માટે રાજ્યના પાંચ જિલ્લામાં હવામાન વિભાગે વરસાદનું રેડ એલર્ટ જાહેર કર્યું છે તો સાત જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. તો 10 જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/pqxGv-njKfg?si=AFkuxZ4F5ZWOXC2X" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>જે જિલ્લાઓમાં 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં ખેડા,અરવલ્લી, મહીસાગર,પંચમહાલ, દાહોદનો સમાવેશ થાય છે. જે જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરાનો સમાવેશ થાય છે. તે સિવાય હવામાન વિભાગે વરસાદને લઇને જે જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કર્યું છે તેમાં કચ્છ,પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, છોટાઉદેપુર, નર્મદા, ભરુચ, સુરત, તાપીનો સમાવેશ થાય છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/N231EDyiBuQ?si=4QTyYB_PxfCcG8Vx" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>હવામાન વિભાગના મતે બંગાળની ખાડીમાં લો- પ્રેશર સક્રિય છે જેના કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે અને હજુ ત્રણ દિવસ રાજ્યમાં વરસાદ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. ત્યારે માછીમારોને પણ દરિયો ન ખેડવા હવામાન વિભાગે સૂચના આપવામાં આવી છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/wCWq7XBGOe0?si=ejLjPVxtYhO23wIS" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>બે દિવસમાં વરસેલા વરસાદથી હાઉસફુલ જળાશયોની સંખ્યામાં મોટો ઉછાળો આવ્યો છે. રાજ્યના 207 પૈકી 30 ડેમ છલોછલ થયા છે. સૌરાષ્ટ્રના 13, મધ્ય ગુજરાતના આઠ, દક્ષિણ ગુજરાતના છ તો કચ્છના બે જળાશયો સંપૂર્ણ ભરાયા હતા. </p> <p>ધોધમાર વરસાદથી રાજ્યના 135 જળાશયો હાઈએલર્ટ, એલર્ટ અને વોર્નિંગ પર છે. 87 ડેમ હાઈએલર્ટ, 26 એલર્ટ, તો 22 જળાશયો વોર્નિંગ પર છે. 71 જળાશયોમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ છે.</p> <p>ઉપરવાસમાં પાણીના ભારે આવરાથી સરદાર સરોવર ડેમની જળસપાટી વધીને પહોંચી 138.68 મીટરે પહોંચી છે. ડેમમાં હાલ સાત લાખ 15 હજાર 327 ક્યુસેક પાણીની આવક સામે સાત લાખ 14 હજાર 747 ક્યુસેક પાણીની જાવક છે. સરદાર સરોવર ડેમમાંથી સતત પાણી છોડાતા ભરૂચના ગોલ્ડન બ્રિજે નર્મદા નદીની સપાટી 40 ફુટે પહોંચતા સર્જાઈ પૂરની સ્થિતિ છે. પૂર્વ પટ્ટીના ગામોના ખેતરો અને માર્ગો પર પૂરના પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો હતો. </p>
Comments
Post a Comment