Skip to main content

Train Cancelled: રાજ્યમાં વરસાદથી આ ટ્રેનો કરાઈ રદ્દ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ


<p><strong>Gujarat Rain:</strong> રાજ્યમાં ફરી ચોમાસાએ જમાવટ કરી છે. દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને ઉપરવાસમાંથી પાણીની આવકના પગલે ટ્રેન વ્યવહારને અસર પહોંચી છે. સુરત, બરોડા, ભરૂચ, અમદાવાદ, રાજકોટ, ભાવનગર જતી ટ્રેનને અસર પહોંચી છે. 8 ટ્રેન સંપૂર્ણ રદ્દ કરવામાં આવી છે, જ્યારે વધુ બે ટ્રેન રદ્દ કરવા રેલવે વિભાગની તૈયારી છે. બાજવા-વડોદરા યાર્ડ વચ્ચે વીજ પુરવઠામાં ટેકનિકલ ભંગાણના કારણે આજની કેટલીક ટ્રેનો રદ કરવામાં આવી છે. વડોદરા ડિવિઝનના બાજવા-વડોદરા યાર્ડ વચ્ચે વીજ પુરવઠામાં ટેકનિકલ વિક્ષેપને કારણે કેટલીક ટ્રેનો રદ રહેશે, કેટલીક ટ્રેનો આંશિક રીતે રદ રહેશે.</p> <p><strong>રદ કરાયેલી ટ્રેનો</strong></p> <ol> <li>ટ્રેન નંબર 09156 &ndash; વડોદરા &ndash; સુરત મેમુ</li> <li>ટ્રેન નંબર 09152 &ndash; સુરત &ndash; વલસાડ મેમુ</li> <li>ટ્રેન નંબર 09154 &ndash; વલસાડ &ndash; ઉમરગામ મેમુ</li> <li>ટ્રેન નંબર 09153 &ndash; ઉમરગામ &ndash; વલસાડ મેમુ</li> <li>ટ્રેન નંબર 09151 &ndash; વલસાડ &ndash; સુરત મેમુ</li> <li>ટ્રેન નંબર 09155 &ndash; સુરત &ndash; વડોદરા મેમુ</li> <li>ટ્રેન નંબર 09495 &ndash; વડોદરા &ndash; અમદાવાદ મેમુ</li> <li>ટ્રેન નંબર 09496 &ndash; અમદાવાદ &ndash; વડોદરા મેમુ</li> <li>ટ્રેન નંબર 09400 &ndash; અમદાવાદ &ndash; આનંદ મેમુ</li> <li>ટ્રેન નંબર 09311 &ndash; વડોદરા &ndash; અમદાવાદ મેમુ વડોદરા &ndash; આણંદ વચ્ચે રદ રહેશે.</li> <li>ટ્રેન નંબર 09318 &ndash; આણંદ &ndash; વડોદરા મેમુ બાજવા &ndash; વડોદરા વચ્ચે રદ કરવામાં આવશે.</li> <li>ટ્રેન નંબર 09316 - અમદાવાદ - વડોદરા મેમુ આણંદ - વડોદરા વચ્ચે રદ રહેશે.</li> </ol> <p><strong>હવામાન વિભાગે આજે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી</strong></p> <p>બહુ લાંબા સમયના વિરામ બાદ છેલ્લા 2 દિવસથી ગુજરાતમાં મેઘરાજાએ ફરી રિએન્ટ્રી કરી છે. હવામાન વિભાગે 9 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી કરી છે. બંગાળમાં સર્જાયેલ એક મજબૂત સિસ્ટમના કારણે ગુજરાતના મોટાભાગના જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદની રિ-એન્ટ્રી થઇ છે. આગામી ત્રણ કલાકમાં 9 જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ અને મધ્ય ગુજરાતની સાથે સૌરાષ્ટ્રમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.&nbsp; હવામાન વિભાગે આજે 9 જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે. અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, તાપી,નર્મદા, ભરૂચ, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરી છે.</p> <p><strong><a title="30 સપ્ટેમ્બરે પૂરી થઈ રહી છે આ 5 મહત્વપૂર્ણ કામોની ડેડલાઇન, નહીં કરો તો થશે મોટું નુકસાન" href="https://ift.tt/vH42Nw3" target="_self">30 સપ્ટેમ્બરે પૂરી થઈ રહી છે આ 5 મહત્વપૂર્ણ કામોની ડેડલાઇન, નહીં કરો તો થશે મોટું નુકસાન</a></strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...