Skip to main content

Gujarat BJP: ભાજપમાં ભરતી મેળો, પાટીલે કોંગી દિગ્ગજોને પહેરાવ્યો કેસરિયો, સાથે 7 જિલ્લાના 100 સરપંચો પણ બીજેપીમાં સામેલ


<p><strong>Gandhinagar Politics News:</strong> ગુજરાતમાં ધનુર્માસ ઉતરતાની સાથે જ ફરી એકવાર ભાજપે ઓપરેશન લૉટસની શરૂઆત કરી દીધી છે. એક પછી એક કોંગ્રેસી દિગ્ગજો ભાજપમાં આવી રહ્યાં છે. આજે ફરી એકવાર મોટો ભરતી મેળો ભાજપમાં જોવા મળ્યો છે. આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય અને મોટા નેતા ચિરાગ કાલરિયાએ કેસરિયા ધારણ કર્યો છે, આ ઉપરાંત ઘનશ્યામ ગઢવી અને બળવંત સિંહ ગઢવીએ પણ ભાજપમાં વિધિવત રીતે પ્રવેશ કર્યો છે, આ તમામ નેતાઓને ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે કેસરિયો ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા છે.</p> <p>લોકસભા પહેલા ભાજપમાં ફરી એકવાર ભરતી મેળો શરૂ થઇ ગયો છે. આજે કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા ભાજપમાં જોડાયા છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલે ચિરાગ કાલરિયાને ખેસ પહેરાવીને પક્ષમાં સામેલ કર્યા છે. આ ઉપરાંત કોંગ્રેસ નેતા ઘનશ્યામભાઈ ગઢવી અને બળવંતસિંહ ગઢવીએ પણ કેસરિયો ધારણ કર્યો છે.&nbsp;</p> <p>ખાસ વાત છે કે, ભાજપમાં એક પછી એક નેતાઓ અને કાર્યકરો જોડાઇ રહ્યાં છે. આજે આ ઉપરાંત વડોદરા ડેરીના રાઉલજી કુલદીપજી ભાજપમાં જોડાયા હતા, હાલોલના રામચંદ્ર આર બારૈયા ભાજપમાં જોડાયા હતા. છોટાઉદેપુરના ગણપતસિંહ બારૈયા ભાજપમાં હતા. સરપંચ પરિષદના મહાસચિવ મુકેશ સખિયા પણ ભાજપમાં જોડાયા હતા. સૌથી મોટી વાત છે કે, આ ભરતી મેળામાં સાત જિલ્લાના 100 ગામોના સરપંચો એકસાથે ભાજપમાં જોડાયા હતા.</p> <p>કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરીયા ભાજપમાં જોડાયા છે, આ ઉપરાંત બીજા નેતા તરીકે થોડાક સમય પહેલા ભાજપમાંથી જ કોંગ્રેસમાં ગયેલા ભાજપના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ પણ ઘરવાપસી કરશે. 2017માં ચિરાગ કાલરીયા જામજોધપુર બેઠક પરથી કોંગ્રેસની ટિકીટ પરથી ચૂંટણી જીત્યા હતા, જ્યારે બાલકૃષ્ણ પટેલ 2022માં ડભોઇ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર રહ્યાં હતા.&nbsp;</p> <p>આ પ્રસંગે ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે ભાજપમાં જોડાવનારા તમામનું સ્વાગત કર્યુ હતુ. તેમને સંબોધનમાં જણાવ્યુ કે, ગામ, જિલ્લો, શહેર, રાજ્ય અને દેશના વિકાસ માટે મોદીનો સાથ છે. દેશહિત અને વિકાસની ભાવના માટે ભાજપમાં જોડાનારાને આવકાર મળ્યો છે. મહિલાઓને સ્વનિર્ભર બનાવી, સુરક્ષા આપવી તે પ્રાથમિકતા છે. મહિલાઓના અધિકારોનું રક્ષણ કરવું તે સરકારની પ્રાથમિકતા છે. મહિલાઓને 33 ટકા અનામત અપાવનારી આ મોદી સરકાર જ છે. ભ્રામક વાતો નહી પરંતુ નક્કર કામગીરી તે મોદી મંત્ર છે. તેમને વધુમાં જણાવ્યુ કે, ભાજપે આપેલા દરેક વચનો પૂરા કર્યા છે. પીએમ મોદીએ આપેલી ગેરંટી પૂરી થાય છે. પીએમ મોદીની ગેરંટી પર નાગરિકોને વિશ્વાસ છે. સમગ્ર દેશને પીએમ મોદીમાં વિશ્વાસ મુકીને આગળ વધ્યો છે. રામ મંદિરથી જાતિ અને ભાષાનો ભેદ ભૂલાયો છે. રામ મંદિરના નિર્માણથી દેશમાં એકતા વધી છે. અયોધ્યામાં ભવ્ય અને દિવ્ય રામ મંદિરનું નિર્માણ કરાવ્યું છે. દુનિયામાં શ્રેષ્ઠ મંદિરોમાં રામ મંદિરનો સમાવેશ થયો છે.&nbsp;</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...