Skip to main content

Heat Wave: આગામી પાંચ દિવસ આ વિસ્તારોમાં પડશે કાળઝાળ ગરમી, અત્યારથી જ 40 ડિગ્રીએ પહોંચ્યા પારો


<p><strong>Heat Wave Forecast In Gujarat:</strong> રાજ્યમાં ધીમે ધીમે હવે ઉનાળાની શરૂઆત થઇ રહી છે, માર્ચ મહિનો પુરો થવાની તૈયારીમાં છે, ત્યારે રાજ્યમાં હીટવેવે અસર પકડવાની શરૂ કરી છે. હવામાન વિભાગ મુજબ રાજ્યમાં આવનારા પાંચ દિવસમાં મોટાભાગના વિસ્તારોમાં બેથી ત્રણ ડિગ્રીનો વધારો નોંધાશે. હીટવેવની આગાહી કરવામાં આવી છે, ખાસ કરીને સૌરાષ્ટ્ર-કચ્છના વિસ્તારોમાં આકરો તાપ પડવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં રાજકોટમાં સૌથી વધુ ગરમી પડી રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ આવનાર દિવસોમાં અમદાવાદ રાજકોટમાં તાપમાનનો પારો 40ને પાર જઇ શકે છે. આગામી 5 દિવસ સૌરાષ્ટ્ર અને કચ્છમાં હિટ વેવની આગાહી કરવામાં આવી છે.</p> <p>માર્ચની શરૂઆતની સાથે રાજ્યમાં ધીમે ધીમે ગરમી વધી રહી છે. હવામાન વિભાગે આગામી 5 દિવસ ગરમીને લઇને આકારા તાપમાની આગાહી કરી છે. આ વખતે તાપમાનને જોતા હવામાન વિભાગે કચ્છ-સૌરાષ્ટ્રમાં પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. આજે પોરબંદર, ગીર સોમનાથ, કચ્છમાં યલો એલર્ટ અપાયુ છે. અમદાવાદમાં 40 ડિગ્રી સુધી તાપમાન પહોંચવાની શક્યતા છે. દેશના નવ રાજ્યોમાં હીટવેવની ચેતવણી અપાઇ છે. જેમાં ઝારખંડ,પ.બંગાળ,બિહાર, યુપી, છત્તીસગઢનો સમાવેશ થાય છે. આ રાજ્યોમાં પણ તાપમાન 3થી5 વધી શકે છે.</p> <p><strong>ગુજરાતમાં હાલનું તાપમાન - હીટ વેવની આગાહી</strong></p> <p>રાજકોટમાં 39.0 ડિગ્રી તાપમાન&nbsp;<br />વડોદરા 38.6 ડિગ્રી તાપમાન<br />ગાંધીનગરમાં 38.5 ડિગ્રી તાપમાન<br />અમદાવાદમાં 38.3 ડિગ્રી તાપમાન<br />વલ્લભવિદ્યાનગરમાં 37.9 ડિગ્રી તાપમાન<br />સુરેન્દ્રનગરમાં 37.8 ડિગ્રી તાપમાન<br />ભૂજમાં 37.5 ડિગ્રી તાપમાન<br />ડીસામાં 37.4 ડિગ્રી તાપમાન<br />કેશોદમાં 37.2 ડિગ્રી તાપમાન<br />મહુવામાં 36.4 ડિગ્રી તાપમાન</p> <p>સૌરાષ્ટ્ર-કચ્છમાં આગામી પાંચ દિવસ હીટવેવની આગાહી, પારો 39થી ઉપર રહેવાની સંભાવના -<br />આ વર્ષે ગરમી ભુક્કા કાઢી નાખશે, જાણો હવામાન વિભાગે શું કરી આગાહી<br />ગુજરાતીઓ ગરમીમાં શેકાવવા માટે તૈયાર થઈ જાય છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે માર્ચ મહિનાના અંત સુધી ગરમીનો પારો આસમાને પહોંચશે. માર્ચ મહિનાના અંતમાં પારો 40 ડિગ્રી સુધી પહોંચવાનું અનુમાન છે. સોરાષ્ટ્રમાં માર્ચ મહિનાના અંત સુધીમાં પારો 40 ડિગ્રી પોચશે તેવી શક્યતા છે. પવનની દિશા ઉત્તર પૂર્વ ઉત્તર ગુજરાતમાં છે. દક્ષિણ ગુજરાતમાં પૂર્વ દિશાથી પવન ફૂંકાઈ રહ્યા છે. આ દરમિયાન અમદાવાદનું તાપમાન 36.1 ડિગ્રી તાપમાન રહ્યું છે. જ્યારે નલિયા 38 ડિગ્રી તાપમાન, ગાંધીનગર 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે.</p> <p><strong>રાજ્યમાં તાપમાનનો આંકડો -&nbsp;</strong><br />અમદાવાદ 36.1 ડિગ્રી<br />ગાંધીનગર 36.0 ડિગ્રી<br />ડીસા 36.5 ડિગ્રી<br />વડોદરા 36.4 ડિગ્રી<br />અમરેલી 37.6 ડિગ્રી<br />ભાવનગર 33.6 ડિગ્રી<br />રાજકોટ 37.9 ડિગ્રી<br />સુરેન્દ્રનગર 37.3 ડિગ્રી<br />પોરબંદર 36.5 ડિગ્રી<br />ભુજ 37.4 ડિગ્રી<br />નલિયા 38.0 ડિગ્રી<br />કંડલા 36.7 ડિગ્રી<br />કેશોદ 37.2 ડિગ્રી</p> <p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, વિદર્ભ અને પૂર્વ મધ્યપ્રદેશમાં 18-21 માર્ચની વચ્ચે વાવાઝોડાં અને તેજ પવન સાથે વરસાદની સંભાવના છે. 18 અને 20 માર્ચની વચ્ચે, પશ્ચિમ બંગાળમાં ભારે પવન સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. અતિવૃષ્ટિ પણ જોવા મળી શકે છે.</p> <p>18 અને 21 માર્ચની વચ્ચે, છત્તીસગઢ, ઝારખંડ, ઓડિશા, વિદર્ભ અને પૂર્વ મધ્ય પ્રદેશમાં ગાજવીજ, વીજળી અને ઝાપટા સાથે હળવોથી મધ્યમ વરસાદ થઈ શકે છે. જ્યારે છત્તીસગઢમાં 18-19 માર્ચ વચ્ચે મધ્યપ્રદેશ અને છત્તીસગઢમાં કરા પડી શકે છે. કેરળમાં 18 માર્ચે હળવો વરસાદ પડશે.</p> <p>ઉત્તર ભારતના પર્વતીય રાજ્યોની સાથે રાષ્ટ્રીય રાજધાની દિલ્હીનું વલણ પણ બદલાવા લાગ્યું છે. બદલાતી હવામાનની પેટર્નથી સ્પષ્ટ છે કે દિલ્હી-એનસીઆરમાં ઉનાળાના દિવસો આવવાના છે. લોકોને ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી કેટલાક દિવસો દરમિયાન તાપમાનમાં ઝડપી વધારો થવાની આશંકા છે.</p> <p>ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી પાંચ દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં બે ડિગ્રી સુધીનો વધારો થવાના સંકેતો છે. જ્યારે લઘુત્તમ તાપમાનમાં ત્રણ ડિગ્રીનો વધારો થવાની સંભાવના છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાન સામાન્ય કરતા નીચું છે, પરંતુ આગામી પાંચ દિવસમાં ગરમી ઝડપથી વધવાની આશંકા છે.</p> <p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, રવિવારે રાષ્ટ્રીય રાજધાનીમાં લઘુત્તમ તાપમાન 11.9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે આ સિઝનની સરેરાશ કરતાં પાંચ ડિગ્રી સેલ્સિયસ ઓછું છે. મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું, જે સામાન્ય કરતાં એક ડિગ્રી ઓછું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રવિવારે સવારે 8:30 વાગ્યે ભેજનું પ્રમાણ 67 ટકા નોંધાયું હતું.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...