Skip to main content

Gujarat Heavy Rain: રાજ્યમાં ભારે વરસાદથી વાહનવ્યવહાર પ્રભાવિત, 636 રસ્તા બંધ


<p><strong>Gujarat Heavy Rain:</strong> ગુજરાતમાં ભારે વરસાદના કારણે અનેક બ્રીજ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે. જળબંબાકારની સ્થિતિના કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો છે. રાજ્યના કુલ 636 રસ્તાઓ પર વાહન વ્યવહાર સંપૂર્ણ બંધ છે. 22 સ્ટેટ હાઈવે, પંચાયત હસ્તકના 549 રસ્તા બંધ છે. અન્ય 37 રસ્તાઓ પર વાહન વ્યવહાર બંધ છે. ભારે વરસાદથી એસટી બસ સેવા પણ ખોરવાઈ છે.જામનગર અને આસપાસના તાલુકાઓમાં વરસી રહેલા ધોધમાર વરસાદના કારણે બેડ પાસેથી પસાર થતી નદીમાં ઘોડાપૂર આવતા જામનગર-ખંભાળીયા હાઈવે પર પાણી ફરી વળ્યા હતા. જેના કારણે માર્ગ વ્યવહાર બંધ કરવાની ફરજ પડી હતી.</p> <p><strong>ભારે વરસાદના કારણે રેલવે સેવા પણ ખોરવાઇ છે</strong></p> <p>ભારે વરસાદથી રાજ્યમાં રેલ વ્યવહાર પ્રભાવિત થયો છે. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ સેન્ટ્રલ શતાબ્દી એક્સપ્રેસ ટ્રેન રદ કરાઇ છે. મુંબઈ સેન્ટ્રલ-અમદાવાદ-મુંબઈ&nbsp; સેન્ટ્રલ તેજસ એક્સપ્રેસ ટ્રેન રદ કરવામાં આવી છે. અમદાવાદ-એક્તાનગર જનશતાબ્દી એક્સપ્રેસ રદ કરવામાં આવી છે વડોદરા-અમદાવાદ મેમુ ટ્રેન અને &nbsp;અમદાવાદ-વડોદરા મેમુ, અમદાવાદ-હાવડા, અમદાવાદ-બરૌની એક્સપ્રેસ ટ્રેન, અમદાવાદ-મુંબઈ-અમદાવાદ કર્ણાવતી એક્સપ્રેસ અને અમદાવાદ-મુંબઈ-અમદાવાદ ડબલ ડેકર એક્સપ્રેસ, વલસાડ-વડનગર એક્સપ્રેસ ટ્રેન રદ &nbsp;થઇ છે.</p> <p>જામનગર શહેરમાં&nbsp; પણ મૂશળધાર વરસાદના કારણે શહેરના અલગ અલગ વિસ્તારોમાં જળમગ્ન થઇ ગયા છે. ખંભાળીયા નાકા, નાગરપરામાં પાણી ફરી વળ્યાં છે.&nbsp; સાન ચોક વિસ્તાર, પંચેશ્વર ટાવરથી બેડીગેટ તરફનો રસ્તો પાણીમાં ગરકાવ થઇ જતાં વાહન વ્યવહાર ખોરવાયો છે. રસ્તા જળમાં મગ્ન થતાં વરસાદી પાણીમાં&nbsp; વાહનો ડૂબી ગયા હતા. ભારે વરસાદના કારણે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવી રહયાં છે.&nbsp;</p> <p><strong>રાજકોટમાં જળબંબાકાર</strong></p> <p>રાજકોટમાં સતત ત્રણ દિવસથી વરસી રહેલા ભારે વરસાદના કારણે ન્યારી-2 ડેમની જળસપાટી વધતાં 10 &nbsp;દરવાજા ખોલવામાં આવ્યા છે.&nbsp; ન્યારીના દરવાજા ખોલાતા નદીના પટના વિસ્તારમાં રહેતા લોકોને તાત્કાલિક સલામત સ્થળે ખસી જવા સૂચના આપી છે. પડધરીના નીચાણવાળા ગામમાં ગોવિંદપર, ખામટા, રામપર, તરઘડી તથા વણપરી લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.&nbsp;ઉપલેટાના મોજીરા નજીકનો મોજ ડેમ ઓવરફ્લો થતાં મોજ ડેમના 24 દરવાજા પાંચ ફુટ સુધી ખોલવામાં આવ્યાં છે.&nbsp; ડેમના દરવાતા ખોલવા ઉપલેટા સહિતના મોજીરા, ગઢાળા ગામને કરાયા એલર્ટ કરવાાં આવ્યાં છે. ખાખી જાળીયા, સેવંત્રા, નવાપરા,કેરાળા ગામને&nbsp; એલર્ટ કરવામાં આવ્યાં છે. મોજ નદીના પટમાં અવરજવર ન કરવા પ્રશાસનને સૂચના આપી છે</p> <p><br /><br />&nbsp;</p> <p>&nbsp;</p> <p><strong>&nbsp;</strong></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...