Skip to main content

Gujarat Rain: કાલથી વરસાદ ભુક્કા બોલાવશે, જાણો હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી 


<p><strong>અમદાવાદ:</strong> રાજ્યમાં ફરી એક વખત મેઘરાજા મહેરબાન થશે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ &nbsp;વધુ એક આગાહી કરવામાં આવી છે. &nbsp;રાજ્યમાં કાલથી વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;20 અને 21 ઓગસ્ટે દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. &nbsp;જ્યારે સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.&nbsp;</p> <p>હવામાન વિભાગ દ્વારા &nbsp;અમદાવાદ અને ગાંધીનગરમાં પણ હળવા વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરી છે. &nbsp;દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં 20 અને 21 ઓગસ્ટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. &nbsp;રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી મેઘરાજાએ વિરામ લીધો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા બે દિવસથી સ્વચ્છ આકાશ જોવા મળી રહ્યું છે. હાલ ગુજરાતમાં ઘણો ઓછો વરસાદ વરસી રહ્યો છે. &nbsp;હવામાન વિભાગે આગામી સાત દિવસ ગુજરાતમાં વરસાદની તીવ્રતા કેવી હશે તે અંગેની આગાહી કરી છે.</p> <p>હવામાન વિભાગ અનુસાર, કોઇ વરસાદની સિસ્ટમ સક્રીય નથી જેના કારણે ઘણો ઓછો વરસાદ વરસી રહ્યો છે. &nbsp;આવતીકાલથી 20 અને 21મી ઓગસ્ટે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. આ ઉપરાંત રાજ્યના અન્ય જિલ્લાઓમાં &nbsp;હળવાથી સામાન્ય વરસાદની &nbsp;આગાહી છે. વલસાડ, તાપી, નવસારી,ડાંગ, દમણ અને દાદરાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. &nbsp;</p> <p><strong>સૌથી વધારે વરસાદ કચ્છમાં વરસ્યો છે</strong></p> <p>ચોમાસાની સિઝનનો રાજ્યમાં અત્યાર સુધીમાં 68.19 ટકા વરસાદ વરસી ચૂક્યો છે. સૌથી વધુ કચ્છમાં 86.68 ટકા, તો સૌરાષ્ટ્રમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 78.09 ટકા વરસાદ &nbsp;વરસી ચૂક્યો છે.દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 82.24 ટકા વરસાદ વરસ્યો છે. તો ઉત્તર ગુજરાતમાં 50.98 ટકા અને મધ્ય ગુજરાતમાં ચોમાસાની સિઝનનો અત્યાર સુધીમાં 48.97 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.&nbsp;</p> <p><strong>પંજાબ હરિયાણામાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે</strong></p> <p>પંજાબ અને હરિયાણામાં આજે હવામાન સ્વચ્છ રહેશે. જો કે 20 થી 22 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. અહીં વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p><strong>પહાડી રાજ્યોમાં ભારે વરસાદની શક્યતા</strong></p> <p>પહાડી વિસ્તારોમાં પણ વરસાદને લઈને એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ઉત્તરાખંડમાં 20 થી 22 ઓગસ્ટ સુધી યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. હિમાચલ પ્રદેશમાં 20 અને 21 ઓગસ્ટે વરસાદની સંભાવના છે. આ અંગે યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p><strong>જાણો યુપી અને રાજસ્થાનની સ્થિતિ</strong></p> <p>22 ઓગસ્ટ સુધી પૂર્વ અને પશ્ચિમ રાજસ્થાનમાં હવામાન સ્વચ્છ રહેશે. પૂર્વ રાજસ્થાનમાં ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આજે પૂર્વ અને પશ્ચિમ યુપીમાં ભારે વરસાદની સંભાવના છે. આ અંગે યલો અને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવું જ હવામાન ઉત્તર પ્રદેશમાં 22 ઓગસ્ટ સુધી રહેશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...