Skip to main content

Rain: અંબાલાલની વધુ એક મોટી આગાહી, આજથી જ અહીં શરૂ થશે વરસાદી ઝાંપટા, આવતીકાલથી અહીં મેઘતાંડવ


<p><strong>Gujarat Rain:</strong> રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી મેઘરાજાએ તાંડવ મચાવવાનું શરૂ કર્યુ છે, ઉત્તરથી લઇને દક્ષિણ અને મધ્ય ગુજરાત તેમજ સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે. રાજ્યમાં વરસાદી કહેર અટકવાનુ નામ નથી લઇ રહ્યું ત્યાં હવે ગુજરાતમાં જાણીતા હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વધુ એક મોટી વરસાદી આગાહી કરી છે. અંબાલાલે જણાવ્યુ છે કે આજથી ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદી મોટા ઝાંપટા પડવાનું શરૂ થઇ જશે, કેમકે ગુજરાતમાં વધુ એક મોટી વરસાદી સિસ્ટમ સક્રિય બની છે.&nbsp;</p> <p>ગુજરાતમાં હજુ પણ મેઘતાંડવ યથાવત રહી શકે છે. આગાહીકાર અંબાલાલ પટેલે વરસાદ માટે વધુ એક મોટી આગાહી કરીને ગુજરાતવાસીઓને ચેતવ્યા છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર, આજથી જ ગુજરાતમાં ઘણાબધા ભાગોમાં વરસાદી ઝાંપટા શરૂ થઇ જશે. ખાસ કરીને સૌરાષ્ટ્રની ભિન્ન-ભિન્ન ભાગોમાં વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે. સાથે સાથે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાત અને પૂર્વ ગુજરાતના કેટલાય ભાગોમાં વરસાદી ઝાપટાં વધી શકે છે. અંબાલાલના જણાવ્યા અનુસાર, હાલની સ્થિતિમાં દરિયા કિનારે 70 થી 80 કિલોમીટરથી પવન ફૂંકાવવાની પુરેપુરી શક્યતાઓ છે, આ ડીપ્રેશન 30મી ઓગસ્ટે અરબી સમુન્દ્રમાં આવતા તોફાન બનવાની શકયતા ઉભી થઇ છે. દરિયાખેડૂઓ સાવધાન રહેવું પડશે. સમગ્ર ગુજરાતમાં ખાસ કરીને જ્યાં વરસાદી પાણી અત્યારે ઉતરી ગયું છે, ત્યાં પાકને નુકસાન પહોંચી શકે છે, રાજ્યમાં એવા ભગોમાં ઉભા કૃષિ પાકોમાં ફૂગ જન્યરોગ આવવાની પણ અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.&nbsp;</p> <p>આવતીકાલથી રાજ્યમાં વરસાદી તાંડવ શરૂ થશે. જેમાં દ્વારકા, જામનગર, પોરબંદરના કેટલાક ભાગોમાં વરસાદ પડશે, આ ઉપરાંત ઓખા, રાપર, નખત્રાણા અને ભુજના કેટલાક ભાગોમાં ભારે વરસાદની શક્યતાઓ રહેશે. હજુ પણ કચ્છમાં અને પશ્ચિમ સૌરાષ્ટ્ર બે ત્રણ દિવસ માધ્યમથી ભારે વરસાદની આગાહી છે.&nbsp;</p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p><strong><a title="Ahmedabad: અમદાવાદમાં રોગચાળો વકર્યો, સોલા સિવિલમાં ઓપીડી એક વીકમાં 10 હજારને પાર, ડેન્ગ્યૂ-સ્વાઇન ફ્લૂએ ઉથલો માર્યો" href="https://ift.tt/s50IdG1" target="_self">Ahmedabad: અમદાવાદમાં રોગચાળો વકર્યો, સોલા સિવિલમાં ઓપીડી એક વીકમાં 10 હજારને પાર, ડેન્ગ્યૂ-સ્વાઇન ફ્લૂએ ઉથલો માર્યો</a></strong></p> <p>&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...