Skip to main content

Gujarat Rain:રાજ્યના 5 જિલ્લામાં આજે ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર


<p><strong>Gujarat Rain:</strong> &nbsp;રાજ્યના પાંચ જિલ્લામાં આજે ભારે વરસાદનું હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું&nbsp; છે. &nbsp;સૌરાષ્ટ્રના બે, તો દક્ષિણ ગુજરાતના ત્રણ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર જિલ્લાના છુટાછવાયા સ્થળો પર ભારે વરસાદ વરસી શકે છે. તો દક્ષિણ ગુજરાતના નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p>સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલીના છુટાછવાયા સ્થળે પર ભારે વરસાદ વરસી શકે છે. &nbsp;તો પ્રવાસન સ્થળ દીવમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. રાજ્યમાં વાતાવરણમાં પલટો આવતા આસોમાં અષાઢી માહોલ જામ્યો છે. &nbsp;શનિવારે અમદાવાદમાં બપોરના સમયે વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે&nbsp; અલગ અલગ વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. પાલડી, ઉસ્માનપુરામાં સવા ઈંચ વરસાદ વરસ્યો હતો તો વાસણા, બોડકદેવમાં એક ઈંચથી વધુ વરસાદ વરસતા રસ્તાઓ થયા પાણી પાણી થઇ ગયા હતા. &nbsp;</p> <p>22 ઓક્ટોથી બંગાળની ખાડીમાં વધુ એક મજબુત સિસ્ટમ બનવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અનુમાન વ્યકત કર્યું છે. સિસ્ટમ ચક્રવાતમાં પરિવર્તિત થઈને ગુજરાતના અલગ અલગ જિલ્લામાં વરસાદની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી</p> <p>7 નવેમ્બરે પણ બંગાળની ખાડીમાં વધુ એક સિસ્ટમ સક્રિય થતા ગુજરાતના અલગ અલગ ભાગોમાં&nbsp; વરસાદ વરસી શકે છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે 7થી 10 નવેમ્બર વચ્ચે રાજ્યના અલગ અલગ જિલ્લામાં નુકસાનીનો વરસાદ વરસવાનું અનુમાન વ્યક્ત કર્યું છે.</p> <p>22 મી ઓક્ટોબરે પણ એ સિસ્ટમ મંગાળ ઉપસાગરમાં બની રહી છે. આ સિસ્ટમ લગભગ 22 મી ઓક્ટોબરે બંગાળ ઉપસાગરમાં આવશે અને ત્યાં આ મજબૂત સિસ્ટમ બનશે. ઉપરાંત લગભગ થાઈલેન્ડ બાજુથી આવતા અવશેષોના કારણે પણ બંગાળ ઉપસાગર સક્રિય રહેશે. જેના કારણે તારીખ 22 થી 26 માં બંગાળ ઉપસાગરમાં ભારે ચક્રવાત સર્જાઈ શકે છે. લગભગ તેની ગતિ 100 થી 120 km કે તેનાથી વધારે રહી શકે છે.પટેલે એમ પણ જણાવ્યું કે, 2025 માં હવામાનમાં મોટા ફેરફારો આવશે. આગામી વર્ષોમાં માર્ચ અને એપ્રિલ મહિનામાં ગરમી વધારે રહેશે અને ચક્રવાતોની સંખ્યામાં વધારો થશે.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...