Skip to main content

Gujarat Rain Forecast: રાજયના આ 12 જિલ્લામાં ભારે વરસાદની આગાહી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ


<p><strong>Gujarat Rain Forecast:</strong>અરબી સમુદ્રમાં સિસ્ટમ એકિટવ થતાં ગુજરાતના વાતાવરણમાં છેલ્લા સપ્તાહથી પલટો આવ્યો છે. સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. હવામાન વિભાગે હજુ પણ વરસાદની આગાહી કરી&nbsp; છે.&nbsp; હવામાન વિભાગે રાજ્યના 12 જિલ્લામાં છુટછવાયા ભારે વરસાદની આગાહી કરી છે. ભારે વરસાદની શક્યતાના પગલે રાજ્યના 12 જિલ્લામાં હવામાન વિભાગે &nbsp;&nbsp;યલો એલર્ટ જાહેર કર્યું છે. &nbsp;દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.</p> <p>હવામાન વિભાગના મોડલ મુજબ આજે મધ્ય ગુજરાતના પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના જૂનાગઢ, અમરેલી, ભાવનગર અને ગીર સોમનાથમાં પણ ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. સંઘ પ્રદેશ દાદરાનગર હવેલી અને દમણમાં પણ આજે ભારે વરસાદની આગાહીને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે .. તો પ્રવાસન સ્થળ દીવના છુટાછવાયા સ્થળો પર ગાજવીજ અને પવન સાથે વરસાદ વરસી શકે છે.</p> <p>દક્ષિણ ગુજરાતના પાંચ જિલ્લાના છુટાછવાયા સ્થળો પર આજે ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપીમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.</p> <p>જામનગરના લાલપુર શહેર અને ગ્રામ્ય પંથકમાં &nbsp;ગાજવીજ અને ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે.. ઉમિયાધઆમ સોસાયટી, ચાર થાંભલા વિસ્તાર, ગાયત્રી સોસાયટી, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં રોડ-રસ્તા પાણી પાણી થયા છે. તો ગ્રામ્ય વિસ્તારોમાં પણ નુકસાનીનો વરસાદ વરસ્યો છે. વાંકાનેરના ખીજડીયા ગામ પાસેના કોઝ વે પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ કરાયો છે. ઉપરવાસમાં સારા વરસાદને પગલે વરસાદી પાણી કોઝવે પર ફરી વળતા હાલ વાંકાનેર-રાજકોટ વચ્ચેનો વાહન વ્યવહાર ઠપ થયો છે.</p> <p>ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ આફત બન્યો છે. ભરૂચના ટંકારીયા ગામે વીજળી પડતા ત્રણના મોત અને બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. &nbsp;ટંકારીયાથી પાદરીયા તરફ જતા રોડ પર વીજળી પડવાની ઘટના બની જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા છે. &nbsp;બંન્ને ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ લઇ જવાયા છે.</p> <p>ઉપરવાસમાં ભારે વરસાદને પગલે મચ્છુ-2 ડેમના બે દરવાજા બે ફુટ ખોલી દેવાતા &nbsp;નદીમાં બે હજાર 590 ક્યુસેક પાણી છોડાયું છે. મોરબી અને માળીયા તાલુકાના નીચાણવાળા 29 ગામોને નદીકાંઠે ન જવાની અપીલ સાથે એલર્ટ &nbsp;કરવામાં આવ્યાં છે.</p> <p>અમરેલીના વડીયા પંથકમાં રવિવારે સાંજે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. વડીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા પાક નુકસાનીની ખેડૂતોને &nbsp;ચિંતા વધી છે. સુરેન્દ્રનગરના લખતર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે. &nbsp;રવિવારની સાંજે.. ગાજવીજ સાથે વરસેલા વરસાદે &nbsp;નુકસાન સર્જયું છે.&nbsp; કપાસ, મગફળી સહિતના પાકને નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.</p> <p>સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં નુકસાનીનો વરસાદ વરસ્યો છે. શહેરના રાજકમલ ચોક, જૂના શાક માર્કેટ,શક્તિ ચોક, બસ સ્ટેશન વિસ્તારમાં વરસાદે&nbsp; વિસ્તારો જળમગ્ન થયા છે. &nbsp;તો જશાપર, દુદાપુર, નવલગઢ, જેગડતા, સતાપર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે.</p> <p>રાજ્યના કુલ 207 પૈકી 133 જળાશયો સંપૂર્ણ ભરાયેલા છે. કચ્છ-સૌરાષ્ટ્રના 102, તો મધ્ય ગુજરાતના 14 જળાશયો ઓવરફ્લો થયા છે દક્ષિણ ગુજરાતના 12 તો ઉત્તર ગુજરાતના પાંચ જળાશયો &nbsp;છલોછલ થયા છે. ચોમાસાની સિઝનમાં વરસેલા વરસાદથી રાજ્યના &nbsp;185 જળાશયો.. 90 ટકાથી વધુ ભરાયેલા 162 ડેમ હાઈએલર્ટ, તો 80થી 90 ટકા ભરાયેલ 9 ડેમ એલર્ટ પર છે. ,જ્યારે 70થી 80 ટકા ભરાયેલા 14 ડેમ વોર્નિંગ પર &nbsp;છે</p> <p>&nbsp;</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...