Skip to main content

Rain Data: રાજ્યમાં 24 કલાકમાં વરસાદની ધામકેદાર બેટિંગ, દસાડા-વિસાવદરમાં 3-3 ઇંચ ખાબક્યો, જુઓ 131 તાલુકાના આંકડા


<p><strong>Rain News:</strong> રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે, નવરાત્રી બાદ હવે દિવાળીના દિવસોમાં પણ હવામાન વિભાગ અનુસાર વરસાદ વરસી શકે છે. ગઇકાલે પણ રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હતો, જેમાં સૌથી વધુ દસાડા અને વિસાવદરમાં ત્રણ-ત્રણ ઇંચ ખાબક્યો હતો, અહીં છેલ્લા 24 કલાકમાં 131 પડેલા વરસાદના આંકડા બતાવવામાં આવ્યા છે.&nbsp;</p> <p>રાજ્યમાં 24 કલાકમાં 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જ્યાં 33 તાલુકામાં 1 ઈંચથી વધુ વરસાદ ખાબક્યો છે. સૌથી વધુ દસાડા અને વિસાવદરમાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે. જ્યારે ડાંગ-આહવામાં 2.8 ઈંચ અને વઢવાણમાં 2.6 ઈંચ વરસાદ પડ્યો છે. ઉપરાંત ભુજ અને ઉમરપાડામાં 2.6 ઈંચ, બોડેલી અને વઘઈમાં 2.4 ઈંચ વરસાદ પડ્યો છે. જુઓ અહીં...</p> <p><strong>છેલ્લા 24 કલાકમાં 131 તાલુકામાં પડેલા વરસાદના આંકડા -&nbsp;</strong><br />દસાડામાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ&nbsp;<br />વિસાવદરમાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ&nbsp;<br />આહવામાં વરસ્યો ત્રણ ઈંચ વરસાદ&nbsp;<br />વઢવાણમાં વરસ્યો પોણા ત્રણ ઈંચ વરસાદ&nbsp;<br />ભૂજમાં વરસ્યો અઢી ઈંચ વરસાદ&nbsp;<br />ઉમરપાડામાં વરસ્યો અઢી ઈંચ વરસાદ&nbsp;<br />બોડેલીમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ&nbsp;<br />વઘઈમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ&nbsp;<br />ડેડિયાપાડામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ&nbsp;<br />તાલાલામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ&nbsp;<br />ગોંડલમાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ&nbsp;<br />ઝઘડીયામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ&nbsp;<br />ભાવનગરના મહુવામાં વરસ્યો સવા બે ઈંચ વરસાદ&nbsp;<br />કુતિયાણામાં વરસ્યો બે ઈંચ વરસાદ&nbsp;<br />લોધીકામાં વરસ્યો બે ઈંચ વરસાદ&nbsp;<br />લખતરમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ&nbsp;<br />જાંબુઘોડામાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ&nbsp;<br />ડભોઈમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ&nbsp;<br />અમરેલીમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ&nbsp;<br />કરજણમાં વરસ્યો પોણા બે ઈંચ વરસાદ&nbsp;<br />વ્યારામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ&nbsp;<br />ખંભાળીયામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ&nbsp;<br />ઉપલેટામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ&nbsp;<br />ચાણસ્મામાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ&nbsp;<br />કોટડા સાંગાણીમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ&nbsp;<br />સુબીરમાં વરસ્યો દોઢ ઈંચ વરસાદ&nbsp;<br />કલ્યાણપુરમાં વરસ્યો સવા ઈંચ વરસાદ&nbsp;<br />વાંસદામાં વરસ્યો સવા ઈંચ વરસાદ&nbsp;<br />છોટા ઉદેપુરમાં વરસ્યો સવા ઈંચ વરસાદ&nbsp;<br />વાલોડમાં વરસ્યો સવા ઈંચ વરસાદ&nbsp;<br />ગોધરામાં વરસ્યો સવા ઈંચ વરસાદ&nbsp;<br />ક્વાંટમાં વરસ્યો સવા ઈંચ વરસાદ&nbsp;<br />ડોલવણમાં વરસ્યો એક ઈંચ વરસાદ&nbsp;<br />લાલપુરમાં વરસ્યો એક ઈંચ વરસાદ&nbsp;<br />ટંકારામાં વરસ્યો એક ઈંચ વરસાદ&nbsp;<br />તિલકવાડામાં વરસ્યો એક ઈંચ વરસાદ&nbsp;<br />સુરતના મહુવામાં વરસ્યો એક ઈંચ વરસાદ&nbsp;<br />નસવાડીમાં વરસ્યો એક ઈંચ વરસાદ&nbsp;<br />હારીજમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ&nbsp;<br />વાલીયામાં વરસ્યો પોણો ઈંચ વરસાદ&nbsp;<br />નખત્રાણામાં વરસ્યો પોણો ઈંચ વરસાદ&nbsp;<br />ખાંભા, માળીયામાં વરસ્યો પોણો ઈંચ વરસાદ&nbsp;<br />માંડવી, માંગરોળમાં વરસ્યો પોણો ઈંચ વરસાદ&nbsp;</p> <p>હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, આજે પંચમહાલ અને દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણમાં, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં એટલે કે સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને દીવ ખાતે અમુક સ્થળોએ અને કચ્છ જિલ્લામાં અલગ-અલગ સ્થળો પર છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે. 15મી તારીખ અને મંગળવારે વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા નગર હવેલી તથા સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ અને દીવમાં અલગ-અલગ સ્થળોએ છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.</p> <p><strong>'દિવાળી ટાણે જ ખેડૂતોના ઘરમાં હોળી' -અતિવૃષ્ટિ અને માવઠાથી પાકો ધોવાયા પરંતુ વળતર મુદ્દે ઠાગા ઠૈયાઃ કોંગ્રેસ -&nbsp;</strong><br />રાજ્યમાં ખેડૂતોની દયનીય સ્થિતિ પર કોંગ્રેસે સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે. રાજ્યમાં કૃષિ પાકના નુકસાન લઈને કિસાન કોંગ્રેસ આક્રમક મૂડમાં દેખાઇ રહી છે. કિસાન કોંગ્રેસના ચેયરમેન પાલ આંબલિયાના સરકાર પર શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે, છેલ્લા બે-ચાર દિવસથી વરસેલા વરસાદે ખેડૂતોના સપના રોળ્યા છે. વરસાદે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીયો છીનવ્યો છે. ખેડૂતોની આખા વર્ષની મહેતન પર પાણી ફરી વળ્યુ છે. ગુજરાતમાં મગફળી, કપાસ સહિતના પાકોને મોટા પ્રમાણમાં નુકસાન પહોંચ્યુ છે. રાજ્યમાં અતિવૃષ્ટીમાં 80 ટકા કપાસ નાશ પામ્યો છે, તો વળી, મગફળીના પાથરા, કપાસના જીંડવાને વધુ નુકસાના રિપોર્ટ છે.&nbsp;</p> <p>સરકાર પર ખેડૂતો મામલે કોંગ્રેસે આકરા તેવર બતાવ્યા છે. પહેલા અતિવૃષ્ટિ થઇ અને બાદમાં માવઠુ થવાથી ખેડૂતના ઘરમાં અત્યારે દિવાળીએ ટાળે જ હોળી જેવી સ્થિતિ પેદા થઇ છે. સરકાર પણ માત્ર જાહેરાતો અને ઠાલા વચનો જ આપે છે. ગત 18 થી 24 જુલાઈમાં થયેલી અતિવૃષ્ટિ માટે 350 કરોડની જાહેરાત થઇ છે પરંતુ રાતી પાઇ ખેડૂતોને મળી નથી. ગઇ 22 થી 30 ઓગસ્ટના અતિવૃષ્ટિનું સર્વે કર્યું પણ સહાયની હજુ જાહેરાત કરાઈ નથી. જમીન ધોવાણનું તો સર્વે પણ નથી થયું. જુલાઈ અતિવૃષ્ટિના ફૉર્મ ભરાવ્યાં પણ ફરજિયાત બિનપિયત પાકો માટે જ તે હતું. જો પિયત હોય અને તેનું ફોર્મ ભર્યું હોત તો ખેડૂતોને 44000 હજાર મળવાપાત્ર હતા. ફરજિયાત બિન-પિયતના જ ફોર્મ ભરાવી ખેડૂતોને હવે માત્ર 22000 હજાર જ મળશે, સરકારે ખેડૂતોને કાંઈ આપવું જ નહોય તો સર્વે અને સહાયની જાહેરાતો કરવાનું બંધ કરે.</p> <p><strong>આ પણ વાંચો</strong></p> <p><strong><a title="Gujarat Rain: જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી" href="https://ift.tt/Qx9KSEW" target="_self">Gujarat Rain: જૂનાગઢ, ગીર સોમનાથ અને અમરેલીમાં હવામાન વિભાગે કરી ભારે વરસાદની આગાહી</a></strong></p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...