Skip to main content

Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીમાં કોંગ્રેસ તરફથી આ ઉમેદવાર લડશે ચૂંટણી , ચોંકાવનારુ નામ આવ્યું સામે


<p>Vav Bypoll: વાવ બેઠકની પેટાચૂંટણીને લઈ ફોર્મ ભરવાનો આજે અંતિમ દિવસ છે. વાવ બેઠકની પેટાચૂંટણીને લઈને કોંગ્રેસે સત્તાવાર રીતે ઉમેદવારના નામની જાહેરાત કરી હતી. કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર બનાવ્યા હતા.</p> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="gu">અભિનંદન અભિનંદન <br />વાવ વિધાનસભા પેટા ચૂંટણીમાં શ્રી <a href="https://twitter.com/GulabsinhRajput?ref_src=twsrc%5Etfw">@GulabsinhRajput</a> જી ને કોંગ્રેસ પક્ષના ઉમેદવાર બનવા બદલ ખૂબ ખૂબ અભિનંદન સહ શુભકામનાઓ...<a href="https://twitter.com/hashtag/VoteForGulabsinh?src=hash&amp;ref_src=twsrc%5Etfw">#VoteForGulabsinh</a> <a href="https://t.co/3djPEBtw0j">pic.twitter.com/3djPEBtw0j</a></p> &mdash; Gujarat Congress (@INCGujarat) <a href="https://twitter.com/INCGujarat/status/1849674312929743070?ref_src=twsrc%5Etfw">October 25, 2024</a></blockquote> <p> <script src="https://platform.twitter.com/widgets.js" async="" charset="utf-8"></script> </p> <p>મળતી જાણકારી અનુસાર, વાવથી વિધાનસભાની પેટાચૂંટણી માટે કૉંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતને ઉમેદવાર જાહેર કર્યા હતા. થરાદથી 2022માં ચૂંટણી હારેલા ગુલાબસિંહ વાવ બેઠકના કૉંગ્રેસના ઉમેદવાર છે. ગુલાબસિંહને ઉમેદવાર બનાવતા ઠાકરશી રબારીની પ્રતિક્રિયા આપી હતી. ઠાકરશી રબારીએ કહ્યું હતું કે &nbsp;ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત થતા ખુશ છું. ગુલાબસિંહના સારથી બનીને હું મદદ કરીશ. પાર્ટી કોઈ એકને જ ટિકિટ આપે છે. બળદેવજી,ચંદનજી હાલ જાપાનના પ્રવાસે છે. ઠાકોર સમાજનું વલણ મહત્વનું રહેશે.</p> <p>કૉંગ્રેસે ઉમેદવાર જાહેર કર્યા બાદ ભાજપ પણ જલદી પોતાના ઉમેદવારના નામની જાહેરાત કરી શકે છે. લોકસભાની ચૂંટણીમાં વાવ વિધાનસભા બેઠકથી ભાજપને વધુ મત મળ્યા હતા. ઠાકોર અને રબારી સમાજના મત મહત્વપૂર્ણ સાબિત થશે. વાવના મતદાતાઓ થરાદના ગુલાબસિંહને સ્વીકારશે કે નહીં તે મહત્વનું રહેશે. ગેનીબેન ઠાકોરના કૌટુબિંક કાકા ભુરાજી ઠાકોર ઉમેદવારી નોંધાવી ચૂક્યા છે.</p> <p><strong>જાણો કોણ છે ગુલાબસિંહ રાજપૂત</strong></p> <p>ગુલાબસિંહ રાજપૂત સુઈ ગામના અસારવા ગામના વતની છે. તેઓ પૂર્વ ધારાસભ્ય હેમુભા રાજપૂતના પૌત્ર છે. તેઓ થરાદના પૂર્વ ધારાસભ્ય છે. 2019 પેટા ચૂંટણી જીત્યા હતા. યુથ કોંગ્રેસ પૂર્વ પ્રમુખ રહી ચુક્યા છે. 2022 થરાદ વિધાનસભા બેઠક પરથી કોંગ્રેસમાંથી ભાજપના શંકર ચૌધરી સામે હાર્યા હતા. કોંગ્રેસ જાતિગત સમીકરણોને ધ્યાનમાં રાખીને થરાદના પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતને વાવ બેઠકથી ટિકિટ આપી છે. 2019માં યોજાયેલી પેટા ચૂંટણીમાં તેઓ વિજેતા બન્યા હતા.</p> <p>હવે આ બેઠક પર 13 નવેમ્બરે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવવા જઇ રહી છે ત્યારે કોંગ્રેસે ગુલાબસિંહ રાજપૂતના નામની જાહેરાત કરી દીધી છે. પરંતુ હજુ સુધી ભાજપમાંથી કોઇનું નામ નક્કી થયું નથી. ભાજપમાંથી કોને ટિકીટ આપવી તે મુદ્દે મનોમંથન ચાલી રહ્યું છે.&nbsp;</p> <p class="abp-article-title"><a title="Vav Assembly By Elections 2024: ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ" href="https://ift.tt/9IcByfW" target="_self">Vav Assembly By Elections 2024: ચૂંટણી ટાણે જ ઠાકોર સમાજના 2 દિગ્ગજ કોંગ્રેસી નેતાઓ જાપાન જતાં પાર્ટીમાં ખળભળાટ</a></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...