<p><strong>Gujarat Weather :</strong> રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં લઘુતમ તપામાનમાં ઘટાડો થયો છે. અમદાવાદ શહેરમાં ઠંડીનો પારો ગગડીને 13.2 ડિગ્રી લઘુતમ તાપમાને પહોંચ્યો હતો રાજ્યમાં ઠંડીનું જોર વધી રહ્યું છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન નોંધાયું છે. આ સિઝનમાં પ્રથમ વખત સોમવારે નલિયામાં 7.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. હવામાન વિભાગે રાજ્યમાં કાતિલ ઠંડી વધવાની આગાહી કરી છે. ગુજરાતમાં હાલ ઉત્તરથી ઉત્તર પૂર્વના પવનો ફૂંકાઈ રહ્યા છે. આ સાથે ઉત્તર ભારતના અનેક વિસ્તારોમાં હિમવર્ષા થઈ રહી છે. જેના કારણે ઠંડી વધવાની શક્યતા છે. જ્યારે આજે કચ્છ અને સૌરાષ્ટ્ર વિસ્તારોમાં કોલ્ડ વેવની આગાહી પણ હવામાન વિભાગે કરી છે.</p> <p><strong>બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચું જવાની શક્યતા</strong></p> <p>હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે, ગુજરાતમાં બેથી ત્રણ ડિગ્રી જેટલું તાપમાન નીચું જવાની શક્યતા છે. આ સાથે હવામાન વિભાગે કહ્યું કે, સૌરાષ્ટ્ર અને કચ્છના મુખ્યત્વે ભાવનગર અને કચ્છના અલગ-અલગ વિસ્તારોમાં કોલ્ડ વેવની સ્થિતિ જોવા મળે તેવી સંભાવના છે. ઠંડીનો ચમકારો વહેલી સવારે અને સાંજે જોવા મળી રહ્યો છે. </p> <p><strong>વહેલી સવારથી કાતિલ ઠંડી</strong></p> <p>પહાડી રાજ્યોમાં હિમવર્ષાથી ગુજરાતમાં કાતિલ ઠંડીની શરૂઆત થઈ ગઈ છે. વહેલી સવારથી કાતિલ ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. હિમાલય તરફથી આવતા બર્ફીલા પવનની અસર હવે બરાબરની વર્તાઈ રહી છે. ગુજરાતના મોટા ભાગના શહેરોમાં લઘુત્તમ તાપમાનનો પારો ગગડ્યો છે. તાપમાનમાં 2 થી 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો છે. ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ઠંડી વધુ પડવાની આગાહી છે. </p> <p><strong>સૌરાષ્ટ્રમાં ઠંડીનું જોર વધ્યું</strong></p> <p>સૌરાષ્ટ્રમાં પણ કાતિલ ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે. સોમવારે રાજકોટ 13.6 ડિગ્રી, અમરેલી 15.1 ડિગ્રી, પાલનપુર તાપમાન 11.3 ડિગ્રી, મહેસાણા 11.2 ડિગ્રી સાથે ઠંડુંગાર બન્યું હતું. વડોદરા 11.6 ડિગ્રી, પંચમહાલ 12.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. સુરત 15 ડિગ્રી, વેરાવળ 16.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભાવનગર 15.1 ડિગ્રી, દ્વારકા 16 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.</p> <p>ઉત્તર ભારતમાં હિમવર્ષાના કારણે કાતિલ ઠંડીમાં જોરદાર વધારો થવાનો છે. ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં હિમવર્ષા થઈ રહી છે. હિમાચલ પ્રદેશના પ્રવાસીઓની પસંદ કુલ્લૂ અને મનાલીમાં હિમવર્ષા થઈ છે. જેના કારણે પ્રવાસીઓની સંખ્યામાં પણ જોરદાર વધારો થયો છે. </p> <p><a title="શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા" href="https://ift.tt/jf1dw3q" target="_self">શિયાળાની ઠંડીમાં તાલાલામાં આંબા પર કેરી આવતા ખેડૂત પણ ચોંકી ગયા</a></p>
મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ
https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...
Comments
Post a Comment