Skip to main content

Gujarat Rain: આજે રાજ્યના 21 જિલ્લામાં વરસાદની આગાહી, જાણો ક્યાં તૂટી પડશે વરસાદ


<p><strong>અમદાવાદ:</strong> રાજ્યના હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે. &nbsp;આગામી 24 કલાક રાજ્યમાં માવઠાની આગાહી કરાઈ છે. &nbsp;દક્ષિણ રાજસ્થાનમાં સિસ્ટમ અને વેસટર્ન ડિસ્ટર્બન્સના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કરા સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;</p> <p>બનાસકાંઠા, સાબરકાંઠા, નર્મદા, અરવલ્લીમાં કરા સાથે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. જયારે અન્ય જિલ્લાઓમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે . &nbsp;વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે. &nbsp;&nbsp;</p> <p>ગાંધીનગર, પાટણ, મહેસાણા, ખેડા, આણંદ, અરવલ્લી, પંચમહાલ, દાહોદ, મહીસાગર, દમણ અને દાદરા નગર હવેલીમાં પણ વરસાદ વરસી શકે છે. &nbsp;<br />આજે અમદાવાદમાં 18 ડિગ્રી તાપમાન રહ્યું છે. &nbsp;24 કલાક બાદ તાપમાનમાં 2-3 ડિગ્રીનો ઘટાડો થતા ઠંડીનો અનુભવ થશે.&nbsp;</p> <p><strong>રાજ્યના 21 જિલ્લામાં વરસાદની આગાહી</strong></p> <p>હવામાન વિભાગની &nbsp;આગાહી અનુસાર આજે અને આવતીકાલે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે રાજ્યના 21 જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. &nbsp;આજે બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લીમાં વરસાદનું અનુમાન છે. &nbsp;પંચમહાલ, દાહોદ, મહીસાગરમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.&nbsp;</p> <p>આજે વડોદરા, ભરુચ, છોટાઉદેપુર, નર્મદા, &nbsp;સુરત, ડાંગ,નવસારી, વલસાડ, તાપીમાં વરસાદનું અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે. આ સિવાય રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગરમાં પણ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. ગીર સોમનાથ, કચ્છ જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે.&nbsp;</p> <p><strong>રાજ્યમાં વરસાદને લઈ અંબાલાલ પટેલની આગાહી</strong></p> <p>હવામાન નિષ્ણાંત &nbsp;અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, &nbsp;કાલે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં વરસાદની શક્યતા છે. કાલે આણંદ, વડોદરા, ભરૂચમાં માવઠાની શક્યતા છે. કાલે કપડવંજ, તાપી, નર્મદા સહિતના ભાગોમાં માવઠાનું અનુમાન છે. &nbsp;10 મીમીથી 1 ઈંચ સુધીનો વરસાદ વરસી શકે છે. ઉત્તરાયણ સુધીમાં ફરી માવઠાનું અનુમાન છે. તુવેર, રાઈ સહિત શાકભાજીના પાક બગડશે. શાકભાજીના પાકમાં ઈયળ પડવાની શક્યતા છે. &nbsp;અજમો સહિતના મસાલાના પાકમાં પણ રોગ આવી શકે છે.&nbsp;&nbsp;</p> <p>ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં આજે માવઠું પડ્યું હતું. મળતી જાણકારી અનુસાર, અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા જિલ્લામાં માવઠું પડ્યું હતું. અરવલ્લી જિલ્લાના મોડાસા, માલપુર પંથકમાં મોડી રાત્રે કમોસમી વરસાદ વરસ્યો હતો. ઉભરાણ, સુલપાણેશ્વર સહિતના ગામડાઓમાં મોડી રાત્રે માવઠું પડ્યું હતું. કમોસમી વરસાદને પગલે ઘઉં, ચણા, જીરું, બટાકા, રાયડાના પાકમાં નુકસાનીની ભીતિ સેવાઇ રહી છે.&nbsp;&nbsp;</p> <p><a title="અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો" href="https://ift.tt/PBM8rnx" target="_self">અમદાવાદ,સાબરકાંઠા, બનાસકાંઠાના કેટલાક વિસ્તારમાં માવઠું, ખેડૂતોની ચિંતામાં વધારો</a></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...