Skip to main content

શું ગુજરાત સરકાર જંત્રીમાં કરશે જંગી વધારો? નાણાંપંચે કરી છે મહત્વની ભલામણ


<p><strong>Gujarat Panchayat News:</strong> વિધાનસભામાં રજૂ થયેલા ચોથા નાણાં પંચના વચગાળાના અહેવાલમાં પંચાયતી રાજની સંસ્થાઓ માટે એક મહત્વપૂર્ણ ભલામણ કરવામાં આવી છે. નાણાં પંચે રાજ્ય સરકારને જંત્રીના દરમાં સુધારો કરવાની ભલામણ કરી છે. નાણાં પંચનું માનવું છે કે જંત્રીના દરમાં વધારો થવાથી પંચાયતી રાજની સંસ્થાઓની મહેસુલી આવકમાં નોંધપાત્ર વધારો થશે. આ વધેલી આવકનો ઉપયોગ ગ્રામ્ય સ્તરે વિકાસના વિવિધ પ્રોજેક્ટ્સ અને માળખાગત સુવિધાઓને વધુ સારી બનાવવા માટે થઈ શકશે. પંચે પોતાના રિપોર્ટમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે જંત્રીના દરમાં સુધારો કરવાથી પંચાયતો આર્થિક રીતે વધુ સક્ષમ બનશે અને વિકાસના કાર્યોને વધુ અસરકારક રીતે અમલમાં મૂકી શકશે.</p> <p>આ ઉપરાંત, નાણાં પંચે પંચાયતી રાજ સંસ્થાઓ માટે સંશોધિત કરવેરા વહેંચણીની પણ ભલામણ કરી છે. આ ભલામણનો હેતુ એ સુનિશ્ચિત કરવાનો છે કે પંચાયતોને તેમની જરૂરિયાતો અનુસાર યોગ્ય પ્રમાણમાં કરવેરાની આવક પ્રાપ્ત થાય, જેથી તેઓ સ્વતંત્ર રીતે પોતાના વિકાસના કાર્યોનું આયોજન અને અમલીકરણ કરી શકે.</p> <p><strong>રાજ્યમાં સૂચિત નવી જંત્રીની જાહેરાત ગૂંચમાં પડી</strong></p> <p>ગુજરાતમાં આગામી 1લી એપ્રિલથી નવી જંત્રી અમલમાં લાવવાની રાજ્ય સરકારની તૈયારીઓ હાલ પૂરતી અટકી ગઈ છે. કેટલીક વહીવટી અને રાજકીય બાબતોના કારણે નવી જંત્રીની જાહેરાત કરવામાં વિલંબ થઈ રહ્યો છે, જેના પગલે હવે આ જાહેરાત 15મી એપ્રિલ બાદ થવાની શક્યતા સેવાઈ રહી છે.</p> <p>સૂત્રોના જણાવ્યા અનુસાર, નવી જંત્રી અંગેનો અંતિમ નિર્ણય મુખ્યમંત્રી સ્તરે પેન્ડિંગ છે. સરકાર દ્વારા ડ્રાફ્ટ જંત્રી જાહેર કરવામાં આવ્યા બાદ રાજ્યભરમાંથી અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે. આ વાંધા સૂચનોમાં સૌથી વધુ એટલે કે 6 હજારથી વધુ સૂચનો જંત્રીના દર ઘટાડવા માટેના છે, જ્યારે લગભગ 1700 જેટલા સૂચનો જંત્રીના દર વધારવા માટે સરકારને મળ્યા છે. આ મોટી સંખ્યામાં મળેલા વાંધા સૂચનોને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા પુનઃ વિચારણા કરવામાં આવી રહી હોવાનું મનાય છે.</p> <p>સરકાર દ્વારા 1લી એપ્રિલથી નવી જંત્રી અમલમાં લાવવાની તૈયારીઓ કરવામાં આવી રહી હતી અને તેને લઈને મોટાપાયે કામગીરી પણ ચાલી રહી હતી. પરંતુ છેલ્લી ઘડીએ કેટલીક અણધારી મુશ્કેલીઓ સામે આવતા આ યોજનાને હાલ પૂરતી સ્થગિત કરવામાં આવી છે. હવે એવી શક્યતા છે કે તમામ પાસાઓ પર વિચાર કર્યા બાદ 15મી એપ્રિલ પછી નવી જંત્રી અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવશે.</p> <p>નવી જંત્રીના દરને લઈને લોકોમાં અને ખાસ કરીને રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ભારે ઉત્સુકતા જોવા મળી રહી છે. જંત્રીના દરમાં સંભવિત વધારાને લઈને અનેક અટકળો પણ વહેતી થઈ છે. ત્યારે સરકાર દ્વારા જાહેરાતમાં વિલંબ થવાના કારણે આ અંગેની અટકળો વધુ તેજ બની છે. હવે સૌની નજર સરકારના આગામી નિર્ણય પર ટકેલી છે કે નવી જંત્રી ક્યારે અમલમાં આવશે અને તેના દર કેવા હશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...