Skip to main content

RTOનો ટેસ્ટ ટ્રેક માથાનો દુખાવો બન્યો!:જીસ્વાનના ધાંધિયા બાદ વીજપુરવઠો ખોરવાતાં 250થી વધુ એપોઇન્ટમેન્ટ રિશિડ્યૂલ; મુંબઈથી આવેલા અરજદારને ચોથો ધક્કો થયો


https://ift.tt/KCPFa6E વડોદરા પ્રાદેશિક વાહન-વ્યવહાર કચેરી ખાતે નવા AI ટ્રેકની કામગીરી શરૂ થતા મેઈન ઓફિસથી ટેસ્ટ ટ્રેક ઓફિસ તરફ જતું મુખ્ય વીજ કેબલ કટ થતા આજે (30 જૂન) 250થી વધુ અરજદારો ડ્રાઇવિંગ ટેસ્ટ આપી શકશે નથી. છેલ્લા એક મહિનામાં 10 દિવસથી વધુ ટ્રેક જીસ્વાન કનેક્ટિવિટી ખોરવાતા ટેસ્ટ ટ્રેક બંધ રહ્યો હતો, જેના કારણે અરજદારોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. બે દિવસની રજા બાદ ફરી ટેસ્ટ ટ્રેક બંધ રહેતા આજે પણ અરજદારોને ધરમનો ધક્કો ખાવાનો વારો આવ્યો છે. આજે મારે આ ચોથો ધક્કો થયોઃ દિપક શર્મા આ અંગે મુંબઈથી આવેલા અરજદાર અને વડોદરાના વતની દિપક શર્માએ જણાવ્યું હતું કે, આજે મારે આ ચોથો ધક્કો થયો છે. હું બે મહિના અગાઉ આવ્યો હતો, ત્યારે પણ સર્વર ઈશ્યૂમાં મારી અપોઇમેન્ટ રિશિડ્યુઅલ કરવામાં આવી હતી. હું મુંબઈ નોકરી કરું છું તો મારે ફરી બોમ્બે જવું પડ્યું હતું. પછી બે મહિના બાદ અપોઇમેન્ટ લીધી અને આજે ફરી કઈ કામ ચાલુ છે. ‘હું બાઇક ચલાવી શકતો નથી’ વધુમાં કહ્યું કે, મુંબઈમાં મારે લાઇસન્સ વગર મુશ્કેલી પડે છે. હું બાઇક ચલાવી શકતો નથી. મારે આજે ફરી અહીં ધક્કો ખાવો પડ્યો છે. મુંબઈથી આવવું અને મારા માટે મોટો ડ્રોબેક છે. આના કારણે ડોક્યુમેન્ટનાં પણ પ્રોબ્લેમ થાય છે. આ કઈ રીતે પ્રોબ્લેમ સોલ્વ થશે તે ખબર નથી પડતી. મારે તો લાઇસન્સ જોઈએ છે તો સમય લઈ પરત આવવું જ પડશે. અવારનવાર આ રીતે લોચા થાય છેઃ આકાશ અન્ય અરજદાર આકાશ મકવાણાએ જણાવ્યું હતું કે, હું 20 કિલોમીટર દૂર વાસણા ભાયલીથી અહીંયા આવ્યો છું. પહેલા આવ્યો હતો તો સર્વર બંધ હતું. આજે ફરી અહીંયા કામ ચાલુ છે. અમારે આજે ધક્કો પડ્યો છે, અવારનવાર આ રીતે લોચા થાય છે. અગાઉ પ્રોબ્લેમ હતો તે આખા ગુજરાતમાં હતોઃ અધિકારી આ અંગે આરટીઓ અધિકારી ડી. એસ. પટેલે જણાવ્યું હતું કે, જે છેલ્લા અઠવાડિયામાં પ્રોબ્લેમ હતો તે આખા ગુજરાતમાં હતો. તેમાં જીસ્વાન કનેક્ટિવિટીના કારણે પ્રોબ્લેમ હતો. અત્યારે હાલમાં નવો ટ્રેક બનવા જઈ રહ્યો છે, જેના કારણે ઓફિસમાં કામગીરી થઈ છે. જેના કારણે કેમેરા માટેના ફાઉન્ડેશન જે બનાવવાના હોય છે તેના કારણે આ મેઈન પાવર કેબલ કટ થતા આજે કામગીરી બંધ છે. આ બાબતે ગત રોજ એપોઈમેન્ટ રિશિડ્યુલ કરવામાં આવી છે. આજે સાંજ સુધીમાં અથવા તો આવતી કાલ સવાર સુધીમાં ટ્રેક શરૂ થતા જ અરજદારોને મેસેજ કરી દેવામાં આવશે. સુરત આરટીઓ ખાતે ગત અઠવાડિયા દરમિયાન સર્વર એકદમ જ બંધ હતું. જ્યારે આજથી પણ સર્વરના ધાંધિયા છે. રોજ સુરત આરટીઓ ખાતે ટુ-વ્હીલરની અઢીસો અને ફોર-વ્હીલની 150 જેટલી એપોઇન્ટમેન્ટ આવતી હોય છે. છેલ્લા દસ દિવસથી આ સર્વર બંધ હોવાના કારણે 4,000 જેટલા અરજદારોને હેરાન થવાનો વારો આવ્યો છે. આ તમામ અરજદારો રોજ લાઈનમાં આવીને ઊભા રહે છે અને સર્વર બંધ હોવાના કારણે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. (વાંચો વિગતવાર) RTO ડ્રાઇવિંગ ટેસ્ટની હાલાકીથી અરજદારો ત્રાહિમામ:10 દિવસથી સર્વરના ધાંધિયા; વિદ્યાર્થી, ગૃહિણી, બિઝનેસમેન કલાકો રાહ જોઈને થાક્યા, રોજના 400થી વધુ અરજદારો હેરાન https://ift.tt/vU3zXcx

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...