Skip to main content

Gujarat Rain: આગામી 3 કલાકમાં રાજ્યમાં આ વિસ્તારમાં ભારે વરસાદની આગાહી


<p style="text-align: justify;"><strong>Gujarat Rain:</strong> આજ 31મી ઓગસ્ટ 2025ના રોજ રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. હવામાન ખાતા દ્વારા સવારે બહાર પાડવામાં આવેલી આગાહી મુજબ, આગામી 3 કલાક માટે ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.</p> <p style="text-align: justify;"><strong>ભારે વરસાદની આગાહી</strong><br />દાહોદ, પંચમહાલ, મહીસાગર, અને સુરેન્દ્રનગર જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ 41 થી 61 kmphની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અહીં 15 mm/hr થી વધુ ભારે વરસાદ થવાની સંભાવના છે. આ વિસ્તારોમાં વીજળી પડવાની શક્યતા 60% થી વધુ છે. ભારે વરસાદને કારણે રસ્તાઓ બંધ થઈ શકે છે, નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે, અને ટ્રાફિક જામ થઈ શકે છે.&nbsp;</p> <p style="text-align: justify;"><strong>મધ્યમ વરસાદની આગાહી</strong><br />બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર, ખેડા, અમદાવાદ, આણંદ, બોટાદ, ભાવનગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, મોરબી, રાજકોટ, અમરેલી અને કચ્છ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ 40 kmph કરતાં ઓછી ઝડપે પવન સાથે 5 થી 15 mm/hr નો મધ્યમ વરસાદની શક્યતા છે. અહીં વીજળી પડવાની સંભાવના 30 થી 60% છે. આ પ્રકારના વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે.</p> <p style="text-align: justify;"><strong>હળવો વરસાદ</strong><br />જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દીવ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદ થવાની સંભાવના છે.</p> <p style="text-align: justify;"><strong>સરદાર સરોવર નર્મદા ડેમ અપડેટ</strong></p> <p style="text-align: justify;">સવારે 7 કલાકના અપડેટ પ્રમાણે પાણીની આવકમાં ધરખમ ઘટાડો થતા 15 પૈકી 5 દરવાજા બંધ કરાયા છે. હાલ 10 દરવાજા 1.40 મીટર ખોલી 1,00,000 ક્યુસેક અને પાવરહાઉસ મારફતે 45,000 મળી નદીમાં 1,45,000 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.</p> <h4 class="article-pg-title">18 જિલ્લામાં યલો એલર્ટ</h4> <p class="lead-caption">ગુજરાતમાં ચોમાસું ફરી સક્રિય થતા આવતીકાલે, એટલે કે ૩૧મી ઓગસ્ટના રોજ રાજ્યના ૧૮ જિલ્લા અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં છુટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.</p> <div class="image-pod"> <div class="figure"> <div class="figcaption">જે વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તેમાં સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, ખેડા, મહીસાગર, આણંદ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ તેમજ દમણ અને દાદરા નગર હવેલીનો સમાવેશ થાય છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે મધ્યમથી ભારે વરસાદ થવાની શક્યતા છે. આથી, સંબંધિત તંત્ર અને લોકોને તકેદારી રાખવા માટે સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી 7 દિવસ એટલે કે, 5 સપ્ટેમ્બર સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં બે સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતાં કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પણ પડી શકે છે.</div> </div> </div>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...