Skip to main content

Gujarat Rain: હિંમતનગરમાં જળબંબાકાર, ધોધમાર વરસાદથી અનેક ઘરોમાં પાણી ઘૂસ્યા


<p style="text-align: justify;"><strong>Gujarat Rain:</strong> સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં મોડી રાતથી શરૂ થયેલા ધોધમાર વરસાદને કારણે શહેરના પૂર્વ વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. વહેલી સવારે પડેલા ભારે વરસાદથી અનેક નીચાણવાળા વિસ્તારો અને સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે, જેના કારણે જનજીવન જબરજસ્ત પ્રભાવિત થયું છે.</p> <p style="text-align: justify;"><strong>સોસાયટીઓમાં વરસાદી પાણીની તારાજી</strong></p> <p style="text-align: justify;">શહેરના બેરણા રોડ,ગાયત્રી મંદિર રોડ અને શારદાકુંજ વિસ્તારમાં પાણી ભરાયા છે. આ ઉપરાંત, સહકાર જીન, શુકન સોસાયટી, શાસ્ત્રીનગર અને નિકુંજ સોસાયટી જેવા રહેણાંક વિસ્તારોમાં પણ પાણી ઘરોમાં ઘૂસી જતાં લોકોની ઘરવખરીને ભારે નુકસાન થયું છે. ઘણા લોકોના ઘરોમાં કમર સુધીના પાણી ભરાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે.</p> <p style="text-align: justify;"><strong>વાહનો પાણીમાં ગરકાવ</strong></p> <p style="text-align: justify;">નીચાણવાળા વિસ્તારોમાં આવેલા ખુલ્લા પ્લોટમાં પાર્ક કરેલી ગાડીઓ પણ પાણીમાં ગરકાવ થઈ ગઈ છે. અંદાજે 20 જેટલી કાર પાણીમાં ડૂબી જતાં વાહન માલિકોને ભારે નુકસાન થયું છે. આસપાસના વિસ્તારોમાં પણ વાહનોને નુકસાન થયું હોવાના અહેવાલો છે. વરસાદ હજુ પણ ચાલુ હોવાથી પરિસ્થિતિ વધુ ગંભીર બની રહી છે.</p> <p style="text-align: justify;"><strong>રાજ્યમાં ભારે વરસાદને કારણે 184 રસ્તા બંધ</strong></p> <p>રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા ભારે વરસાદને કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે. ભારે વરસાદના કારણે રાજ્યના કુલ 184 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ કરવામાં આવ્યા છે. આ રસ્તાઓમાં 4 સ્ટેટ હાઈવે અને 2 નેશનલ હાઈવેનો પણ સમાવેશ થાય છે.</p> <p><strong>જિલ્લાવાર અસર</strong></p> <p>સૌથી વધુ અસર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં જોવા મળી રહી છે. તાપી જિલ્લામાં 40 રસ્તા બંધ થયા છે, જ્યારે સુરત જિલ્લામાં 32 રસ્તા બંધ થયા છે. આ ઉપરાંત, પોરબંદરમાં 28 અને નવસારી જિલ્લામાં 27 રસ્તાઓ પર અવરજવર બંધ છે. પંચાયત હસ્તકના 174 રસ્તાઓ અને રાજ્ય સરકાર હસ્તકના અન્ય ચાર રસ્તાઓ પર પણ પાણી ભરાઈ જવાના કારણે વાહનવ્યવહાર અટકી ગયો છે.</p> <p><strong>વાહનચાલકોને મુશ્કેલી</strong></p> <p>રાજ્યના મુખ્ય માર્ગો બંધ થવાથી લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. ખાસ કરીને જે લોકો કામ અર્થે કે અન્ય હેતુસર મુસાફરી કરી રહ્યા છે, તેમને લાંબા રૂટ લેવાની ફરજ પડી રહી છે. હવામાન વિભાગ દ્વારા હજુ પણ વરસાદની આગાહી કરવામાં આવી છે, તેથી વાહનચાલકોને સાવચેતી રાખવા અને બંધ રસ્તાઓનો ઉપયોગ ન કરવાની અપીલ કરવામાં આવી છે. વહીવટી તંત્ર દ્વારા રસ્તાઓ ફરીથી ખુલ્લા કરવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે, પરંતુ વરસાદ ચાલુ હોવાથી તેમાં વિલંબ થઈ રહ્યો છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...