Skip to main content

Gujarat Rain: ગુજરાતમાં વરસાદ તબાહી મચાવશે, અંબાલાલે ઓગસ્ટની તારીખો માટે કરી ભારે વરસાદની આગાહી


<p><strong>Gujarat Rain Forecast:</strong> ગુજરાતમાં આ વખતે ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી સામે આવી છે, આ મહિનાની શરૂઆતથી જ ગુજરાતમાં સૌરાષ્ટ્રથી લઇને ઉત્તર, દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં વરસાદી કહેર જોવા મળી રહ્યો છે, ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદે તબાહી મચાવી છે, જુનાગઢથી લઇને પોરબંદર, દ્વારકા, સોમનાથ, અમરેલી સુધીના વિસ્તારો પાણી પાણી થયા છે. હવે આ બધાની વચ્ચે અંબાલાલા પટેલે પણ મોટી આગાહી કરી છે. ઓગસ્ટ મહિનાના અંતમાં ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે.&nbsp;</p> <p>ગુજરાતમાં જાણીતા આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરતાં જણાવ્યું કે, હાલમાં મહારાષ્ટ્રમાં અને ખાસ કરીને મુંબઈમાં તોફાની વરસાદ વરસી પડ્યા પછી આ સિસ્ટમ ગુજરાત તરફ આગળ વધી છે, આવામાં રાજ્યમાં આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતાઓ છે.&nbsp;</p> <p>અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર, રાજ્યના કેટલાક સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદ આફત બનીને તૂટી પડે શકે છે. ઓગસ્ટના અંત સુધીમાં અને સપ્ટેમ્બરની શરુઆતમાં વરસાદનું જોર વધવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. જેની સાથે તેમણે નદીઓને નવા નીર મળવાની શક્યતાઓ પણ વ્યક્ત કરી છે. અંબાલાલે સૌરાષ્ટ્રની સાથે મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળશે તેવી શક્યતાઓ વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે અગાઉ કરેલી આગાહીમાં જણાવ્યું હતું કે, 30 ઓગસ્ટ સુધીમાં અને સપ્ટેમ્બરની શરુઆતમાં રાજ્યના ઘણાં ભાગોમાં ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતાઓ છે. મધ્યપ્રદેશમાં પણ ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ છે, જેના કારણે નર્મદા નદી બે કાંઠે થશે તેવી પણ સંભાવનાઓ અંબાલાલ વ્યક્ત કરી રહ્યા છે. દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના ભાગોમાં ગણેશ ચતુર્થી અને પર્યુષણના તહેવારો દરમિયાન વરસાદ મન મૂકીને વરસશે તેવી શક્યતાઓ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત સહિતના ભાગોમાં ભારે વરસાદ કે ભારે વરસાદી ઝાપટાં થવાની શક્યતાઓ છે.</p> <p>આ ઉપરાંત ગુજરાત માટે હવામાન વિભાગે પણ ભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં સાત દિવસની આગાહી કરી છે તેમાં રાજ્યમાં વરસાદનું ઓરેન્જ અને યલો એલર્ટ આપ્યું છે, જેમાં આજના દિવસ માટે કરાયેલી આગાહીમાં સાબરકાંઠા, નવસારી, વલસાડ અને દમણ તથા દાદરા નગર હવેલી અને સૌરાષ્ટ્ર-કચ્છના જૂનાગઢ, ગીર સોમનાથ અને દીવમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે.&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...