Skip to main content

3 દિવસ સુધી 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી, ક્યાંક તમારી દિવાળીનું સેલિબ્રેશન તો નહીં બગડે ને? જાણો લેટેસ્ટ આગાહી


<p style="text-align: justify;"><strong>Gujarat Weather Alert:</strong> ભારતીય હવામાન વિભાગ (IMD) એ ગુજરાત રાજ્યમાં આગામી ત્રણ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે. આજે 11 જિલ્લાઓમાં વરસાદ થવાની સંભાવના છે, જેમાં સૌરાષ્ટ્રના અમરેલી, ભાવનગર, અને મધ્ય ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર તેમજ દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જેવા જિલ્લાઓનો સમાવેશ થાય છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી માં પણ વરસાદની આગાહી છે. દાહોદ જિલ્લામાં મીરાખેડી ગામે ધીમીધારે વરસાદ વરસતા દિવાળીના માહોલમાં ભંગ પડ્યો છે અને ખેડૂતો રવિ પાકને લઈને ચિંતામાં મુકાયા છે. આવતીકાલે મુખ્યત્વે દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની શક્યતા છે.</p> <p style="text-align: justify;"><strong>આજે </strong><strong>11 </strong><strong>જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદની શક્યતા</strong></p> <p style="text-align: justify;">ગુજરાતમાં દિવાળીના તહેવારો દરમિયાન જ હવામાન વિભાગે આગામી ત્રણ દિવસ માટે વરસાદી માહોલ રહેવાની આગાહી કરી છે. આ અણધાર્યા હવામાન પલટાને કારણે નાગરિકોની તહેવારની મજા બગડી છે, તો બીજી તરફ ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.</p> <p style="text-align: justify;">હવામાન વિભાગ (IMD) ના જણાવ્યા અનુસાર, આજે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તેમજ મધ્ય ગુજરાતના દાહોદ અને છોટા ઉદેપુર માં છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતના ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડવાની સંભાવના છે. સંઘ પ્રદેશ દમણ અને દાદરાનગર હવેલી માં પણ હળવો વરસાદ થવાની આગાહી છે.</p> <p style="text-align: justify;"><strong>ખેડૂતોની ચિંતામાં વધારો અને દિવાળીના રંગમાં ભંગ</strong></p> <p style="text-align: justify;">હવામાન વિભાગની આગાહીના પગલે દાહોદ જિલ્લાના વાતાવરણમાં મોટો પલટો આવ્યો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયું હતું અને મીરાખેડી ગામે ધીમીધારે વરસાદ પણ વરસ્યો હતો. તહેવારના માહોલમાં વરસાદ વરસતા નાગરિકોની દિવાળીની ઉત્સાહભરી ખરીદી અને ઉજવણીમાં વિઘ્ન આવ્યું છે.</p> <p style="text-align: justify;">આ અકાળ વરસાદને કારણે ખેડૂતો પણ ભારે ચિંતામાં મુકાયા છે, કારણ કે આ સમયે વરસાદ રવિ પાક અને સંગ્રહિત પાકને નુકસાન પહોંચાડી શકે છે.</p> <p style="text-align: justify;">આવતીકાલે પણ દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં વરસાદ ચાલુ રહેવાની આગાહી છે. તાપી, ડાંગ, નવસારી અને વલસાડ ની સાથે દમણ અને દાદરાનગર હવેલી માં પણ હળવાથી મધ્યમ વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે લોકોને આ વરસાદી માહોલમાં સાવચેતી રાખવા અને માછીમારોને દરિયો ન ખેડવાની સલાહ આપી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...