Skip to main content

રાજ્યમાં 4 દિવસ ભારે વરસાદ તૂટી પડશે, આવતીકાલે 24 જિલ્લામાં યલો-ઓરેન્જ ઍલર્ટ, દરિયાકાંઠે જોખમી સિગ્નલ


<p><strong>Gujarat rain forecast:</strong> અરબી સમુદ્ર માં સર્જાયેલા ડિપ્રેશન ના કારણે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 4 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. 26 ઓક્ટોબર ના રોજ રાજ્યના કુલ 24 જિલ્લામાં ઓરેન્જ અને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે, જેમાં બોટાદ, અમરેલી અને ભાવનગર માટે ઓરેન્જ ઍલર્ટ છે. આ હવામાનની ગંભીર સ્થિતિને જોતા દરિયો તોફાની બને તેવી શક્યતા છે, જેના પગલે ઓખા પોર્ટ પર નંબર-3 અને સલાયા પોર્ટ પર નંબર-1 નું ભયસૂચક સિગ્નલ લગાવવામાં આવ્યું છે, અને માછીમારોને દરિયો ન ખેડવા સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આજે 25 ઓક્ટોબર એ પણ 9 જિલ્લામાં ભારે વરસાદ માટે યલો ઍલર્ટ જારી કરાયું છે.</p> <p><strong>ડિપ્રેશનના કારણે ગુજરાત પર વરસાદી સંકટ: દરિયાકાંઠે ભયસૂચક સિગ્નલ</strong></p> <p>અરબી સમુદ્રમાં એક ડિપ્રેશન સક્રિય થવાને કારણે, ગુજરાત રાજ્યમાં આગામી 6 દિવસ સુધી હવામાનમાં મોટો પલટો આવવાની અને સૌરાષ્ટ્ર તેમજ દક્ષિણ ગુજરાત સહિતના વિસ્તારોમાં હળવાથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ડિપ્રેશનના કારણે દરિયાકાંઠાના વિસ્તારોમાં જોખમી પરિસ્થિતિ સર્જાઈ શકે તેમ હોવાથી તંત્ર સજ્જ થઈ ગયું છે.</p> <p>રાજ્યના દરિયાકાંઠાના બંદરો પર જોખમી સિગ્નલ જાહેર કરવામાં આવ્યા છે. જેમ કે, ઓખા પોર્ટ પર નંબર-3 અને સલાયા પોર્ટ પર નંબર-1 નું ભયસૂચક સિગ્નલ આપવામાં આવ્યું છે. માછીમારોને દરિયો ન ખેડવા અને સુરક્ષિત સ્થળે રહેવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે. આજે, શનિવાર (25 ઓક્ટોબર) ના રોજ પણ અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લાના છૂટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતાને લઈને યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.</p> <p><strong>આગામી </strong><strong>3 </strong><strong>દિવસ માટે જિલ્લાવાર ઍલર્ટની વિગતો</strong></p> <p>હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે જિલ્લાવાર યલો અને ઓરેન્જ ઍલર્ટ ની વિગતવાર આગાહી કરી છે:</p> <p><strong>26 </strong><strong>ઓક્ટોબરની આગાહી (</strong><strong>Orange </strong><strong>અને </strong><strong>Yellow Alert)</strong></p> <ul> <li>ઓરેન્જ ઍલર્ટ: બોટાદ, અમરેલી અને ભાવનગર માં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.</li> <li>યલો ઍલર્ટ: અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, અરવલ્લી, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ અને પોરબંદર સહિત કુલ 21 જિલ્લા.</li> </ul> <p><strong>27 </strong><strong>ઓક્ટોબરની આગાહી (</strong><strong>Yellow Alert)</strong></p> <ul> <li>યલો ઍલર્ટ: અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, પંચમહાલ, ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, ગીર સોમનાથ, જૂનાગઢ, રાજકોટ, પોરબંદર, ભાવનગર અને અમરેલી.</li> </ul> <p><strong>28 </strong><strong>ઓક્ટોબરની આગાહી (</strong><strong>Yellow Alert)</strong></p> <ul> <li>યલો ઍલર્ટ: પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડ.</li> </ul> <p>આગાહી મુજબ, રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદનું જોર યથાવત રહેવાની શક્યતા છે, તેથી લોકોને સાવચેત રહેવા અને જરૂરી તકેદારી રાખવા માટે અપીલ કરવામાં આવે છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...