Skip to main content

પોલીસે 8 મહિનામાં 5.5 કરોડના 4 હજાર ફોન શોધ્યા:મોબાઇલ ચોરાઈ જાય તો ઘરે બેઠા સરકારી પોર્ટલ પર માહિતી ભરી દો, આશીર્વાદરૂપ બની સિસ્ટમ


https://ift.tt/W8NuSwp અમદાવાદ પોલીસે 8 મહિનામાં 4 હજાર ચોરાયેલા કે ખોવાયેલા ફોન શોધ્યા અને મૂળ માલિકને પરત કર્યા. આ મોબાઇલની કિંમત સાડા પાંચ કરોડ રૂપિયાથી પણ વધુ થાય છે. સામાન્ય રીતે લોકોની એવી ધારણા હોય છે કે એકવાર મોબાઇલ ખોવાયો એટલે ગયો! પાછો નહીં મળે. પણ હવે એક સરકારી પોર્ટલના કારણે આ સ્થિતિ સુધરી છે. કારણકે સરકારે એક એવી સિસ્ટમ ઊભી કરી છે, જેના થકી ખોવાયેલો કે ચોરાયેલો મોબાઇલ સરળતાથી મળી જશે. એ માટે તમારે પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની પણ જરૂર નથી. તમે માત્ર પાંચ જ મિનિટમાં ઘરે બેઠાં ખોવાયેલા કે ચોરાયેલા મોબાઇલ માટે અરજી કરી શકો છો. કેન્દ્ર સરકારના પોર્ટલ CEIR એટલે કે સેન્ટ્રલ ઇક્વિપમેન્ટ આઇડેન્ટિટી રજિસ્ટર પર તમારે તમારા મોબાઇલની વિગતો ભરવાની રહેશે. ત્યાર બાદ તમારો મોબાઇલ શોધવામાં પોલીસને સરળતા રહેશે. કારણ કે એ મોબાઇલનો કોઈ ઉપયોગ કરતો થશે તો તેની સીધી જાણ પોલીસને થશે. જ્યારે પણ મોબાઇલ મળશે ત્યારે પોલીસ તમને બોલાવીને ફોન પરત આપી દેશે. CEIR પોર્ટલ પર ભરવાની થતી વિગતો વિશે સ્ટેપ બાય સ્ટેપ સમજી લો. સૌથી પહેલા ગૂગલ પર જઈને CEIR લખવાનું રહેશે. ગૂગલ સર્ચના રિઝલ્ટમાં https://ift.tt/hAi2N8x વેબસાઇટ આવશે. એના પર ક્લિક કરો. આ વેબસાઇટ પર પહોંચતાં જ વિવિધ ઓપ્શન્સ દેખાશે, જેમ કે બ્લોક સ્ટોલન/લોસ્ટ મોબાઇલ, અનબ્લોક ફાઉન્ડ મોબાઇલ, ચેક રિક્વેસ્ટ સ્ટેટસ, ફરગોટ રિક્વેસ્ટ આઈડી. આ ઓપ્શન્સમાંથી સૌથી પહેલા ઓપ્શન એટલે કે બ્લોક સ્ટોલન/લોસ્ટ મોબાઇલ પર ક્લિક કરો, જેનાથી એક ફોર્મ ખૂલશે. આ ફોર્મ પર જરૂરી વિગતો ખૂબ જ ધ્યાનથી ભરવી, કારણ કે આ ફોર્મ ભરવાથી તમારો ખોવાયેલો કે ચોરાયેલો ફોન બ્લોક થઈ જશે. એમાં જે પણ સિમકાર્ડ હશે એ ચાલશે નહીં. કોઈ અન્ય વ્યક્તિ જ્યારે પણ બીજું સિમકાર્ડ મોબાઇલમાં નાખવાનો પ્રયત્ન કરશે તો એની જાણ તમને અને તમે ફોર્મમાં જે પોલીસ સ્ટેશનનું નામ લખ્યું હશે ત્યાંના અધિકારીને થઈ જશે. ઘણા ફોનમાં બે સિમકાર્ડ હોય છે, એટલે જો તમારા ખોવાયેલા ફોનમાં એક સિમકાર્ડ હોય તો એક અને બે હોય તો બન્ને મોબાઇલ નંબર ફોર્મમાં લખવા. સિમ-1માં હોય એ નંબરને પહેલા લખવો, સિમ-2માં હોય એ નંબર બીજા ખાનામાં લખવો. આ બન્ને સિમકાર્ડ કયા નંબરના IMEI (15 આંકડાનો નંબર) પર હતા એની તમને જાણ હોવી જરૂરી છે. આ બન્ને માહિતી સ્લોટ મુજબ ખાનામાં ભરી દો. ત્યાર પછી ચોરાયેલો મોબાઇલ જે પણ કંપનીનો હોય એનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. ભારતમાં જેટલી પણ બ્રાંડના મોબાઇલ માર્કેટમાં સત્તાવાર રીતે વેચાય છે એ તમામનાં નામ આ વેબસાઇટ પર તમને મળી જશે. તમારો ફોન જે પણ કંપનીનો હોય એ કંપનીનું નામ સર્ચ કરીને સિલેક્ટ કરી લો. મોબાઇલની કંપની સિલેક્ટ કર્યા પછી એનો મોડેલ નંબર લખવો. કદાચ તમને મોડલ નંબર યાદ નથી તો આ ખાનું ખાલી છોડી દો, ભરવાની જરૂર નથી. આગળના ખાનામાં મોબાઇલ ખરીદીનું બિલ સ્કેન કરીને અપલોડ કરવાનું છે. ત્યાર પછીના ખાનામાં મોબાઇલની કિંમત લખવાની રહેશે. આ રીતે ફોર્મનો એક ભાગ પૂરો થયો. ફોર્મના બીજા ભાગમાં મોબાઇલ ફોન ક્યારે અને ક્યાંથી ચોરાયો કે ખોવાયો તેની માહિતી આપવાની છે. આ ભાગમાં તમામ માહિતી ફરજિયાતપણે ભરવાની રહેશે. મોબાઇલ ફોન કયા સ્થળેથી ખોવાયો, ક્યારે ખોવાયો (તારીખ અને સમય), લાગુ પડતું રાજ્ય કે કેન્દ્રશાસિત પ્રદેશ , જિલ્લો અને પોલીસ સ્ટેશન વિસ્તારની માહિતી આપવાની રહેશે. ખાસ નોંધવા જેવી વાત એ છે કે આ ફોર્મ ભરતા સમયે પોલીસ કમ્પ્લેન નંબર પર માગવામાં આવે છે. જો કોઈ વ્યક્તિએ આ બાબતની પોલીસ ફરિયાદ નોંધાવી હોય તો ત્યાંથી પોલીસ ફરિયાદની કોપી આપી હશે, એમાં FIR નંબર મળી જશે. જો FIR નહીં નોંધાવી હોય અને પોલીસને માત્ર અરજી જ આપી હશે તો પોલીસ સ્ટેશનથી અરજી નંબર પર મળી જશે, જે આ ખાનામાં ભરી શકાશે. ફોર્મના ત્રીજા ભાગમાં મોબાઇલ ફોનના માલિકની વિગતો ભરવાની હોય છે. મોબાઇલ ધારકનું નામ, સરનામું ઉપરાંત તમારા ઓળખના પુરાવા રૂપે આધારકાર્ડ, પાનકાર્ડ, ચૂંટણી કાર્ડ કે ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર લખવાનો રહેશે. આ સાથે જ એની સ્કેન કરેલી કોપી પણ અપલોડ કરવી. સરકાર માન્ય કોઈપણ ઓળખપત્ર ચાલી શકે છે. આ ઉપરાંત બાજુમાં ઈમેલ આઈડી લખવાનો વિકલ્પ છે. જોકે આ ફરજિયાત નથી. આટલી માહિતી આપ્યા પછી એક કેપ્ચાકોર્ડ લખવાનો હોય છે. ત્યાર પછી આગળ વધશો તો એક ખાનામાં મોબાઇલ નંબર લખવાનો રહેશે. ધ્યાન રહે કે તમે તમારો કે પરિવારજનનો અન્ય કોઈ નંબર લખી શકો છો. જો ફોન ગુમાવી દીધા બાદ તમે એ જ નંબરનો નવું સિમકાર્ડ લીધો હોય તો તમારો જ મોબાઇલ નંબર નાખી શકશો. આ નંબર પર એક OTP આવશે, જેને ફોર્મમાં લખીને ફોર્મ સબમીટ કરી દેશો. ત્યારે એક આઈડી નંબર જનરેટ થશે, જેને ખાસ નોંધી લેવો, કારણ કે આઈડી નંબર ફોન પરત મેળવવાની પ્રક્રિયામાં ઘણો કામ લાગશે. કોઈ તમારા ફોનમાં સીમકાર્ડ નાખશે તો બે મેસેજ ઓટોમેટિક જનરેટ થશે તમે એકવાર CEIR પર ફોર્મ ભરી દીધું પછી જ્યારે પણ તમારા ખોવાયેલા કે ચોરાયેલા ફોનમાં કોઈપણ વ્યક્તિ સિમકાર્ડ નાખવાનો પ્રયાસ કરશે તો મોબાઇલ બ્લોક થઈ જશે. આ ઉપરાંત નવું સિમકાર્ડ નાખવાનો પ્રયાસ થયો છે એવો બે જગ્યાએ મેસેજ પહોંચશે. એક મેસેજ તમને (મોબાઇલના માલિકને) મળશે અને બીજો મેસેજ તમે ફોર્મમાં જે પોલીસ સ્ટેશન સિલેક્ટ કર્યું છે ત્યાં સંબંધિત અધિકારીને મળશે. કયા IMEIવાળા ફોનમાં કયો સિમકાર્ડ નાખવાનો પ્રયાસ થયો છે એ માહિતી આ મેસેજમાં હશે. જો કોઈ વ્યક્તિ ચોરાયેલા કે ખોવાયેલા ફોનની FIR કરવા માગે તો એ માટે પણ પોલીસ સ્ટેશનનું પગથિયું ચડવાની જરૂર નથી, કારણ કે ગુજરાતમાં આવા કિસ્સામાં ઓનલાઇન પોલીસ ફરિયાદ કરી શકાય છે. https://ift.tt/fMNEKRw આ પોર્ટલ પર જઈને FIR નોંધાવી શકો છો. અમદાવાદ શહેર પોલીસના ઝોન-7ના નાયબ પોલીસ કમિશનર શિવમ વર્માએ દિવ્ય ભાસ્કરને જણાવ્યું, મોબાઇલ શોધવા માટે ભારત સરકારનું ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશનનું CEIR નામનું પોર્ટલ છે. પોર્ટલ પર ખોવાયેલા તેમજ ચોરાયેલા મોબાઇલની વિગતો આપી હતી. આમાં મોબાઇલની જૂની વિગત નાખવાથી કોઇ નવી વ્યક્તિ મોબાઇલનો ઉપયોગ કરતો હોય તો તેનો નંબર પોર્ટલ પર આવી જાય છે. આ નંબર પર ટેક્નિકલી એનાલિસિસ કરીને 15 દિવસમાં અથાગ પ્રયત્નો કરીને 256 મોબાઇલ ફોન રિકવર કર્યાં હતા. ભારત સરકાર દ્વારા આ પોર્ટલ 2023માં લોન્ચ કરવામાં આવ્યું હતું. તેનો ગુજરાત પોલીસ સારી રીતે સતત ઉપયોગ કરી રહી છે. છેલ્લા દોઢ દાયકામાં મોબાઇલનો ઉપયોગ ખૂબ વધ્યો. અવનવા ફિચર, ડિઝાઇન અને બ્રાંડનો ક્રેઝ એટલો છે કે હવે તો લોકો નવા ટુવ્હીલરની કિંમત કરતા પણ મોંઘા મોબાઇલ વાપરતા થયા છે. પરંતુ મોંઘા મોબાઇલ ચોરી થતા વાર નથી લાગતી. એટલે પોલીસ પણ આ મામલે ગંભીર બની છે. ગુજરાત પોલીસ તરફથી ચોરાયેલો, ખોવાયેલો, ગુમ થયેલો મુદ્દામાલ જે તે વ્યક્તિ પાસેથી રિકવર કર્યા પછી સંબંધિત વ્યક્તિને તેમની વસ્તુ પરત કરવા માટે તેરા તુજકો અર્પણ કાર્યક્રમ ચાલુ કર્યો છે. આ કાર્યક્રમ અંતર્ગત જેમની ચીજવસ્તુ મળી હોય તે પરત કરવામાં આવે છે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા જાન્યુઆરીથી 3 સપ્ટેમ્બર, 2025 સુધીમાં 5.50 કરોડ રૂપિયાથી વધુની કિંમતના અંદાજે 4 હજાર મોબાઇલ ફોન રિકવર કરવામાં સફળતાં મેળવી છે. આ રિકવર કરાયેલાં મોબાઇલ ઉપરાંત વાહનો તેમજ અન્ય ચીજવસ્તુઓ અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી.એસ.મલિક દ્વારા 3 સપ્ટેમ્બર, 2025ના રોજ ટાઉનહોલ ખાતે યોજાયેલા તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી તથા રાજ્યના પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાયની હાજરીમાં નાગરિકોને પરત કરવામાં આવ્યા હતા. જેમાં 5 કરોડ 63 લાખ રૂપિયાના મોબાઇલ ઉપરાંત 14.32 લાખની કિંમતના 21 વાહનો તેમ જ 24.82 કરોડની કિંમતની અન્ય ચીજવસ્તુઓ પણ શહેરીજનોને પરત કરવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...