Skip to main content

ખેડૂતોની દિવાળી સુધરી: કૃષિ મંત્રી જીતુ વાઘાણીની મોટી જાહેરાત! ગુજરાત સરકાર દ્વારા ₹947 કરોડનું રાહત પેકેજ જાહેર


<p><strong>Gujarat farmer relief:</strong> ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી જીતુ વાઘાણીએ ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માં પડેલા ભારે વરસાદને કારણે પાકને થયેલા નુકસાન માટે ખેડૂતોને મોટી રાહત આપી છે. રાજ્ય સરકારે 5 જિલ્લાના 18 તાલુકાના 800 ગામોના અસરગ્રસ્ત ખેડૂતો માટે કુલ ₹947 કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે. આમાં SDRF માંથી ₹563 કરોડ અને રાજ્યના બજેટમાંથી વધારાના ₹384 કરોડ નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવવાની કાયમી સમસ્યાના નિવારણ માટે ₹2500 કરોડ ના વિશેષ પ્રોજેક્ટની જોગવાઈ પણ કરવામાં આવી છે. રાજ્ય સરકારે આ પેકેજ દ્વારા ખેડૂતોને દિવાળીની મોટી ભેટ આપી છે.</p> <p><strong>ભારે વરસાદના કારણે પાક નુકસાની: </strong><strong>5 </strong><strong>જિલ્લાના ખેડૂતોને સહાય</strong></p> <p>ચાલુ વર્ષે ઓગસ્ટ અને સપ્ટેમ્બર 2025 માસમાં રાજ્યમાં થયેલા મુશળધાર વરસાદને કારણે ગુજરાતના ખેતીપાકોમાં મોટા પાયે નુકસાન થયું હતું. ખાસ કરીને જૂનાગઢ, પંચમહાલ, કચ્છ, પાટણ, અને વાવ-થરાદ જેવા 5 જિલ્લાઓના 18 તાલુકાના લગભગ 800 ગામોમાં કૃષિપાકને ભારે નુકસાન થયું હતું. આ નુકસાનીના અહેવાલો મળતા, રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અને તેમની દિવાળી સુધારવાના ઉદ્દેશથી એક મોટું કૃષિ રાહત પેકેજ જાહેર કર્યું છે.</p> <p>રાજ્ય સરકાર દ્વારા કુલ ₹947 કરોડ નું કૃષિ રાહત પેકેજ જાહેર કરવામાં આવ્યું છે. આ સહાય પેકેજમાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) ની જોગવાઈ મુજબ ₹563 કરોડ અને રાજ્ય સરકારે ઉદાર અભિગમ અપનાવીને રાજ્યના બજેટમાંથી વધારાની ₹384 કરોડ ની સહાય ઉમેરી છે. આ સહાય ખરીફ ઋતુમાં વાવેતર કરેલ મુખ્યત્વે દિવેલા, ઘાસચારો, બાજરી, કપાસ, મગફળી, શાકભાજી અને કઠોળ પાકો તેમજ દાડમ જેવા બાગાયતી પાકોમાં થયેલા નુકસાન બદલ ચૂકવવામાં આવશે.</p> <p><strong>ખેડૂતો માટે વિશેષ સહાય અને કાયમી ઉકેલની જોગવાઈ</strong></p> <ol> <li>બિનપિયત ખેતી પાકો: 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર ₹12,000 લેખે, જેમાં SDRF ના ₹8,500 અને રાજ્ય બજેટના ₹3,500 નો સમાવેશ થાય છે.</li> <li>વર્ષાયુ/પિયત પાકો: 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર ₹22,000 લેખે, જેમાં SDRF ના ₹17,000 અને રાજ્ય બજેટના ₹5,000 નો સમાવેશ થાય છે.</li> <li>બહુવર્ષાયુ બાગાયતી પાકો: 33% કે તેથી વધુ નુકસાન માટે પ્રતિ હેક્ટર ₹27,500 લેખે, જેમાં SDRF ના ₹22,500 અને રાજ્ય બજેટના ₹5,000 નો સમાવેશ થાય છે.</li> </ol> <p>તમામ કિસ્સાઓમાં, આ સહાય ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં ચૂકવવામાં આવશે.</p> <p>આ ઉપરાંત, વાવ-થરાદ અને પાટણ જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં ભૌગોલિક પરિસ્થિતિના કારણે વારંવાર ખેતરોમાં લાંબા સમય સુધી પાણી ભરાવવાની સમસ્યા ઉભી થાય છે. આ સમસ્યાના કાયમી નિવારણ માટે રાજ્ય સરકારે 'ફ્લડ મિટિગેશન મેઝર્સ' તરીકે એક ખાસ પ્રોજેક્ટ જાહેર કર્યો છે, જેના માટે અલગથી ₹2500 કરોડ ની જોગવાઈ કરવામાં આવશે.</p> <p>વિશેષ રાહત તરીકે, વાવ-થરાદ અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે હજુ સુધી પાણી ભરાયેલા હોય અને ખેડૂતોને રવિ પાક વાવવામાં મુશ્કેલીઓ પડતી હોય તેવા અસરગ્રસ્ત ખેડૂતોને જમીન સુધારણાની કામગીરી માટે રાજ્ય <a title="બજેટ" href="https://ift.tt/zDAf0Lr" data-type="interlinkingkeywords">બજેટ</a>માંથી પ્રતિ હેક્ટર ₹20,000 ની આર્થિક સહાય ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં આપવામાં આવશે. આ રીતે, રાજ્ય સરકારે ખેડૂતો માટે કુલ ₹3447 કરોડ ની મોટી જાહેરાત કરી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...