Skip to main content

Gujarat Rain: છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 239 તાલુકામાં કમોસમી વરસાદ, સૌથી વધુ રાજુલામાં 8.50 ઈંચ વરસાદ


<p>રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 239 તાલુકામાં કમોસમી વરસાદ વરસ્યો હતો. મળતી જાણકારી અનુસાર, રાજ્યમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ રાજુલામાં 8.50 ઈંચ વરસાદ વરસ્યો હતો.</p> <p><strong>જાણો ક્યાં થયો કેટલો વરસ્યો વરસાદ?</strong></p> <p>છેલ્લા 24 કલાકમાં ભાવનગરના મહુવામાં 7.24 ઈંચ વરસાદ, સૂત્રાપાડામાં 6.85 ઈંચ વરસાદ,ઉનામાં 5.55 ઈંચ વરસાદ, ગળતેશ્વરમાં 5.55 ઈંચ વરસાદ, લીલીયામાં 5.39 ઈંચ વરસાદ, ગીર ગઢડામાં 5.16 ઈંચ વરસાદ,વેરાવળ 4.92 ઈંચ વરસાદ,સાવરકુંડલામાં 4.88 ઈંચ વરસાદ, કોડીનારમાં 4.84 ઈંચ વરસાદ, ખાંભા અને વડોદરામાં 4.80 ઈંચ વરસાદ, બારડોલી, વલ્લભીપુરમાં 4.17 ઈંચ વરસાદ, મેઘરજ, ઉમરપાડા, વાગરામાં 3.74 ઈંચ વરસાદ, બાલાસિનોરમાં 3.54 ઈંચ વરસાદ, નડિયાદમાં 3.46 ઈંચ વરસાદ, જેસરમાં 3.19 ઈંચ વરસાદ, કડાણા અને ખાનપુરમાં 2.99 ઈંચ વરસાદ, તાલાલા, નાંદોદ, મહિસાગરના વીરપુરમાં 2.95 ઈંચ વરસાદ વરસ્યો હતો.</p> <p><strong>રાજ્યમાં </strong><strong>આજથી </strong><strong>વરસાદના </strong><strong>જોરમાં </strong><strong>આંશિક </strong><strong>ઘટાડો</strong></p> <p>સવારે 6થી 8 વાગ્યા સુધીમાં 57 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. સૂત્રાપાડામાં સૌથી વધુ 1.06 ઈંચ વરસાદ વરસ્યો હતો. તે સિવાય મોરવા હડફમાં 0.79 ઈંચ વરસાદ, તાલાલામાં 0.71 ઈંચ વરસાદ, જૂનાગઢના માંગરોળમાં 0.67 ઈંચ વરસાદ, ચુડામાં 0.55 ઈંચ વરસાદ, વેરાવળમાં 0.55 ઈંચ વરસાદ, કોડીનારમાં 0.51 ઈંચ વરસાદ, માળિયા હાટિનામાં 0.50 ઈંચ વરસાદ, સિહોર, ભેંસાણમાં 0.50 ઈંચ વરસાદ, કેશોદ અને મેંદરડામાં 0.40 ઈંચ વરસાદ વરસ્યો હતો.&nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp; &nbsp;</p> <p><strong>13 જિલ્લામાં વરસાદની આગાહી</strong></p> <p>અરબી સમુદ્રમાં સર્જાયેલા ડિપ્રેશનના કારણે છેલ્લા ચાર દિવસથી જગતનો તાત માવઠાનો માર સહન કરી રહ્યો છે. આજે હવામાન વિભાગની દિવસ દરમિયાનની આગાહીની વાત કરીએ તો એક પણ જિલ્લામાં રેડ એલર્ટ નથી. એટલે કે અતિભારે વરસાદનું ક્યાંય અનુમાન વ્યકત કરાયું નથી. માત્ર આજના દિવસે 13 જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું અનુમાન વ્યકત કરાયું છે. હવામાન વિભાગે આપેલા યલો એલર્ટ વાળા જિલ્લાની વાત કરીએ તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, દ્વારકાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત પોરબંદર,જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડનો સમાવેશ થાય છે. એકંદરે આજથી રાજ્યમાં વરસાદનું જોર ધીમે ધીમે ઘટશે. દરિયાકાંઠાના વિસ્તારો સિવાય આજે વરસાદની નહીંવત શક્યતા હોવાની આગાહી કરવામાં આવી છે.&nbsp; &nbsp; &nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...