Skip to main content

Gujarat Weather: રાજ્યના આ વિસ્તાર માટે આગામી 3 કલાક ભારે, હવામાન વિભાગે કરી વરસાદની આગાહી


<p style="text-align: justify;"><strong>Gujarat Weather:</strong> ગુજરાત હવામાન વિભાગે આગામી ત્રણ કલાક માટે નાઉકાસ્ટ (તાત્કાલિક આગાહી) જાહેર કરી છે, જે મુજબ રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી હળવા વરસાદની શક્યતા છે:</p> <p style="text-align: justify;">ભારે વરસાદની આગાહી: અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે પવન અને ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.</p> <p style="text-align: justify;">મધ્યમ વરસાદની આગાહી: જૂનાગઢ, ભાવનગર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં મધ્યમ વરસાદની શક્યતા છે.</p> <p style="text-align: justify;">હળવા વરસાદની આગાહી: પોરબંદર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, આણંદ, વડોદરા, છોટાઉદેપુર, પંચમહાલ, દાહોદ અને ખેડામાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.</p> <h4 class="abp-article-title">આ તારીખ સુધી માવઠાનું જોર રહેશે</h4> <p>હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ અરબી સમુદ્રમાં સર્જાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન ને કારણે ગુજરાતમાં આગામી 2 નવેમ્બર સુધી કમોસમી વરસાદ (માવઠા) ની આગાહી કરી છે. આ વરસાદની તીવ્રતા 25 થી 30 ઓક્ટોબર દરમિયાન વધુ રહેશે, જ્યારે 31 ઓક્ટોબરથી 2 નવેમ્બર દરમિયાન તેમાં ઘટાડો થશે. સૌથી વધુ અસર સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાત માં જોવા મળશે. સૌરાષ્ટ્રના ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જેવા જિલ્લાઓમાં 1 થી 2 ઇંચ કે તેથી વધુ વરસાદ પડી શકે છે. દક્ષિણ ગુજરાતના ભરૂચ, સુરત, વલસાડ, નવસારી સહિતના તમામ વિસ્તારોમાં પણ 0.5 થી 1.5 ઇંચ વરસાદની સંભાવના છે. ખેડૂતોને તૈયાર પાકને તાત્કાલિક સાચવી લેવા માટે સાવચેતી રાખવા સૂચન કરવામાં આવ્યું છે.</p> <p><strong>માવઠાની તીવ્રતા:&nbsp;</strong><strong>25&nbsp;</strong><strong>થી&nbsp;</strong><strong>30&nbsp;</strong><strong>ઓક્ટોબર દરમિયાન વધુ રહેશે</strong></p> <p>હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી એ અગાઉ આપેલી આગાહી મુજબ, ગુજરાતમાં કમોસમી વરસાદ (માવઠું) આજથી એટલે કે 25 ઓક્ટોબર થી શરૂ થઈ ગયો છે અને તે 2 નવેમ્બર સુધી ચાલુ રહેવાની સંભાવના છે. આ વરસાદ પાછળનું મુખ્ય કારણ અરબી સમુદ્રમાં બનેલું સાયક્લોનિક સર્ક્યુલેશન છે, જે ધીમે ધીમે ઉત્તર-પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે અને આગામી દિવસોમાં ડિપ્રેશનમાં મજબૂત થવાની શક્યતા છે. આ સિસ્ટમ ગુજરાત પાસેથી પસાર થતાં તેનો અસરગ્રસ્ત ઝોન (Shear Zone) રાજ્યના મોટા ભાગ પરથી પસાર થશે.</p> <p>પરેશ ગોસ્વામીના મતે, માવઠાની સૌથી વધુ તીવ્રતા અને અસર 25 થી 30 ઓક્ટોબર સુધી જોવા મળશે. ત્યારબાદ, 31 ઓક્ટોબર, 1 અને 2 નવેમ્બર ના રોજ વરસાદની શક્યતા અને તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થશે. આ માવઠાનો સૌથી વધુ પ્રભાવ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાત ના વિસ્તારોમાં જોવા મળશે.</p> <p><strong>દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી</strong></p> <p>દક્ષિણ ગુજરાત માં લગભગ તમામ કેન્દ્રોમાં વરસાદની શક્યતા છે. જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બિલીમોરા, ડાંગ, અને નવસારી સહિતના વિસ્તારોમાં 0.5 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડવાનું અનુમાન છે, જ્યારે એક-બે સેન્ટરમાં 1.5 ઇંચ થી વધુ વરસાદ પણ નોંધાઈ શકે છે. જોકે, આ વિસ્તારના 50 થી 60% ભાગમાં જ વરસાદ થવાની શક્યતા છે, સાર્વત્રિક વરસાદની સંભાવના ઓછી છે.</p> <p>સૌરાષ્ટ્ર માં પણ તમામ સેન્ટર્સ પર વરસાદની શક્યતા છે, પરંતુ સૌથી વધુ તીવ્રતા નીચેના ચાર જિલ્લામાં જોવા મળશે:</p> <ol> <li>ભાવનગર</li> <li>અમરેલી</li> <li>ગીર સોમનાથ</li> <li>જૂનાગઢ</li> </ol> <p>આ ચાર જિલ્લામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ અને એક-બે સેન્ટરમાં 2 ઇંચ કરતાં વધુ વરસાદ પણ પડી શકે છે, જોકે અહીં પણ 50-60% વિસ્તારમાં જ વરસાદ જોવા મળી શકે છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...