Skip to main content

રાજકોટમાં 23.91 લાખમાંથી 1.66 લાખ મતદારોના નામ રદ:SIR અંતર્ગત 8 વિધાનસભાની ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર, 18 મી જાન્યુઆરી સુધી વાંધા અરજી રજૂ કરી શકાશે, 27 ફેબ્રુઆરીએ ફાઇનલ મતદાર યાદી


https://ift.tt/MxclEIe ભારતના ચૂંટણી પંચ દ્વારા તા.27 ઓક્ટોબરના Special Intensive Revision (SIR) એટલે કે 'ખાસ સઘન સુધારણા' કાર્યક્રમની જાહેરાત કરવામાં આવી હતી. જે બાદ તા.4 નવેમ્બરથી તા.14 ડિસેમ્બર દરમ્યાન Enumeration Form (EF) ગણતરી ફોર્મનો સમયગાળો નકકી કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા 23.91 લાખ મતદારોની ચકાસણી પૂર્ણ થઈ ચૂકી છે. જેમાં 89,553 મૃત મતદારો મળી આવ્યા છે. જ્યારે 58,942 મતદારો સ્થળ પર હાજર મળી આવ્યા નથી તો 10,736 મતદારો ડુપ્લીકેટ મતદારો હોવાથી તેઓના નામ ડ્રાફટ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. જ્યારે 7304 મતદારોના અન્ય કારણોથી નામ દૂર કરવામાં આવ્યા છે. આમ કુલ 1,66,535 મતદારોના નામ રદ થયા છે. આજે 19 ડિસેમ્બરના ડ્રાફ્ટ મતદાર યાદી જાહેર કર્યા બાદ હવે વર્ષ 2026માં 18 જાન્યુઆરી સુધી વાંધા અરજી કરી શકાશે. જેઓના હિયરિંગ બાદ 17 ફેબ્રુઆરીના ફાઇનલ મતદાર યાદી જાહેર કરવામાં આવશે. રાજકોટ જિલ્લા કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ જિલ્લાની 8 વિધાનસભા મત વિસ્તારમાં સમાવિષ્ટ કુલ 23,91,027 મતદારોની BLO દ્વારા ખરાઈ કરવામાં આવી. જેમાંથી 8,23,668 મતદારોની વર્ષ 2002 ની મતદારયાદી સાથે સેલ્ફ મેપિંગ કરવામાં આવ્યું હતુ. જ્યારે 10,06,177 મતદારોનું વંશાવલી એટલે કે Progeny Mapping કરવામાં આવ્યુ હતુ. જ્યારે 2,25,512 મતદારો એવા છે કે જેઓનું મેપિંગ થઈ શક્યુ નથી. આ સાથે જ 89,553 મતદારો અવસાન પામ્યા હોવાનું સામે આવ્યુ છે. તેથી તેઓના નામો ડ્રાફટ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. આ ઉપરાંત 58,942 મતદારો સ્થળ ઉપર હાજર મળી આવ્યા નથી. જેથી તેઓના નામ પણ ડ્રાફટ મતદારયાદીમાંથી દૂર કરવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાં 1,69,135 મતદારો કાયમી સ્થળાંતર થયેલા છે. જ્યારે 10,736 મતદારો ડુપ્લીકેટ મતદારો હોવાથી તેઓના નામ ડ્રાફટ મતદારયાદીમાંથી કમી કરવામાં આવ્યા છે. જ્યારે 7304 મતદારોના અન્ય કારણોથી નામ દૂર કરવામાં આવ્યા છે. SIR ની કામગીરી દરમિયાન અત્યાર સુધીમાં રાજકીય પક્ષો સાથે 5 બેઠકો કરવામાં આવી છે. જે બાદ આજે 19 ડિસેમ્બરના જિલ્લામાં સમાવિષ્ટ તમામ 8 વિધાનસભા મતવિસ્તારની 'ખાસ સધન સુધારણા' કાર્યક્રમ અંતર્ગત ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદારયાદી (કાચી મતદાર યાદી) જાહેર કરવામાં આવેલી છે. તેમણે જણાવ્યું કે, આ યાદી કલેક્ટર કચેરી, તમામ મતદાર નોંધણી અધિકારીની કચેરી, મામલતદાર કચેરી/મદદનીશ મતદાર નોંધણી અધિકારીની કચેરી અને નિયુક્ત મતદાન મથકો પર જોઈ શકાશે. આ ઉપરાંત CEO Gujarat ની વેબસાઈટ પર પણ ઉપલબ્ધ છે. આ પ્રક્રિયામાં સંપૂર્ણ પારદર્શિતા રહે તે માટે તમામ માન્ય રાજકીય પક્ષોના પ્રતિનિધિઓને ડ્રાફ્ટ રોલની નકલી સોંપવામાં આવી છે. જેમાં ગેરહાજર, સ્થળાંતરિત અને મૃતક મતદારોની યાદી અલગથી તૈયાર કરી રાજકીય પક્ષોને અપાઈ છે. જેથી કોઈ ખોટા નામ રદ ન થાય તેની ખાતરી કરી શકાય. હવે 19 ડિસેમ્બર થી 18 જાન્યુઆરી સુધીમાં હક્ક-દાવા અને વાંધા અરજી રજૂ કરી શકાશે. જ્યારે 19 ડિસેમ્બરથી 10 ફેબ્રુઆરી,2026 સુધીમાં નોટીસનો તબકકો ચાલશે. જેમાં નોટીસ ઇશ્યુ કરવાની સાથે સુનાવણી અને ચકાસણી કરવામાં આવશે. આ દરમિયાન જેમની ઉંમર 1 જાન્યુઆરી, 2026 ના 18 વર્ષ પૂર્ણ થતી હોય તેવો નવું નામ નોંધાવવા માટે ફોર્મ નં.6 ભરી શકે છે. નામ રદ કરવા માટે ફોર્મ નં.7, નામ કે વિગતોમાં સુધારા-વધારા અથવા સરનામું બદલવા માટે ફોર્મ નં.8 ભરવાનું રહેશે. આખરી મતદાર યાદીની પ્રસિદ્ધિ 17 ફેબ્રુઆરી, 2026 ના રોજ થશે. SIR પ્રક્રિયા દરમિયાન જે મતદારોનું 2002 ની મતદારયાદી સાથે મેપીંગ થયેલ ન હોય તેવા મતદારોને નિયત પુરાવા રજૂ કરવા વિનંતી છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...