Skip to main content

3002 વિદ્યાર્થીઓના મોત બાદ ગુજરાત સરકાર જાગી! કોલેજો માટે જાહેર કરી નવી ગાઈડલાઈન, વાલીઓ ખાસ વાંચે


<p><strong>gujarat government guidelines:</strong> ગુજરાતમાં શિક્ષણ જગત માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા હતા, જેમાં વિદ્યાર્થીઓના આપઘાત (Student Suicide) ના કેસો સતત વધી રહ્યા છે. આ ગંભીર સ્થિતિને કાબૂમાં લેવા માટે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગે કડક વલણ અપનાવ્યું છે. સરકારે હવે રાજ્યની તમામ કોલેજો, યુનિવર્સિટીઓ અને ખાનગી કોચિંગ સેન્ટર્સ માટે નવી ગાઈડલાઈન (Guidelines) જાહેર કરી છે. જે અંતર્ગત દરેક શૈક્ષણિક સંસ્થામાં 'મેન્ટલ હેલ્થ પોલિસી' (Mental Health Policy) લાગુ કરવી હવે ફરજિયાત બની ગઈ છે.</p> <p><strong>100 વિદ્યાર્થીએ એક કાઉન્સેલરનો કડક નિયમ</strong></p> <p>નવી ગાઈડલાઈન મુજબ, હવે દરેક કોલેજ અને યુનિવર્સિટીમાં દર 100 વિદ્યાર્થીએ ઓછામાં ઓછો 1 લાયકાત ધરાવતો કાઉન્સેલર (Counselor) રાખવો ફરજિયાત રહેશે. જે સંસ્થાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા 100 કરતા ઓછી છે, તેમણે બાહ્ય માનસિક સ્વાસ્થ્ય નિષ્ણાતો સાથે રેફરલ વ્યવસ્થા ગોઠવવી પડશે. ખાસ કરીને પરીક્ષા સમયે કે અભ્યાસના ભારણ વખતે વિદ્યાર્થીઓને ગુપ્ત અને યોગ્ય માર્ગદર્શન મળી રહે તે સુનિશ્ચિત કરવું પડશે.</p> <p><strong>કોચિંગ ક્લાસની મનમાની પર બ્રેક</strong></p> <p>ખાનગી કોચિંગ સંસ્થાઓ (Coaching Institutes) માં વિદ્યાર્થીઓ વચ્ચે થતી સ્પર્ધા ઘણીવાર જીવલેણ સાબિત થાય છે. સરકારે આદેશ આપ્યો છે કે હવે કોચિંગ ક્લાસ પરફોર્મન્સ કે માર્ક્સના આધારે વિદ્યાર્થીઓ સાથે ભેદભાવ કરી શકશે નહીં. વિદ્યાર્થીઓને જાહેરમાં અપમાનિત કરવા કે તેમના પર અવાસ્તવિક અપેક્ષાઓનું દબાણ (Academic Pressure) લાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.</p> <p><strong>હેલ્પલાઈન નંબર અને સ્ટાફ ટ્રેનિંગ</strong></p> <p>આત્મહત્યા નિવારણ (Suicide Prevention) માટે સંસ્થાઓએ તાત્કાલિક રેફરલ પ્રોટોકોલ તૈયાર કરવાનો રહેશે. કોલેજ કેમ્પસ, ક્લાસરૂમ, હોસ્ટેલ અને વેબસાઈટ પર મેન્ટલ હેલ્થ હેલ્પલાઈન નંબરો અને નજીકની હોસ્પિટલની વિગતો મોટા અક્ષરે દર્શાવવી પડશે. આ ઉપરાંત, શિક્ષકો અને સ્ટાફને વર્ષમાં ઓછામાં ઓછી 2 વખત મેન્ટલ હેલ્થ ફર્સ્ટ એઈડ અને વોર્નિંગ સાઈન્સ ઓળખવા અંગેની તાલીમ આપવાની રહેશે.</p> <p><strong>સલામતી અને સમાવેશી વાતાવરણ</strong></p> <p>સરકારે SC, ST, OBC, EWS અને LGBTQ+ સમુદાયના વિદ્યાર્થીઓ માટે ભેદભાવ મુક્ત વાતાવરણ ઉભું કરવા પર ભાર મૂક્યો છે. રેગિંગ (Ragging) અને સતામણી સામે કડક પગલાં લેવાશે. હોસ્ટેલોમાં વિદ્યાર્થીઓની સુરક્ષા માટે ચેડાં ન થઈ શકે તેવા પંખા (Anti-suicide fans) અને બાલ્કનીમાં ગ્રીલ લગાવવા જેવા ભૌતિક ફેરફારો કરવાના પણ નિર્દેશો અપાયા છે.</p> <p><strong>ગુજરાતમાં ચિંતાજનક આંકડા (NCRB Data)</strong></p> <p>નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરો (NCRB) ના આંકડા ચોંકાવનારા છે. ગુજરાતમાં વર્ષ 2017 થી 2021 દરમિયાન કુલ 3,002 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે. જેનો અર્થ છે કે રાજ્યમાં દરરોજ સરેરાશ 1 થી 2 વિદ્યાર્થીઓ જીવન ટૂંકાવે છે. એપ્રિલ 2020 થી માર્ચ 2023 વચ્ચે 495 વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી, જેમાં 246 વિદ્યાર્થીનીઓ હતી. આ આંકડા શિક્ષણ વ્યવસ્થા અને વાલીઓ માટે લાલ બત્તી સમાન છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...