Skip to main content

ABRSM ગુજરાત-પ્રાંતે રાજ્ય સ્તરીય સંગોષ્ઠીનું આયોજન કર્યું:NEP-2020 અને અનુસ્નાતક કાર્યક્રમો પર ચર્ચા કરાઈ


https://ift.tt/W1mg5De અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, ગુજરાત-પ્રાંત, ઉચ્ચ શિક્ષણ સંવર્ગ (ABRSM-Gujarat) દ્વારા એક દિવસીય રાજ્ય સ્તરીય સંગોષ્ઠીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં શિક્ષણ જગતના અગ્રણીઓ અને 180 જેટલા વિવિધ કોલેજોના આચાર્યશ્રીઓ તેમજ અધ્યાપકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કુલગુરુ ડો. કે. સી. પોરીયાએ પ્રાસંગિક ઉદબોધન આપતા શિક્ષણમાં આવતા બદલાવોને આવકારવા અને ગુણવત્તાસભર શિક્ષણ પર ભાર મૂક્યો હતો. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના બોર્ડ ઑફ મેનેજમેન્ટના સિનિયર સભ્ય દિલીપભાઈ ચૌધરીએ પ્રાસંગિક પ્રવચન દ્વારા શિક્ષણ જગતમાં સંગઠનની ભૂમિકા સ્પષ્ટ કરી હતી. આ સંગોષ્ઠીના મુખ્ય વક્તા કે. કે. પટેલ (H.O.D., હોસ્પિટલ મેનેજમેન્ટ વિભાગ, હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ) એ "NEP-2020 હેઠળ એક વર્ષીય VS બે વર્ષીય અનુસ્નાતક કાર્યક્રમ: પાત્રતા, માળખું અને પરિણામો" વિષય પર વ્યાખ્યાન આપ્યું હતું. તેમણે તેમના વક્તવ્યમાં નવી શિક્ષણ નીતિ (NEP-2020) મુજબ અનુસ્નાતક (PG) અભ્યાસક્રમમાં થયેલા બદલાવોની ઝીણવટભરી માહિતી આપી. તેમણે કયા સંજોગોમાં એક વર્ષ અને કયા સંજોગોમાં બે વર્ષનો અભ્યાસક્રમ રહેશે, વિદ્યાર્થીઓની પાત્રતાના માપદંડો અને નવા માળખાથી વિદ્યાર્થીઓને મળનારી શૈક્ષિક સુગમતા વિશે સમજ આપી. વધુમાં, તેમણે આ ફેરફારોથી ઉચ્ચ શિક્ષણના સ્તરમાં કેવો સકારાત્મક સુધારો આવશે અને રોજગારીની તકો પર તેની શું અસર પડશે તેની તાર્કિક રજૂઆત કરી હતી. ABRSM ગુજરાત-પ્રાંત (ઉચ્ચ શિક્ષણ સંવર્ગ) ના અધ્યક્ષશ્રી ડૉ. રોહિતભાઈ એન. દેસાઈના માર્ગદર્શન હેઠળ આ સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન થયું હતું. તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે મહાસંઘ માત્ર અધ્યાપકોના પ્રશ્નો જ નહીં, પરંતુ રાષ્ટ્રહિતમાં શિક્ષણના પ્રશ્નો માટે પણ સતત કાર્યરત છે. તેમણે RSS દ્વારા પ્રેરિત 'પંચ પરિવર્તન' (કુટુંબ પ્રબોધન, પર્યાવરણ સંરક્ષણ, સ્વદેશી જીવનશૈલી, સામાજિક સમરસતા અને નાગરિક કર્તવ્ય) ની વિગતે ચર્ચા કરી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે સંગઠન માત્ર અધ્યાપકો માટે જ નહીં, પણ વિદ્યાર્થીઓના પાઠ્યક્રમ અને તેમના ભવિષ્યની પણ એટલી જ ચિંતા કરે છે. આ સંગોષ્ઠી શિક્ષણવિદો માટે વૈચારિક આદાન-પ્રદાનનું એક સબળ માધ્યમ બની રહી. NEP-2020ના અમલીકરણ અને શૈક્ષિક સંગઠનની સામાજિક જવાબદારીઓ અંગેના આ કાર્યક્રમે ઉપસ્થિત તમામ શિક્ષણવિદોમાં નવી ઉર્જાનો સંચાર કર્યો હતો. સંગોષ્ઠીની પૂર્ણાહુતિ "રાષ્ટ્રના હિતમાં શિક્ષણ, શિક્ષણના હિતમાં અધ્યાપક અને અધ્યાપકના હિતમાં સમાજ" ના સૂત્ર સાથે થઈ હતી.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...