Skip to main content

મારવાડી યુનિવર્સિટીએ AI સ્નેક રોબોટ વિકસાવ્યો:ભૂકંપ બચાવ કામગીરીમાં કાટમાળ નીચે દટાયેલા લોકોને શોધશે


https://ift.tt/YMO1eLr મારવાડી યુનિવર્સિટીના સંશોધકોએ ભૂકંપ અને અન્ય આપત્તિઓમાં બચાવ કામગીરી માટે AI આધારિત સર્પાકાર (સ્નેક) રોબોટ વિકસાવ્યો છે. આ રોબોટ ખાસ કરીને ઇમારતો ધરાશાયી થવા કે રાસાયણિક દુર્ઘટનાઓ જેવી ગંભીર પરિસ્થિતિઓમાં કાટમાળ નીચે દટાયેલા જીવિત અથવા મૃત લોકોને શોધવામાં મદદરૂપ થશે. આ સ્નેક રોબોટનું શરીર સાપ જેવી લચીલાશ ધરાવે છે, જેના કારણે તે સંકુચિત જગ્યાઓ, તૂટેલા કૉન્ક્રિટના ઢગલાં અને અનિયમિત માળખાંમાંથી સરળતાથી પસાર થઈ શકે છે. રોબોટ સાથે જોડાયેલ હાઈ-રિઝોલ્યુશન કેમેરા અને અન્ય સેન્સર ગ્રાઉન્ડ કંટ્રોલ સેન્ટરને લાઇવ વિડિયો ફીડ મોકલે છે, જેના આધારે બચાવ ટીમ તાત્કાલિક નિર્ણય લઈ શકે છે. રોબોટમાં ઉપયોગમાં લેવાયેલ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સિસ્ટમ વિડિયો ફીડમાં નરી આંખે સ્પષ્ટ ન દેખાતા માનવ અંગો, હલનચલન અથવા શરીરના સંકેતોને પણ ઓળખી શકે છે. આનાથી બચાવ કામગીરી વધુ ઝડપી, ચોક્કસ અને સુરક્ષિત બનશે, જે આપત્તિના સમયમાં જીવ બચાવવાની સંભાવનામાં નોંધપાત્ર વધારો કરશે. આ સંશોધન અંગે પ્રોજેક્ટના ઇન્વેસ્ટિગેટર શ્રી રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, "ભૂકંપ જેવી આપત્તિમાં દટાયેલા લોકો માટે દરેક સેકન્ડ અમૂલ્ય હોય છે. ઘણી વખત UAV અથવા ડ્રોન ટેક્નોલોજી આવી પરિસ્થિતિઓમાં અસરકારક સાબિત થતી નથી. 2001ના ભૂકંપ જેવી હોનારતોને ધ્યાનમાં રાખીને, દેશને એવી સ્વદેશી ટેક્નોલોજીની જરૂર છે જે સીધી રીતે બચાવ ટીમ અને પીડિતોની મદદ કરી શકે." તેમણે ઉમેર્યું કે તાજેતરની AI ક્રાંતિ આ ક્ષેત્રમાં ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે. આ વિચાર સાથે વિકસાવાયેલ સર્પાકાર રોબોટ 3D પ્રિન્ટિંગ ટેક્નોલોજીની મદદથી બનાવવામાં આવ્યો છે. આ રોબોટ વિવિધ પ્રકારના કેમેરા અને સેન્સર સાથે કાર્ય કરી શકે છે, જેના દ્વારા જીવિત તથા મૃત વ્યક્તિ વિશેની માહિતી તરત પ્રાપ્ત થઈ શકે છે. આ સંશોધન પ્રોજેક્ટમાં મારવાડી યુનિવર્સિટીના સહ-પ્રાધ્યાપકો ડો. તપનકુમાર ત્રિવેદી અને અક્ષય રાણપરીયા પણ સંકળાયેલા છે. આ અભ્યાસને આંતરરાષ્ટ્રીય પ્રતિષ્ઠિત જર્નલ Scientific Reports (Nature Publishing Group) માં પ્રકાશિત કરવામાં આવ્યો છે, જે આ સંશોધનની વૈશ્વિક મહત્વતા દર્શાવે છે. આ સંશોધન કાર્ય ગુજરાત સરકારની Gujarat Council on Science and Technology (GUJCOST) દ્વારા સંચાલિત Science Technology Innovation Scheme હેઠળ સહાય પ્રાપ્ત કરીને કરવામાં આવ્યું છે.આ AI આધારિત સ્નેક રોબોટ ભવિષ્યમાં આપત્તિ વ્યવસ્થાપન ક્ષેત્રે ભારતને સ્વદેશી અને અદ્યતન ટેક્નોલોજી સાથે વધુ સશક્ત બનાવશે અને અનેક અમૂલ્ય જીવ બચાવવામાં મદદરૂપ બનશે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...