Skip to main content

ગુજરાતને મળશે નવા DGP? વિકાસ સહાયની વિદાય નક્કી, આ ઓફીસરનું નામ રેસમાં મોખરે


<p><strong>Gujarat new DGP appointment 2025:</strong> ગુજરાત પોલીસ બેડામાં આજે મોટા ફેરફારના સંકેતો મળી રહ્યા છે. રાજ્યના પોલીસવડા (DGP) વિકાસ સહાયનો કાર્યકાળ આજે પૂર્ણ થઈ રહ્યો છે. અગાઉ તેમને એક્સ્ટેન્શન મળ્યું હતું, પરંતુ હવે નવા એક્સ્ટેન્શનની શક્યતાઓ પર પૂર્ણવિરામ મુકાઈ ગયું હોય તેવું લાગે છે. સુત્રોના જણાવ્યા મુજબ, 1992 ની બેચના IPS અધિકારી ડૉ. કે.એલ.એન. રાઓ રાજ્યના નવા પોલીસવડા તરીકેની જવાબદારી સંભાળી શકે છે.</p> <p><strong>વિકાસ સહાયના એક્સ્ટેન્શનનો આજે અંતિમ દિવસ</strong></p> <p>ગુજરાતના વર્તમાન ડીજીપી (Director General of Police) વિકાસ સહાયને જૂન મહિનામાં રાજ્ય સરકાર દ્વારા અંતિમ ઘડીએ 6 મહિનાનું એક્સ્ટેન્શન (Extension) આપવામાં આવ્યું હતું. જેનો સમયગાળો આજે પૂર્ણ થઈ રહ્યો છે. વચ્ચે એવી ચર્ચાઓએ જોર પકડ્યું હતું કે તેમને ફરીથી મુદત વધારો મળી શકે છે. પરંતુ, ગાંધીનગર કન્ટ્રોલરૂમ દ્વારા પોલીસ ભવનના સ્ટાફને ઉદ્દેશીને પરિપત્રિત કરાયેલા એક આંતરિક પત્ર બાદ હવે તેમની વિદાય નિશ્ચિત મનાઈ રહી છે. જોકે, સરકાર દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની સત્તાવાર જાહેરાત (Official Announcement) કરવામાં આવી નથી.</p> <p><strong>કોણ છે ડૉ. કે.એલ.એન. રાઓ?</strong></p> <p>વિકાસ સહાયની નિવૃત્તિ બાદ તેમના અનુગામી તરીકે ડૉ. કે.એલ.એન. રાઓનું નામ સૌથી આગળ ચાલી રહ્યું છે. તેઓ 1992 ની બેચના સિનિયર IPS અધિકારી છે. શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો તેઓ M.Sc માં PhD ની ડિગ્રી ધરાવે છે. હાલમાં તેઓ CID ક્રાઈમ (CID Crime) ના ડીજીપી તરીકે કાર્યરત છે. ભૂતકાળમાં તેમણે લાંબા સમય સુધી ગુજરાતની જેલોના વડા (Prisons Head) તરીકે પણ નોંધપાત્ર ફરજ બજાવી છે.</p> <p><strong>ઈન્ચાર્જ DGP ની નિમણૂકની પ્રબળ શક્યતા</strong></p> <p>ગાંધીનગરના વિશ્વસનીય સૂત્રોના દાવા મુજબ, રાજ્ય સરકાર તાત્કાલિક ધોરણે કાયમી નિમણૂક કરવાને બદલે 'ઈન્ચાર્જ ડીજીપી' (In charge DGP) ની વ્યવસ્થા અપનાવી શકે છે. આ સંજોગોમાં ડૉ. રાઓને ઈન્ચાર્જ તરીકે રાજ્યના પોલીસ દળની કમાન સોંપવામાં આવે તેવી પ્રબળ શક્યતાઓ છે. સરકાર આજે સાંજ સુધીમાં આ અંગેનું સત્તાવાર જાહેરનામું બહાર પાડી શકે છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...