Skip to main content

GEBEA નું ત્રિવાર્ષિક અધિવેશન યોજાશે:​GEBEA ના ત્રિવાર્ષિક અધિવેશનમાં ઉમટશે 7 હજાર ઇજનેરો; મંત્રી ઋષિકેશ પટેલ અને ગોરધન ઝડફિયાની હાજરીમાં બે દિવસીય કાર્યક્રમ યોજાશે.


https://ift.tt/9WfgOG0 ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના ઇજનેરોના સંગઠન GEBEA (Gujarat Electricity Board Engineers' Association) દ્વારા જૂનાગઢના આંગણે ભવ્ય ત્રિવાર્ષિક અધિવેશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ અંગેની વિગતો આપવા માટે આજે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં એસોસિએશનના જનરલ સેક્રેટરી હરેશ વઘાસિયાએ જણાવ્યું હતું કે, આગામી ૨૭ અને ૨૮ ડિસેમ્બરના રોજ ઇજનેરોનો આ વિરાટ મહાસંગમ યોજાશે. જૂનાગઢની ધોરાજી ચોકડી પાસે આવેલા હરિભાઈ ગોધાણી કેમ્પસ ખાતે આ બે દિવસીય અધિવેશન યોજાશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલ, રાજ્યકક્ષાના ઉર્જા મંત્રી કૌશિક વેકરિયા અને જીઈબી એસોસિએશનના પ્રેસિડેન્ટ ગોરધન ઝડફિયા ખાસ ઉપસ્થિત રહી માર્ગદર્શન આપશે. આ ઉપરાંત જૂનાગઢના સ્થાનિક સાંસદ અને ધારાસભ્યો પણ કાર્યક્રમમાં હાજરી આપશે. એસોસિએશનના જનરલ સેક્રેટરીએ વધુમાં જણાવ્યું કે GEBEA માં હાલ 7000 થી વધુ સભ્યો જોડાયેલા છે. આ અધિવેશનમાં ગુજરાતભરના વીજ ઇજનેરો પોતાના પરિવાર સાથે ઉપસ્થિત રહેશે, જેના કારણે અંદાજે ૬૦૦૦થી વધુ લોકો ઉમટી પડે તેવી શક્યતા છે. આ પ્રકારના આયોજનથી રાજ્યના તમામ વીજ ઇજનેરોમાં એકતા અને સંકલન મજબૂત બનશે. અધિવેશન દરમિયાન GEBEA મંડળના આગામી ટર્મ માટેના નવા હોદ્દેદારોની ચૂંટણી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવશે. આ સાથે જ સંગઠનના ભવિષ્યના લક્ષ્યાંકો અને વીજ ક્ષેત્રે આવનારા પડકારો અંગે પણ બેઠકમાં ચર્ચાઓ કરવામાં આવશે. હરિભાઈ ગોધાણી કેમ્પસ ખાતે આયોજિત આ બે દિવસીય કાર્યક્રમમાં ભોજન સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડવામાં આવશે. ​પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યા મુજબ આ મંચ પરથી રાજ્યના વીજ માળખાને વધુ સુદ્રઢ બનાવવા અને ઇજનેરોના વિવિધ પ્રશ્નો પર સરકારનું ધ્યાન દોરવામાં આવશે. આ કાર્યક્રમની તૈયારીઓ માટે એસોસિએશનના કાર્યકરો દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ​

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...