Skip to main content

ગુજરાત કોંગ્રેસમાં ભૂકંપ: પાટણના MLA કિરીટ પટેલ આવતીકાલે દંડક પદેથી આપશે રાજીનામું


<p><strong>Kirit Patel resignation:</strong> ગુજરાત કોંગ્રેસમાં (Gujarat Congress) ચાલી રહેલો આંતરિક કલેશ હવે ચરમસીમાએ પહોંચ્યો છે. પાટણના કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલે હવે આરપારની લડાઈના મૂડમાં આવી ગયા છે. પક્ષમાં પોતાની અવગણના અને ખોટી નિમણૂકોથી નારાજ થઈને તેમણે આવતીકાલે પક્ષના દંડક (Party Whip) પદેથી રાજીનામું (Resignation) આપવાની જાહેરાત કરી દીધી છે. આ ઘટનાથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.</p> <p><strong>આવતીકાલે રાજીનામું: પ્રદેશ નેતૃત્વ સામે ખુલ્લો બળવો</strong></p> <p>પાટણના ધારાસભ્ય અને કોંગ્રેસના દિગ્ગજ નેતા કિરીટ પટેલે પ્રદેશ નેતૃત્વ સામે બાયો ચડાવી છે. પાટણમાં અનુસૂચિત જાતિ મોરચાના (SC Morcha) પ્રમુખની નિમણૂકને લઈને તેઓ અત્યંત નારાજ છે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી હતી કે જો તેમની વાત સાંભળવામાં નહીં આવે તો તેઓ કડક પગલું ભરશે. આખરે, તેમની માંગણીઓ ન સંતોષાતા તેમણે જાહેરાત કરી છે કે તેઓ આવતીકાલે વિધિવત રીતે કોંગ્રેસના દંડક પદેથી રાજીનામું ધરી દેશે.</p> <p><strong>'હરાવનારાઓને હોદ્દા અને જીતાડનારાની અવગણના'</strong></p> <p>કિરીટ પટેલનો આક્ષેપ છે કે પક્ષમાં સાચા કાર્યકરોની કદર થતી નથી. તેમણે પ્રદેશ નેતાગીરી (Leadership) પર પ્રહારો કરતા કહ્યું કે, "ચૂંટણીમાં જે લોકોએ મને હરાવવા માટે રાત-દિવસ એક કર્યા હતા, તેમને જ આજે સંગઠનમાં મોટા હોદ્દા આપવામાં આવી રહ્યા છે." ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને વિશ્વાસમાં લીધા વગર જ નિર્ણયો લેવાતા હોવાથી તેમણે ભારે રોષ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે છેલ્લા 1 મહિનાથી પ્રદેશ અને જિલ્લા પ્રમુખ માત્ર વાયદાઓ કરી રહ્યા છે, કોઈ નક્કર પગલાં લેવાયા નથી.</p> <p><strong>2027 ની ચૂંટણીને લઈ ભયાનક ભવિષ્યવાણી</strong></p> <p>પક્ષમાં ચાલી રહેલા જૂથવાદ (Factionalism) અંગે કિરીટ પટેલે ગંભીર ટિપ્પણી કરી છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ નેતાઓ જૂથવાદ છોડવા તૈયાર નથી, જેના કારણે સામાન્ય જનતાનો ભરોસો તૂટી રહ્યો છે. જો આ જ સિસ્ટમ ચાલુ રહી તો 2027 ની વિધાનસભા ચૂંટણીમાં (Assembly Election 2027) કોંગ્રેસના સૂપડા સાફ થઈ જશે અને પાર્ટીનું અસ્તિત્વ ખતમ થઈ જશે.</p> <p><strong>કાર્યકરો આક્રમક મૂડમાં, તોડફોડની ભીતિ</strong></p> <p>કિરીટ પટેલે માત્ર રાજીનામાની વાત નથી કરી, પરંતુ પરિસ્થિતિ વણસી શકે છે તેવો ઈશારો પણ કર્યો છે. તેમણે જણાવ્યું કે પાટણ કોંગ્રેસના પાયાના કાર્યકરો (Party Workers) આ નિર્ણયોથી ખુબ ગુસ્સામાં છે. જો આ સમસ્યાનો ઉકેલ નહીં આવે તો નારાજ કાર્યકરો તોડફોડ કરતા પણ અચકાશે નહીં. જો પ્રદેશ નેતાઓ આ બાબતે ગંભીર નહીં બને તો પાટણ જેવી આગ અન્ય શહેરોમાં પણ ફેલાઈ શકે છે.</p> <p><strong>અમિત ચાવડાનો બચાવ: 'ઘરનો મામલો છે, ઉકેલી લઈશું'</strong></p> <p>એક તરફ કિરીટ પટેલે રાજીનામાનું શસ્ત્ર ઉગામ્યું છે, તો બીજી તરફ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા (Amit Chavda) ડેમેજ કંટ્રોલના પ્રયાસમાં લાગ્યા છે. તેમણે સ્વીકાર્યું હતું કે SC વિભાગની નિમણૂકને લઈને અસંતોષ છે, પરંતુ તેમણે આને "ઘરનો આંતરિક મામલો" ગણાવ્યો હતો. ચાવડાએ દાવો કર્યો છે કે બંને જૂથોને સાથે બેસાડીને આ વિવાદનો સુખદ અંત લાવવામાં આવશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...