Skip to main content

Weather Forecast :ભરશિયાળે રાજ્યમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી, આ જિલ્લામાં માવઠાનું એલર્ટ


<p><strong>Gujarat Rain Forecast:</strong> &nbsp;સર્જાયેલ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે ગુજરાતના હવામાનમાં પલટાના સંકેત છે. આગામી 4 દિવસ રાજ્યભરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને આ સાથે છૂટછવાયા હળવા વરસાદનું અનુમાન છે. &nbsp;હવામાન વિભાગે ભરશિયાળે કચ્છ, ઉત્તર ગુજરાતમાં આજે ગાજવીજ સાથે કમોસમી વરસાદની આગાહી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરના કારણે કચ્છ, બનાસકાંઠા, પાટણ સહિત ઉત્તર ગુજરાતના છૂટાછવાયા વિસ્તારોમાં કમોસમી &nbsp;વરસાદ વરસી શકે છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં હળવા વરસાદની વધુ શક્યતા છે. બાકીના વિસ્તારમાં પણ 26 જાન્યુઆરી સુધી વાતાવરણ વાદળછાયું રહેશે. માવઠાની આગાહીથી &nbsp;ઘઉં, એરંડા, જીરૂ, વરિયાળી સહિતના શિયાળું પાકને નુકસાન થઇ શકે છે. માવઠાની આગાહીથી શિયાળું પાક લેતા &nbsp;ધરતીપુત્રો &nbsp;ચિંતામાં મૂકાયા છે.&nbsp;</p> <p>હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદે દસ્ક્ત દીધી છે. &nbsp;મહેસાણાના વિસનગરના વાતાવરણમાં પલટો આવ્યો છે. અહીં વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવો છૂટછવાયો વરસાદ વરસ્યો છે. કચ્છ જિલ્લાના વાતાવરણમાં પણ પલટો જોવા મળ્યો છે. &nbsp;નારાયણ સરોવર, નવાનગર, પાનધ્રો, તહેરા, ઘડુલી સહિતના વિસ્તારમાં છુટછવાયો હળવો વરસાદ નોંધાયો છે. &nbsp;</p> <p><strong>રાજ્યમાં ઠંડીની શું રહેશે સ્થિતિ</strong><br />ઠંડીની વાત કરવામાં આવે તો આગામી 24 કલાક બાદ બે દિવસ માટે રાજ્યમાં ઠંડીનું જોર વધશે. 2થી 3 ડિગ્રી સેલ્સિયસ લઘુતમ તાપમાનમાં ઘટાડો નોંધાશે. ત્યાર બાદ ફરી લઘુતમ તાપમાનમાં વધારો થવાની શક્યતા છે. આજે અમદાવાદમાં 16.8, અમરેલીમાં 14.6, વડોદરામાં 19, ભાવનગરમાં 17.2, ભુજમાં 15.4, દાહોદમાં 14.3, દમણમાં 18.2, ડાંગમાં 15.7, ડીસામાં 15.3, દીવમાં 16, દ્વારકા 17.8, ગાંધીનગર 16, કંડલા 16.5, નલિયા 10.4, ઓખામાં 19, પોરબંદરમાં 16, રાજકોટમાં 14.8, સુરતમાં 17.8 અને વેરાવળમાં 18 ડિગ્રી સેલ્સિયસ લઘુત્તમ તાપમાન નોંધાયું હતું.</p> <p><strong>દિલ્લીમાં વરસાદનું એલર્ટ</strong></p> <p>વસંત પંચમી નિમિત્તે, શુક્રવાર, 23 જાન્યુઆરીએ દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદ પડ્યો. સવારે 6:00 વાગ્યાની આસપાસ કાળા વાદળો છવાઈ ગયા અને ઝરમર વરસાદ શરૂ થયો. લગભગ 15 મિનિટ સુધી વરસાદ ચાલુ રહ્યો. એવું માનવામાં આવે છે કે આનાથી હવામાન સાફ થશે અને પ્રદૂષણથી થોડી રાહત મળશે. જો કે&nbsp;<br />&nbsp;ઠંડી થોડી વધી શકે છે. &nbsp;</p> <p>હવામાન વિભાગે વસંત પંચમી પર હવામાનમાં ફેરફારની આગાહી કરી હતી. શુક્રવાર, 23 જાન્યુઆરી માટે દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં વરસાદની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. હવામાન વિભાગે આગાહી કરી છે કે, શુક્રવાર, 23 જાન્યુઆરી બપોર સુધી આકાશ વાદળછાયું રહેશે અને વચ્ચે-વચ્ચે હળવો વરસાદ પણ પડી શકે છે.&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...