Skip to main content

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી:પાલિકાની ચૂંટણીમાં પ્રિસાઇડીંગ અને પોલીંગ ઓફિસર સહિત 6284 તથા 2672 પોલીસ સ્ટાફ ફરજ બજાવશે


https://ift.tt/fm7PkWA અમરેલી જિલ્લાની જિલ્લા પંચાયત, તમામ 11 તાલુકા પંચાયત તથા અમરેલી, સાવરકુંડલા, બગસરા, ધારી, બાબરા, દામનગર એમ કુલ છ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી અન્વયે આગામી તા. 26ને રવિવારના રોજ સવારના 7 કલાકથી સાંજના 6 કલાક સુઘી મતદાન યોજાનાર છે. મત ગણતરી તા. 28ના રોજ સવારના 9 કલાકથી હાથ ધરવામાં આવશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત મતદાન તેમજ મતગણતરી પ્રક્રિયાના સુચારૂ આયોજન અંગે માહિતી આપવાના હેતુથી જિલ્લા ચૂંટણી અધિકારી વિકલ્પ ભારદ્વાજે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અમરેલી જિલ્લાના મતદારોને વધુમાં વધુ સંખ્યામાં મતદાન કરી લોકશાહીના પર્વમાં ભાગ લેવા માટે અપીલ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અમરેલીમાં 11 તાલુકા પંચાયતની 190 બેઠકો પૈકી 4 બેઠક (જાફરાબાદ તાલુકાની બારપટોળી, રોહીસા, વઢેરા, તથા બાબરા તાલુકાની ચમારડી બેઠક) બિનહરીફ થયેલ છે. બાકીની 186 બેઠકો પર કુલ 553 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. જ્યારે જિલ્લા પંચાયતની તમામ 34 બેઠકો પર કુલ 103 ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાનાર છે. ધારી નગરપાલિકામાં વોર્ડ નં. 3 સંપૂર્ણ બિનહરીફ થયેલ છે. જયારે અન્ય તમામ નગરપાલિકાઓમાં દરેક વોર્ડમાં ચૂંટણી યોજાનાર છે. 6 નગરપાલિકાના હરીફ ઉમેદવારોની સંખ્યા કુલ 461 છે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતની ચૂંટણીઓ માટે પ્રિસાઇડીંગ ઓફીસર, પોલીંગ ઓફીસર સહીત કુલ 5201 કર્મચારી અને અધિકારી ફરજ બજાવશે. તેમજ 2257 પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજ બજાવશે. જ્યારે નગરપાલિકાઓની ચૂંટણીઓ માટે પ્રિસાઇડીંગ ઓફીસર, પોલીંગ ઓફીસર સહીત કુલ 1083 કર્મચારી તેમજ 415 પોલીસ સ્ટાફ ચૂંટણી ફરજ બજાવનાર છે. અમરેલી જિલ્લા પંચાયતની 34 બેઠકોમાં 455450 પુરૂષ મતદાર, 409429 સ્ત્રી મતદાર, 1 અન્ય મળીને કુલ 834,880 મતદારોની સંખ્યા છે. જ્યારે તાલુકા પંચાયતની 183 બેઠકોમાં 447,003 પુરૂષ, 401308 સ્ત્રી અને 1 અન્ય મળીને કુલ 848612 મતદારોની સંખ્યા છે. જ્યારે 6 નગરપાલિકાની 174 બેઠકો માટે 108698 પુરૂષ મતદારો, 99133 મહિલા મતદારો, 20 અન્ય મતદારો મળીને કુલ 207881 મતદારોની સંખ્યા છે. સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના મતદાનના આંકડા તથા ૫રિણામ જાણવા માટે રાજય ચૂંટણી આયોગ, ગાઘીનગર દ્વારા વિકસાવેલ પોર્ટલ https://ift.tt/q9SHhGr પર વિગતો ઉપલબ્ઘ થઇ શકશે. તેમણે અમરેલી જિલ્લાના તમામ મતદારો પોતાના મતદાન અઘિકારનો ઉપયોગ કરે તેવી અપીલ કરી હતી. 2980 ઇવીએમ મશીન ફાળવાયા જિલ્લા પંચાયતના મતદાન માટે 1320 બી.યુ. અને 1320 સી.યુ ઈ.વી.એમ મશીન ફાળવવામાં આવ્યા છે. જ્યારે તાલુકા પંચાયતમાં 1320 બી.યુ, અને 1320 સીયુ, નગરપાલિકા માટે 340 બી.યુ, અને 340 સી.યુ ફાળવવામાં આવ્યા છે. સ્ટાફને લુથી બચવા ORS, દવા અપાશે મતદાનના દિવસે ગરમીના કારણે મતદારો તથા પોલીંગ સ્ટાફને લૂની અસરથી બચવા માટે મતદાન ટૂકડીને ORS, પ્રા. સારવાર માટેની દવાઓની કિટ ઉ૫લબ્ઘ કરાવવામાં આવનાર છે તેમજ આકસ્મિક સંજોગોમાં જરૂરિયાત ૫ડે તેવા સંજોગો માટે નજીકના હેલ્થ સેન્ટરે એમ્બ્યુલન્સની ૫ણ વયવસ્થા કરવામાં આવી છે. ચૂંટણી હેઠળના વિસ્તારમાં નોંઘાયેલ કેન્દ્ર રાજય સ૨કા૨ની કચેરી/સંસ્થાના કર્મચારીઓ, સહકારી, ખાનગી ક્ષેત્ર/બોર્ડ/નિગમની કચેરીઓમાં કામ કરતા કર્મચારી તેમજ દુકાન/ વાણિજય સંસ્થા સહિત હોસ્પિટલોના કર્મી પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે મત આપી શકે તે હેતુસર નોકરીના સ્થળે મોડા આવવા અથવા વહેલા જવા દેવા અથવા મત આપવા માટેના સમય પૂરતી સવેતન રજા આપવા જાહેરનામું કરવામાં આવ્યું છે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...