Skip to main content

Gujarat Weather: આગામી 5 દિવસ રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, હવામાન વિભાગનું એલર્ટ જાહેર


<p><strong>Gujarat Weather:</strong> આવતી કાલે એટલે કે 26 એ્પ્રિલ રવિવારે&nbsp; સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું મતદાન છે ત્યારે હવામાન વિભાગે કાલથી તાપમાનનો પારો ઉંચે જવાની આગાહી કરી છે. હવામાન વિભાગ આગામી સપ્તાહ ગરમી વધવાના સંકેત આપ્યાં છે તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ પણ કાલથી તાપમાનનો 2થી3 ડિગ્રી વધવાની ચેતવણી આપી છે.&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=uEU8RnGKO7ukkiQ0" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong>આગામી 5 દિવસ આકરી ગરમીની આગાહી&nbsp;</strong><br />એપ્રિલના અંતમાં આકાશમાંથી વરસતી અગનવર્ષાથી રાજ્ય અગનભઠ્ઠીમાં ફેરવાયુ છે &nbsp;અને હજુ પણ આગામી દિવસોમાં તાપનું ટોર્ચર વધવાની હવામાન વિભાગે આગાહી કરી છે. ઉત્તર-પશ્ચિમ દિશામાંથી પવન ફુંકાતા રાજ્યમાં ગરમી વધવાનું હવામાન વિભાગનું પૂર્વાનુમાન છે. આગામી દિવસોમાં તાપમાનનો પારો બેથી ત્રણ ડિગ્રી વધી શકે છે.. છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા ગરમીના આંકડાની વાત કરીએ તો 11 શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો છે..) જેમાં સૌથી ઉંચુ 43.3 ડિગ્રી &nbsp;અમરેલીમાં નોંધાયું છે. તો રાજકોટમાં 43.1 ડિગ્રી અને સુરેન્દ્રનગરમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે. અમદાવાદમાં તાપમાનનો પારો 42.1 ડિગ્રી પર પહોંચ્યો છે &nbsp;તો કેશોદમાં 42 ડિગ્રી, ગાંધીનગર અને વડોદરામાં 41.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે.. ભૂજમાં 41.4 ડિગ્રી, ડીસામાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે. તો વલ્લભવિદ્યાનગરમાં 40.9 ડિગ્રી અને સુરતમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે. &nbsp;હવામાન વિભાગ મુજબ આજે અમદાવાદમાં યલો એલર્ટ અને આવતીકાલે એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના મતદાનના દિવસે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. .. અમદાવાદમાં કાલે તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગની આગાહી છે.. &nbsp;તો રાજ્યભરમાં તાપમાન 41થી 44 ડિગ્રી વચ્ચે રહેવાની આગાહી કરાઈ છે.</p> <p><br /><strong>28 એપ્રિલ સુધી કાળઝાળ ગરમીનું અંબાલાલ પટેલનું એલર્ટ&nbsp;</strong><br />આકરા તાપમાં તપવા માટે તૈયાર &nbsp;રહેજો. કાળઝાળ ગરમી પડવાનું હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે અનુમાન &nbsp;વ્યક્ત કર્યું છે. . આજથી 28 એપ્રિલ સુધી રાજ્યમાં આકરી ગરમી પડવાની અંબાલાલ પટેલે &nbsp;ચેતવણી આપી છે. ખાસ કરીને સૌરાષ્ટ્રના જિલ્લામાં અંગ દઝાડતી ગરમી પડવાનું અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યુ છે. . જ્યારે મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લામાં પણ તાપમાનનો પારો 43 ડિગ્રીને પાર પહોંચવાની શક્યતા વ્યક્ત કરાઈ છે.. જો કે 29 એપ્રિલથી મે મહિનાની શરૂઆતથી રાજ્ય સહિત દેશના વાતાવરણમાં પલટો આવશે. દેશના પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા અને વરસાદ પડી શકે છે.. રાજસ્થાન અને રાજસ્થાન સરહદને જોડતા ગુજરાતના જિલ્લાઓમાં પણ પ્રિ-મોનસૂન એક્ટિવિટીનો વરસાદ વરસવાની અંબાલાલ પટેલે શક્યતા વ્યક્ત કરી છે.</p> <p><strong>મતદાનના દિવસે ગરમીનું થર્ડ ડીગ્રી ટોર્ચર&nbsp;</strong></p> <p>આવતી કાલે મતદાન છે અને સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ગરમી વિઘ્નરૂપ બને તેવા સંકેત હવામાન વિભાગે આપ્યાં છે. કાલ તાપમાન 2થી 3 ડિગ્રી વધે તેવી શક્યતા સાથે ગરમીનું ઓરેંજ એલર્ટ કેટલાક શહેરમાં અપાયું છે. કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યભરમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ યોજાવા જઈ રહી છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ચૂંટણીમાં ફરજ બજાવતા અધિકારીઓ અને મતદારો માટે વિશેષ આરોગ્ય વ્યવસ્થા કરવામાં આવી છે.ગરમીથી બચાવ માટે ORS ના પાઉચ, દુખાવા માટે Paracetamol સહિતની દવાઓ સાથે મેડિકલ કીટ તૈયાર કરવામાં આવી છે. સાથે જ નાની-મોટી ઇજાઓ માટે કોટન અને Dettol પણ કીટમાં સમાવેશ કરાયો છે.ફરજ ઉપર હાજર અધિકારી પલક ગોહિલે જણાવ્યું હતું કે, ચૂંટણી દરમિયાન અધિકારીઓ અને મતદારોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે માટે પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. ગરમીના કારણે બેભાન થવાની, ચક્કર આવવાની અથવા માથાના દુખાવા જેવી સમસ્યાઓ સામે તાત્કાલિક સારવાર મળી રહે તે માટે દરેક બૂથ પર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા રાખવામાં આવી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...