Skip to main content

Gujarat Weather Update: રાજ્યમાં કાળઝાળ ગરમી, હજુ 2 દિવસ ગરમીનું યલો એલર્ટ


<p><strong>Gujarat Weather Update:</strong> સમગ્ર રાજ્યમાં અગનવર્ષોની સ્થિતિ છે. હવામાન વિભાગની આગાહી મુજબ આગામી સાત દિવસ હજુ પણ ગરમીથી રાહત મળે તેવા કોઇ આસાર નથી. હવામાન વિભાગે આગામી 2 દિવસમાં તાપમાન 2થી 3 ડિગ્રી વધવાની આગાહી કરી છે. જેના કારણે રાજ્યના મોટાભાગના વિસ્તારમાં તાપમાન 40ને ક્રોસ કરે તેવી શક્યતા જોવાઇ રહી છે. રાજ્યમાં કાળઝાળ ગરમી,હજુ 2 દિવસ ગરમીનું યલો એલર્ટ અપાયું છે. &nbsp;ગરમીના આંકડા પર નજર કરીએ તો અમરેલીમાં તાપમાનનો પારો &nbsp;43.3 ડિગ્રી પહોંચ્યો છે. રાજકોટમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર ગયો છે.&nbsp;<br />અમદાવાદમાં 42.1 ડિગ્રી, તાપમાન નોંધાયું છે. &nbsp;2 દિવસમાં અમદાવાદમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર જવાની આગાહી છે.&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=uEU8RnGKO7ukkiQ0" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>ક્યાં સૌથી વધુ ગરમી?<br />શહેર &nbsp; તાપમાન<br />અમરેલી &nbsp;43.3<br />રાજકોટ &nbsp;43.1<br />અમદાવાદ &nbsp;42.1<br />વડોદરા &nbsp;41.6<br />ગાંધીનગર &nbsp;41.5<br />ભુજ &nbsp; 41.4<br />ડીસા &nbsp; 40.3<br />સુરત &nbsp; 40.3<br />ભાવનગર &nbsp;39.8<br />દાહોદ &nbsp;38.5<br />કંડલા &nbsp;37.4</p> <p>ગુજરાતમાં આગામી સાત દિવસ સતત ગરમીનો પ્રકોપ યથાવત રહેશે, &nbsp;હવામાન મોટાભાગે સુકું રહેવાની શક્યતા છે. હવામાન વિભાગ મુજબ, રાજ્યના આંતરિક વિસ્તારોમાં તાપમાન ધીમે ધીમે 2&ndash;3&deg;C જેટલું વધશે અને કેટલાક વિસ્તારોમાં મહત્તમ તાપમાન લગભગ 41&deg;C થી 43&deg;C સુધી પહોંચે તેવું અનુમાન છે.&nbsp;</p> <p>પ્રથમ 2&ndash;3 દિવસ દરમિયાન આકાશ સામાન્ય રીતે સાફ રહેશે અને વરસાદની કોઈ શક્યતા નથી. દરિયાકાંઠાના વિસ્તારો જેમ કે સૌરાષ્ટ્ર અને કચ્છમાં ગરમ અને ભેજવાળું હવામાન રહેશે, જેના કારણે ઉકળાટ વધારે અનુભવાશે. તાજેતરના અહેવાલો મુજબ ગુજરાતમાં હાલમાં ગરમીનો પ્રભાવ વધતો જઈ રહ્યો છે અને કેટલાક શહેરોમાં તાપમાન 40&deg;Cથી વધુ નોંધાયું છે, જે આગામી દિવસોમાં પણ ચાલુ રહી શકે છે.</p> <p>કાળઝાળ ગરમીમાં રાહતના સમાચારએ છે કે, આ વર્ષે વહેલુ ચોમાસું બેસશે તેવી આગાહી છે. હવામાન વિભાગે વહેલા ચોમાસાની કરી આગાહી કરી છે. દ.ભારતમાં મે મહિનાના અંતમાં મોન્સૂન પ્રવેશી શકે છે.&nbsp;</p> <p>&nbsp;29 એપ્રિલ બાદ તાપમાન એકથી બે ડીગ્રી વધતાં હિટવેવની સ્થિતિ સર્જાવવાની શક્યતા જોવાઇ રહી છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં વરસાદની શક્યતાને નકારી છે પરંતુ તાપમાન વધે તેવી શક્યતા વ્યક્ત કરી છે. ગરમીની તીવ્રતાને લઇને હવામાન વિભાગે ગરમીનું યલો એલર્ટ જાહેર કર્યું છે. હાલની સ્થિતિની વાત કરીએ તો હાલ અરબી સમુદ્રમાં એન્ટી સાયક્લોનિક સકર્ક્યુલેશન બન્યુ છે. જેના કારણે ગુજરાતના ઉત્તર વિસ્તારમાં અને કચ્છમાં &nbsp;વાદળો છવાતા અને વિખેરતા જોવા મળશે પરંતુ વાદળછાયું વાતાવરણ લાંબો સમય ન રહેતા આકરા તાપનો અનુભવ થશે.</p> <p>&nbsp;</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...