Skip to main content

Gujarat Weather Updates: રાજ્યમાં આગ ઝરતી ગરમીની આગાહી, આ જિલ્લામાં હિટવેવનું એલર્ટ


<p><strong>Gujarat Weather Updates:</strong> &nbsp;ગુજરાત, ઉત્તર ભારત, મહારાષ્ટ્ર અને પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોમાં હીટવેવના દિવસો સામાન્ય કરતા &nbsp;વધુ રહેશે.ગુજરાત--મહારાષ્ટ્રમાં તીવ્ર હીટવેવ લાંબો સમય ચાલવાની ચેતવણી અપાઇ છે. અમદાવાદમાં આગ વરસાવતી ગરમીની આગાહી છે.&nbsp;</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=G-mPu3kz6wzl-Gyu" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>&nbsp;હવામાન વિભાગે રાજ્યમાં આકરી ગરમીનું અનુમાન વ્યક્ત કર્યું છે. માર્ચ અને એપ્રિલમાં માવઠાના સંકટ બાદ હવે ફરી તાપમાનનો પારો ઉંચકાતા હવે ઉનાળોનો અસલી મિજાજ અનુભવાશે. તાપમાનનો પારો 2થી 3 ડિગ્રી ઉંચે જતાં કાળઝાળ ગરમીની આગાહી કરવામાં આવી છે. અમદાવાદમાં આગ વરસાવતી ગરમીની આગાહી કરાઇ છે. હવામાન વિભાગની આગાહી મુજબ 48 કલાકમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચશે. મંગળવારે અમદાવાદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું &nbsp;છે. મંગળવારે 41.1 ડિગ્રી સાથે અમરેલી સૌથી ગરમ શહેર રહ્યું. ચાર શહેરોમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોચ્યો છે. જેમાં અમદાવાદ, અમરેલી, રાજકોટ અને ગાંધીનગરનો સમાવેશ થાય છે. &nbsp;ગઈકાલે અમદાવાદમાં 41 ડિગ્રી, અમરેલીમં 41.1 ડિગ્રી, તો રાજકોટમાં 40.7, ગાંધીનગરમાં 40.5, વડોદરામાં 39.6, ભૂજમાં 39, સુરતમાં 38.9, કંડલામાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું છે.&nbsp;</p> <p><br />અમદાવાદમાં ઉનાળો હવે અસલ મિજાજમાં આવી રહ્યો છે. અંગ દઝાડતી ગરમીથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે..અને હજુ આગામી 3 દિવસમાં ગરમીનો પારો 43 ડિગ્રી સુધી પહોંચવાની હવામાન વિભાગે &nbsp;આગાહી &nbsp;કરી છે..ગયા વર્ષે 30 એપ્રિલના 44.8 ડિગ્રી સાથે છેલ્લા 15 વર્ષમાં એપ્રિલનું સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.</p> <p>દેશભરમાં ભીષણ ગરમી પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે .ઉત્તર ભારત, ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ પૂર્વીય દરિયાકાંઠાના રાજ્યોમાં હીટવેવના દિવસોની સંખ્યા સામાન્ય કરતાં વધુ રહેવાનું હવામાન વિભાગનું અનુમાન છે. દેશમાં આ પ્રદેશોમાં આગામી સમયમાં સરેરાશ તાપમાન 40 ડિગ્રીથી વધુ રહેવાની સંભાવના છે. હાલ પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં પ્રવર્તી રહેલી કાળઝાળ ગરમીથી જનતાને હાલ રાહત મળે તેવી કોઈ શક્યતા નથી.&nbsp;</p> <p>રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને રાજસ્થાનના કેટલાક ભાગોમાં પણ હીટવેવની આગાહી કરવામાં આવી છે..મહારાષ્ટ્રમાં વિદર્ભમાં સરેરાશ તાપમાન 41 થી 42 &nbsp;ડિગ્રી રહી શકે છે. એ જ રીતે ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં તાપમાન 40થી 44 &nbsp;ડિગ્રી સુધી જવાની સંભાવના છે. મંગળવારે ઉત્તર પ્રદેશના બાંદામાં સૌથી વધુ 44.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. &nbsp;ઉત્તર પ્રદેશને આગામી કેટલાક દિવસ સુધી ગરમીથી રાહત મળવાની શક્યતા નથી.&nbsp;</p> <p>તો આ તરફ દુનિયામાં હાલ 1877 બાદનું સૌથી શક્તિશાળી અલ નીનો બની રહ્યું હોવાની વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. અલ-નીનો એક એવી પ્રાકૃતિક મૌસમી ઘટના છે, જેમાં પ્રશાંત મહાસાગરના ઉષ્ણકટિબંધીય એટલે કે ટ્રોપિકલ ભાગનું પાણી અસામાન્ય રૂપે ગરમ થઈ જાય છે. &nbsp;2026-27 માં ફરી એક વખત સુપર અથવા મેગા અલ-નીનોની સ્થિતિ સર્જાઈ રહી હોવાની વૈજ્ઞાનિકોએ ચેતવણી આપી છે. સામાન્ય અલ નીનો પ્રત્યેક બેથી સાત વર્ષમાં આવે છે, પરંતુ આ વખતે સુપર અથવા મેગા સ્તરનું અલ-નીનો બની રહ્યું છે. તેનું કારણ સમુદ્રી ગરમીની લહેર, પોઝિટિવ પેસિફિક મેરિડિયનલ મોડ અને ગરમ દક્ષિણી હવાઓ છે. બે સ્થિતિના કારણે &nbsp; અલનીનો જેવી સ્થતિની &nbsp;હવામાન વિજ્ઞાનિકોએ ચેતવણી આપી છે, કે આ લહેર અલ-નીનોને વધુ મજબૂત બનાવી રહી છે. ગરમી અને ભેજ વધવાથી પશ્ચિમી દેશોમાં ગરમીની લહેરો વધુ તીવ્ર બની શકે છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ પેટર્ન 140 વર્ષમાં સૌથી શક્તિશાળી હોઈ શકે છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજય સરકારના વર્ગ ૪ ના કર્મચારીઓને દિવાળીની ભેટ, સરકારે બોનસની કરી જાહેરાત

<p>Gujarat government Diwali bonus: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગામી દિવાળીના તહેવારો વર્ગ ૪ના કર્મચારીઓ ઉત્&zwj;સાહપૂર્વક ઉજવી શકે તે માટે રૂપિયા ૭૦૦૦ હજારની મર્યાદામાં એડહોક બોનસ આવા વર્ગ ૪ના કર્મચારીઓને આપવાનો નિર્ણય કર્યો છે.</p> <p>રૂા.૭૦૦૦ની મહત્તમ મર્યાદામાં બોનસનો વર્ગ ૪ના અંદાજે ૧૭,૭૦૦થી વધુ કર્મચારીઓને લાભ મળશે.</p> <p>મુખ્યમંત્રીએ રાજ્ય સરકારના નાણાં વિભાગને આ અંગેના જરૂરી આદેશો કરવાના દિશાનિર્દેશો પણ આપ્યા છે.</p> <p><strong>આ પહેલા કેન્દ્ર સરકારે બોનસની કરી હતી જાહેરાત</strong></p> <p>કેન્દ્ર સરકારના કર્મચારીઓ માટે સારા સમાચાર છે. સરકારે તેના કર્મચારીઓ માટે દિવાળી બોનસની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઈએ કે નાણાં મંત્રાલયના ખર્ચ વિભાગે નાણાકીય વર્ષ 2023-24 માટે નોન પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ (એડ હોક બોનસ) આપવાની જાહેરાત કરી છે. નાણાં મંત્રાલય દ્વારા જારી કરવામાં આવેલા આદેશ અનુસાર કેન્દ્રીય કર્મચારીઓને નાણાકીય વર્ષ 2023-24 માટે 30 દિવસના પગારની બરાબર બોનસ આપવાની માહિતી આપવામાં આવી છે. આદેશમાં કહેવામાં ...