Skip to main content

આજે રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ આપશે NEET PG ની પરીક્ષા, રાજકોટમાં પ્રવેશ આપવાની ના પાડતા વિદ્યાર્થિનીની માતા બેભાન


<p style="text-align: justify;" data-path-to-node="2"><strong>NEET PG Exam: </strong>ગુજરાત સહિત સમગ્ર દેશમાં આજે NEET PG (નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટ - પોસ્ટ ગ્રેજ્યુએટ) ની પરીક્ષા યોજાઈ રહી છે. આ પરીક્ષા માટે દેશભરના 1111 કેન્દ્રો પર નવી પેટર્ન મુજબ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં એકલા ગુજરાત રાજ્યના 15 હજારથી વધુ વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે અને રાજ્યમાં 60 કેન્દ્રો ફાળવવામાં આવ્યા છે. આ વર્ષે સુરક્ષા અને પારદર્શિતા વધારવા માટે પ્રથમ વખત આધાર બેઝ આઈડી સહિતની કડક તપાસ હાથ ધરવામાં આવી રહી છે.</p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;" data-path-to-node="2"> </p> <p style="text-align: justify;" data-path-to-node="3">આ કડક તપાસ અને કાગળોની પ્રક્રિયાને કારણે રાજકોટના એક પરીક્ષા કેન્દ્ર પર ભારે ડ્રામા અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. રાજકોટ જિલ્લાના પાંચ પરીક્ષા કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરાયું છે. કેન્દ્ર પર પહોંચેલી એક વિદ્યાર્થિનીને ડોક્યુમેન્ટની કલર ઝેરોક્ષ ન હોવાને કારણે અંતિમ સમયે દોડાદોડી કરવી પડી હતી અને શરૂઆતમાં અધિકારીઓ દ્વારા પ્રવેશ આપવાનો ઇનકાર કરાયો હતો.</p> <p style="text-align: justify;" data-path-to-node="3"><a title="આ પણ વાંચો...Gujarat Rain Forecast: 4 ઓગસ્ટથી આ જિલ્લામાં ફરી પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ જાહેર" href="https://ift.tt/bF7EaOP" target="_self">આ પણ વાંચો...Gujarat Rain Forecast: 4 ઓગસ્ટથી આ જિલ્લામાં ફરી પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ જાહેર</a></p> <p style="text-align: justify;" data-path-to-node="4">પોતાની પુત્રીને પ્રવેશ ન મળતા અને સમય વિતી જતો જોઈને વિદ્યાર્થિનીની માતા રડી પડી હતી અને માનસિક તણાવને કારણે કેન્દ્ર પર જ બેભાન થઈ ગઈ હતી. જોકે, આ ઘટના બાદ મામલો શાંત પડતા અને જરૂરી ચકાસણી પૂર્ણ થયા બાદ અંતે વિદ્યાર્થિનીને પરીક્ષા ખંડમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.</p> <p><strong>રાજસ્થાનમાં NEET PG પરીક્ષા દરમિયાન મોટી બેદરકારી સામે આવી</strong><br />તો બીજી તરફ રાજસ્થાનમાં NEET PG પરીક્ષા દરમિયાન એક મોટી બેદરકારીનો કિસ્સો સામે આવ્યો છે. જયપુરના સીતાપુરા સ્થિત એક પરીક્ષા કેન્દ્ર પર લાઈટમાં ફોલ્ટ સર્જાવાના કારણે કમ્પ્યુટર આધારિત પરીક્ષા સમયસર શરૂ થઈ શકી ન હતી. પરીક્ષાનો સમય સવારે 9 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીનો નક્કી કરવામાં આવ્યો હતો.</p> <p>પરીક્ષા શરૂ ન થવાને કારણે કેન્દ્ર પર હાજર ઉમેદવારોમાં ભારે નારાજગી જોવા મળી હતી. પરીક્ષાર્થીઓનો આક્ષેપ છે કે ટેકનિકલ સમસ્યાના કારણે પરીક્ષા ખોરવાઈ હોવા છતાં NTA દ્વારા તેમને કોઈ સંતોષકારક જવાબ આપવામાં આવ્યો નથી. પરીક્ષાર્થીઓમાં એ વાતને લઈને પણ રોષ છે કે તેમણે પરીક્ષાની તૈયારી સાથે નક્કી કરેલા સમયે કેન્દ્ર પર પહોંચવા છતાં ટેકનિકલ ખામીના કારણે હાલાકી ભોગવવી પડી રહી છે. હાલમાં ઉમેદવારો પરીક્ષા શરૂ થવા અને આગળની પ્રક્રિયા અંગે સત્તાવાર માહિતીની રાહ જોઈ રહ્યા છે. આ મામલે પરીક્ષા એજન્સી તરફથી સત્તાવાર સ્પષ્ટતાની રાહ જોવાઈ રહી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...