Skip to main content

1.81 લાખ કરોડનું રોકાણ, ગિફ્ટ સિટીનો ધમાકો:ભારતનું નવું ગેટ-વે સિંગાપોરને ટક્કર આપવા તૈયાર, 70થી વધુ દેશોના રોકાણકારોનું 3.17 લાખ કરોડનું કમિટમેન્ટ


https://ift.tt/kJrncL6 ગિફ્ટ સિટી (Gujarat International Finance Tec-City) હવે માત્ર નાણાકીય સેવાઓ માટેનું સેન્ટર નહીં, પરંતુ વૈશ્વિક રોકાણકારોના નાણાંનું સંચાલન, ફંડ મેનેજમેન્ટ અને રોકાણ કરતું મહત્વનું ગ્લોબલ બિઝનેસ હબ બની રહ્યું છે. ખાસ કરીને ફંડ મેનેજમેન્ટ ક્ષેત્રે છેલ્લા ત્રણ વર્ષમાં GIFT IFSCમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી. માર્ચ 2023માં અહીં માત્ર 65 ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝ હતી, જે માર્ચ 2026 સુધીમાં વધીને 217 થઈ છે. ફંડ્સ અને સ્કીમ્સની સંખ્યા પણ 50થી વધીને 360 થઈ ગઈ. IFSCAના ડાયરેક્ટર દીપેશ શાહના મતે, હાલમાં GIFT IFSCમાં ફંડ્સ દ્વારા લગભગ $39 બિલિયન એટલે કે અંદાજે રૂ. 3.73 લાખ કરોડનું રોકાણ કમિટ થયું છે.તેમાંથી આશરે $19.66 બિલિયન એટલે કે અંદાજે રૂ. 1.88 લાખ કરોડનું રોકાણ અત્યાર સુધીમાં થઈ ચૂક્યું છે. આ રોકાણ ભારતની લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓ ઉપરાંત ભારતની બહારના બજારોમાં પણ થઈ રહ્યું છે. પહેલાં સમજીએ કે ફંડ મેનેજમેન્ટ એટલે શું? દુનિયાભરના રોકાણકારો પોતાનું મોટું ભંડોળ કોઈ ફંડમાં રોકે છે. આ ભંડોળને ક્યાં અને કેવી રીતે રોકવું તેની જવાબદારી ફંડ મેનેજરની હોય છે. GIFT IFSCમાં આ માટે ખાસ ફંડ સ્ટ્રક્ચર બનાવવામાં આવે છે. ફંડમાં રોકાણકારો પૈસા મૂકે છે અને ફંડ મેનેજમેન્ટ એન્ટિટી એટલે કે FME આ પૈસાનું સંચાલન કરે છે. ત્યારબાદ આ નાણાં ભારતની કંપનીઓ, સ્ટાર્ટઅપ્સ, લિસ્ટેડ-અનલિસ્ટેડ કંપનીઓ કે ભારતની બહારના બજારોમાં રોકાણ કરી શકાય છે. એટલે GIFT Cityમાં માત્ર ફંડનું રજિસ્ટ્રેશન થતું નથી, પરંતુ વિદેશી રોકાણકારોના પૈસા એકત્ર કરવાથી લઈને તેનું મેનેજમેન્ટ અને રોકાણ કરવા સુધીનું કામ અહીંથી થઈ શકે છે. આ જ સમયગાળામાં ફંડ્સ અને સ્કીમ્સની સંખ્યા પણ 50થી વધીને 360 થઈ છે. એટલે કે, ત્રણ વર્ષમાં ફંડ મેનેજમેન્ટ એન્ટિટીઝની સંખ્યા ત્રણ ગણાથી વધુ થઈ છે, જ્યારે ફંડ્સ અને સ્કીમ્સની સંખ્યા સાત ગણાથી વધુ વધી છે. આ પૈકી વાસ્તવિક રોકાણ પણ ઝડપથી વધ્યું છે. માર્ચ 2023માં માત્ર $1.13 બિલિયનનું cumulative investment હતું, જે માર્ચ 2026માં વધીને $19.66 બિલિયન થયું છે. દીપેશ શાહના જણાવ્યા પ્રમાણે, આ રકમમાંથી રોકાણ ભારતની લિસ્ટેડ અને અનલિસ્ટેડ કંપનીઓમાં પણ થાય છે અને ભારતની બહારના બજારોમાં પણ થાય છે. 70થી વધુ દેશોના 9,594 રોકાણકારો જોડાયા GIFT IFSCના ફંડ્સમાં હવે માત્ર ભારતના રોકાણકારો જ નહીં, પરંતુ દુનિયાના વિવિધ દેશોના રોકાણકારો પણ જોડાઈ રહ્યા છે. માર્ચ 2026 સુધીમાં 70થી વધુ જ્યુરિડિક્શનમાંથી 9,594 રોકાણકારો IFSCના ફંડ્સ સાથે જોડાયેલા હતા.આ આંકડો દર્શાવે છે કે GIFT Cityમાંથી ફંડ મેનેજમેન્ટની પ્રવૃત્તિ હવે આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી રહી છે. દીપેશ શાહના જણાવ્યા પ્રમાણે, ભારત સરકારે GIFT IFSC માટે આંતરરાષ્ટ્રીય સ્તરની ફાઇનાન્શિયલ સેવાઓને અનુરૂપ નિયમો બનાવ્યા છે. ફંડ મેનેજમેન્ટ માટેના નિયમો એવી રીતે તૈયાર કરાયા છે કે, વૈશ્વિક રોકાણકારો માટે અહીં ફંડ બનાવવું અને તેનું સંચાલન કરવું સરળ બને. હાલ GIFT Cityમાં કેટલી કંપનીઓ અને સંસ્થાઓ કામ કરી રહી છે? GIFT Cityનું ફંડ મેનેજમેન્ટ ઇકોસિસ્ટમ હવે તેના સમગ્ર બિઝનેસ ઇકોસિસ્ટમનો એક ભાગ છે. GIFT Cityની સત્તાવાર માહિતી પ્રમાણે હાલમાં 1,000થી વધુ એન્ટિટીઝ ઓપરેશનલ છે અને અહીં 20,000થી વધુ રોજગારી સર્જાઈ ચૂકી છે. માર્ચ 2026ના ઉપલબ્ધ આંકડા મુજબ GIFT Cityમાં 1,500થી વધુ એન્ટિટીઝ હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આશરે 27,000 પ્રોફેશનલ્સ અહીં કાર્યરત હોવાનું પણ જણાવાયું છે. GIFT Cityની સત્તાવાર વેબસાઇટ પર Google, IBM, Capgemini, Oracle, TCS, Bank of America, HSBC, Standard Chartered, J.P. Morgan અને Barclays જેવી કંપનીઓને તેના IT અને ફાઇનાન્શિયલ ઇકોસિસ્ટમના marquee occupants તરીકે દર્શાવવામાં આવી છે. ફાઇનાન્સથી આગળ ટેક્નોલોજી અને GCCનું પણ મોટું કેન્દ્ર GIFT City હવે માત્ર બેન્કિંગ અને ફંડ મેનેજમેન્ટ પૂરતું સીમિત નથી. અહીં ટેક્નોલોજી કંપનીઓ અને Global Capability Centres (GCCs) માટે પણ ઇકોસિસ્ટમ ઝડપથી વિકસી રહ્યું છે. તાજેતરમાં GIFT Cityને ગ્લોબલ કંપનીઓ માટે GCCના વિસ્તરણના સંભવિત હબ તરીકે જોવામાં આવી રહ્યું છે. સ્ટેટ-ઓફ-ધ-આર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, બિઝનેસ-ફ્રેન્ડલી નીતિઓ, ઓપરેશનલ કોસ્ટ અને કુશળ માનવબળ જેવા પરિબળો વૈશ્વિક કંપનીઓને આકર્ષી રહ્યા છે. હવે સૌથી મોટો સવાલ: આગળ શું? દીપેશ શાહના જણાવ્યા પ્રમાણે, ફંડ મેનેજમેન્ટના આ નિયમો અને માળખું હજી પ્રમાણમાં નવું છે. તેમ છતાં માત્ર થોડા વર્ષમાં FME, ફંડ્સ અને રોકાણની રકમમાં મોટો વધારો થયો છે. GIFT City માત્ર ફાઇનાન્સ હબ નહીં, સંપૂર્ણ ગ્લોબલ ઇકોસિસ્ટમ બનવા તરફ GIFT Cityની કહાની હવે માત્ર $39 બિલિયનની ફંડ કમિટમેન્ટ સુધી સીમિત નથી. અહીં ફાઇનાન્સની સાથે ટેક્નોલોજી, ફિનટેક, GCC, ઇન્શ્યોરન્સ, કેપિટલ માર્કેટ્સ, એરક્રાફ્ટ લીઝિંગ, શિપ લીઝિંગ, બુલિયન અને અન્ય આંતરરાષ્ટ્રીય બિઝનેસ પ્રવૃત્તિઓનું ઇકોસિસ્ટમ વિકસી રહ્યું છે. આ સાથે National Food Delivery Summitમાં આશરે 1,500 FB બ્રાન્ડ્સ આવવાની અપેક્ષા પણ GIFT Cityના બદલાતા સ્વરૂપને દર્શાવે છે. રિલેક્સ્ડ રેગ્યુલેશન્સ, વધતું બિઝનેસ ઇકોસિસ્ટમ અને લાઇફસ્ટાઇલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ફૂડ એન્ડ બેવરેજ કંપનીઓ માટે પણ નવી તકો ઊભી કરી રહ્યા છે. એટલે કે, GIFT Cityમાં હવે માત્ર ઓફિસ અને ફાઇનાન્સિયલ સર્વિસિસનું માળખું જ નહીં, પરંતુ કામ, બિઝનેસ, રહેઠાણ, ફૂડ, રિટેલ અને લાઇફસ્ટાઇલને જોડતું સંપૂર્ણ અર્બન ઇકોસિસ્ટમ પણ ઊભું થઈ રહ્યું છે. કનેક્ટિવિટી વધશે તો GIFT Cityની ગતિ પણ વધશે GIFT Cityની આસપાસ વિકસતું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ તેની ભવિષ્યની ક્ષમતા વધારી રહ્યું છે. કોમનવેલ્થ ગેમ્સ સંબંધિત ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન કનેક્ટિવિટી અને વિસ્તરતી મેટ્રો લિન્કેજ GIFT Cityને વધુ મજબૂત ટ્રાન્સપોર્ટ નેટવર્ક સાથે જોડવાની દિશામાં મહત્વપૂર્ણ બની શકે છે. આ કનેક્ટિવિટી માત્ર શહેરની અંદર આવન-જાવન સરળ બનાવશે એટલું જ નહીં, પરંતુ દેશ-વિદેશની કંપનીઓ, રોકાણકારો, પ્રોફેશનલ્સ અને બિઝનેસ માટે GIFT Cityની પહોંચ પણ વધારશે.

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...