Skip to main content

ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: આગામી 7 દિવસ કેવું રહેશે હવામાન? જાણો IMD ની નવી આગાહી


<p><strong>Gujarat Weather Forecast:</strong> ગુજરાતના ખેડૂતો અને નાગરિકો હજુ પણ એક સારા વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. જોકે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી મુજબ, આગામી 7 દિવસ સુધી રાજ્યમાં ક્યાંય પણ ભારે વરસાદ પડવાની કોઈ જ શક્યતા નથી. મોટાભાગના વિસ્તારોમાં માત્ર હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા ઝાપટાં જ જોવા મળશે.</p> <p><strong>4 વરસાદી સિસ્ટમ સક્રિય, છતાં કેમ નથી વરસાદ?</strong></p> <p>હાલમાં ગુજરાત પર અને તેની આસપાસ 4 અલગ-અલગ સિસ્ટમ એક્ટિવ છે:</p> <p>નવું લો પ્રેશર: બંગાળની ખાડીમાં એક નવું લો પ્રેશર બન્યું છે, જેની સાથે જોડાયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન દરિયાઈ સપાટીથી 7.6 કિલોમીટર સુધી વિસ્તરેલું છે.</p> <p>જૂનું સાયક્લોનિક સર્ક્યુલેશન: મધ્યપ્રદેશ પર રહેલું લો પ્રેશર ભલે નબળું પડ્યું હોય, પણ તેનું સાયક્લોનિક સર્ક્યુલેશન હજુ ચાલુ છે.</p> <p>મોનસૂન ટ્રફ: અમૃતસરથી શરૂ થઈને દેવગઢ મારફતે બંગાળની ખાડી સુધી એક મોનસૂન ટ્રફ પસાર થઈ રહ્યો છે.</p> <p>વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ: 60 ડિગ્રી પૂર્વમાં એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પણ સક્રિય છે.</p> <p>આટલી સિસ્ટમ હોવા છતાં, હાલ દક્ષિણ-પશ્ચિમ દિશાના પવનો ફૂંકાઈ રહ્યા છે. પ્રેશર ગ્રેડિએન્ટના કારણે પવનની ઝડપ 15 થી 20 નોટ્સ અને ક્યારેક 25 નોટ્સ સુધી પહોંચી રહી છે, જેથી ભારે વરસાદની કોઈ શક્યતા નથી. રાહતની વાત એ છે કે, માછીમારો માટે આગામી 5 દિવસ સુધી દરિયો ખેડવા અંગે કોઈ ચેતવણી આપવામાં આવી નથી.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/india/weather-forecast-august-24-rain-alert-and-heavy-wind-advisory-imd-update-989503">હવામાન વિભાગની લાલબત્તી: આવતીકાલે 22 રાજ્યોમાં ભારે વરસાદ અને 85 kmphની ઝડપે પવન ફૂંકાશે</a></strong></p> <p><strong>વરસાદના આંકડા: ક્યાં મહેર, ક્યાં કહેર?</strong></p> <p>22 ઓગસ્ટ સુધીના સિઝનના આંકડા પર નજર કરીએ તો, રાજ્યમાં અત્યાર સુધી સરેરાશ 20.44 ઈંચ વરસાદ નોંધાયો છે, જેમાં ભૌગોલિક અસમાનતા સ્પષ્ટ દેખાય છે:</p> <p>ગુજરાત રિજન: અહીં મેઘરાજાએ મહેર કરી છે અને સામાન્ય કરતાં 13% વધુ વરસાદ વરસ્યો છે.</p> <p>સૌરાષ્ટ્ર અને કચ્છ: અહીંની સ્થિતિ હજુ ચિંતાજનક છે. આ વિસ્તારોમાં સામાન્ય કરતાં 26% ઓછો વરસાદ નોંધાયો છે.</p> <p>સમગ્ર રાજ્ય: કુલ મળીને ગુજરાતમાં સિઝનનો સરેરાશ વરસાદ હજુ પણ સામાન્ય કરતાં 4% ઓછો છે.</p> <p>માત્ર ઓગસ્ટ મહિનાની જ વાત કરીએ તો, આખા રાજ્યમાં 20% ઓછો વરસાદ પડ્યો છે. જેમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં 32% અને ગુજરાત રિજનમાં 14% ની ઘટ નોંધાઈ છે.</p> <p><strong>અમદાવાદમાં કેવું રહેશે વાતાવરણ?</strong></p> <p>અમદાવાદના શહેરીજનો માટે આગામી 7 દિવસ સુધી મોટાભાગે આકાશ વાદળછાયું રહેશે. વાતાવરણમાં પલટાને કારણે ક્યાંક છૂટાછવાયા વરસાદી ઝાપટાં પડી શકે છે, પરંતુ કોઈ મોટા કે ભારે વરસાદની અપેક્ષા નથી.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-weather-forecast-next-7-days-light-to-moderate-rain-alert-989398">અમદાવાદ સહિત રાજ્યમાં 7 દિવસ વરસાદની આગાહી: પવન સાથે વરસશે ઝાપટાં, જુઓ વેધર રિપોર્ટ</a></strong></p> <p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...