Skip to main content

ગુજરાત પર 5 સિસ્ટમ સક્રિય: હવામાન અને અંબાલાલ પટેલે આપી ધોધમાર વરસાદની ચેતવણી


<p><strong>Gujarat Weather Update:</strong> ગુજરાતમાં મેઘરાજા ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ રમવાની તૈયારીમાં છે. હવામાન વિભાગે આપેલી લેટેસ્ટ માહિતી મુજબ, હાલમાં રાજ્ય પર એકસાથે 5 અલગ-અલગ સિસ્ટમ એક્ટિવ થઈ ગઈ છે. જેમાં લો પ્રેશર, મોન્સુન ટ્રફ, શિયર ઝોન અને બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો સમાવેશ થાય છે. આ પાંચેય સિસ્ટમની અસરને પગલે આગાહી કરવામાં આવી છે કે આગામી 7 દિવસ સુધી રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં હળવાથી લઈને મધ્યમ વરસાદી માહોલ રહેશે. જોકે, આજે અને આવતીકાલે કેટલાક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ ખાબકવાની પૂરી શક્યતા છે.</p> <p><strong>કયા જિલ્લાઓમાં અપાયું છે એલર્ટ?</strong></p> <p>હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વરસાદની તીવ્રતાને જોતા આજે મહિસાગર, પંચમહાલ અને દાહોદ જિલ્લામાં કેટલાક છૂટાછવાયા સ્થળો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગમાં પણ ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ અપાયું છે.</p> <p>આવતીકાલની એટલે કે 13 ઓગસ્ટની વાત કરીએ તો, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, તાપી અને ડાંગ જિલ્લામાં ભારે વરસાદની સંભાવના હોવાથી ત્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ચાલુ વર્ષે ચોમાસું મહેરબાન રહ્યું છે અને રાજ્યમાં અત્યાર સુધીમાં સીઝનનો સરેરાશ કરતા 2 ટકા વધુ વરસાદ નોંધાઈ ચૂક્યો છે. બીજી તરફ, દરિયામાં ભારે કરંટ જોવા મળી શકે તેમ હોવાથી સાવચેતીના પગલાંરૂપે માછીમારોને દરિયો ન ખેડવાની કડક સૂચના આપી દેવામાં આવી છે.</p> <p><strong>અંબાલાલ પટેલની આગાહી: ક્યારે અને ક્યાં પડશે વરસાદ?</strong></p> <p>હવામાન વિભાગની સાથે સાથે જાણીતા હવામાન આગાહીકાર અંબાલાલ પટેલે પણ વરસાદને લઈને કેટલાક મહત્વના વરતારા કર્યા છે. તેમના જણાવ્યા મુજબ:</p> <p>આગામી 24 કલાક: ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાતની સાથે ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડી શકે છે.</p> <p>નર્મદાના જળસ્તરમાં થશે વધારો: 13 થી 15 ઓગસ્ટ દરમિયાન પડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. તેની સીધી અસર ગુજરાતના સરહદી વિસ્તારોમાં જોવા મળશે અને નર્મદા નદીના જળસ્તરમાં પણ નોંધપાત્ર વધારો થવાની શક્યતા છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-rain-forecast-heavy-rainfall-orange-alert-next-48-hours-988343">ગુજરાતમાં 4 સિસ્ટમ સક્રિય: 3 જિલ્લામાં અતિભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ, IMD ની લેટેસ્ટ આગાહી</a></strong></p> <p>ખેડૂતો માટે ફાયદાકારક: 17 થી 19 ઓગસ્ટની વચ્ચે મઘા નક્ષત્ર બેસશે. આ નક્ષત્રમાં પડનારા વરસાદી ઝાપટાં ખેડૂતોના ઊભા પાક માટે જીવાદોરી સમાન અને ખૂબ જ ફાયદાકારક સાબિત થશે.</p> <p>ઓગસ્ટ અંતમાં જામશે માહોલ: 23 થી 28 ઓગસ્ટ સુધી પણ રાજ્યમાં સારો એવો વરસાદી માહોલ જળવાઈ રહેશે.</p> <p>અરબી સમુદ્રમાં હિલચાલ: ઓગસ્ટ મહિનાના અંતમાં અને સપ્ટેમ્બરની શરૂઆતમાં અરબી સમુદ્રમાં ફરીથી સિસ્ટમ સક્રિય થઈ શકે છે. જેના પરિણામે ખાસ કરીને પોરબંદર, દ્વારકા અને જામનગર પંથકમાં વરસાદ પડવાની પ્રબળ શક્યતા છે.</p> <p>સપ્ટેમ્બરમાં પણ મેઘમહેર: 6 થી 10 સપ્ટેમ્બર દરમિયાન આખા રાજ્યમાં સાર્વત્રિક વરસાદ જોવા મળશે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 12 સપ્ટેમ્બર પછી પણ રાજ્યમાં ભારે વરસાદી ઝાપટાં પડવાની શક્યતાઓ રહેલી છે.</p> <p><strong>આ પણ વાંચોઃ <a href="https://gujarati.abplive.com/news/gujarat/gujarat-rain-forecast-imd-and-ambalal-patel-predict-heavy-rainfall-in-48-hours-988350">હવામાન વિભાગ અને અંબાલાલની મોટી આગાહી: આગામી 48 કલાક આ વિસ્તારમાં અતિભારે વરસાદ ખાબકશે</a></strong></p> <p><iframe title="ABP Asmita | Gujarat Weather Update | Headlines Today | Gujarat Politics | Gujarat Breaking News" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...