Skip to main content

ગુજરાતમાં આજથી વરસાદનું જોર ઘટશે, આ જિલ્લામાં આજે વરસશે વરસાદ, 8 જિલ્લામાં યલો એલર્ટ જાહેર


<p><strong>Gujarat Weather Forecast:</strong> રાજ્યમાં હજુ ચાર સિસ્ટમ ભલે સક્રિય હોય પરંતું વરસાદનું જોર આજથી ઘટશે. આજના દિવસે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મળી કુલ આઠ જિલ્લામાં યલો એલર્ટ અપાયું છે. સૌરાષ્ટ્રના મોરબી અને સુરેન્દ્રનગર જિલ્લામાં તો ઉત્તર ગુજરાતના પાટણ, મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠા, વાવ- થરાદ અને કચ્છ જિલ્લામાં છૂટ્ટાછવાયા સ્થળે ભારે વરસાદનું યલો એલર્ટ અપાયું છે. હાલ રાજ્ય પર વેલમાર્ક લો પ્રેશર, મોનસૂન ટ્રફ, શિયર ઝોન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત કુલ ચાર હવામાન પ્રણાલીઓ સક્રિય હોવાથી દરિયાઈ સ્થિતિ ઉગ્ર બનતા 2 ઓગસ્ટ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે અને રાજ્યના તમામ બંદરો પર નંબર-3નું ચેતવણી સિગ્નલ યથાવત રખાયું છે. રાજ્યમાં અત્યાર સુધીમાં સિઝનનો સરેરાશ 17.56 ઈંચ વરસાદ વરસ્યો છે. જે અત્યાર સુધીની સરેરાશથી 16 ટકા વધુ છે. ઓગષ્ટના પ્રારંભ સુધીમાં રાજ્યમાં સરેરાશ 380.9 મીમી એટલે કે 15.2 ઈંચ વરસાદ વરસવો જોઈતો હતો... જેની સામે અત્યાર સુધીમાં 439.9 મીમી એટલે કે 17.56 ઈંચ વરસાદ વરસ્યો છે..</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p class="PDq2pG_selectionAnchorContainer" data-start="770" data-end="1014">રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન મેઘરાજાએ રાજ્યભરમાં ધમાકેદાર બેટિંગ કરી છે. રાજ્યના કુલ 257 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધુ વરસાદ મોરબીમાં 8.78 ઈંચ નોંધાયો છે. જ્યારે ધ્રાંગધ્રા અને હળવદમાં 7-7 ઈંચ વરસાદ વરસ્યો છે.</p> <p data-start="1016" data-end="1246">હવામાન વિભાગના આંકડા મુજબ, 27 તાલુકામાં 3થી 6 ઈંચ સુધી વરસાદ નોંધાયો છે, જ્યારે 112 તાલુકામાં 1થી પોણા ત્રણ ઈંચ સુધી વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ છે.</p> <p data-start="1248" data-end="1412">વરસાદના આંકડા મુજબ વઢવાણમાં 6.18 ઈંચ, તિલકવાડામાં 6.02 ઈંચ, નાંદોદ અને ગરૂડેશ્વરમાં 4.88-4.88 ઈંચ, જ્યારે માળિયા (મીં)માં 4.80 ઈંચ વરસાદ નોંધાયો છે.</p> <p data-start="1414" data-end="1634">આ ઉપરાંત નાનાપોંઢામાં 4.57 ઈંચ, વાંકાનેરમાં 4.53 ઈંચ, લખતરમાં 4.49 ઈંચ, કપરાડામાં 4.41 ઈંચ, ઉમરપાડામાં 4.37 ઈંચ, ભરૂચમાં 4.21 ઈંચ, ઝઘડિયામાં 4.17 ઈંચ અને ઓલપાડમાં 4.13 ઈંચ વરસાદ વરસ્યો છે.</p> <p data-start="1636" data-end="1913">અન્ય તાલુકાઓમાં મહુધામાં 3.94 ઈંચ, અંકલેશ્વરમાં 3.78 ઈંચ, મૂળી અને ચુડામાં 3.66-3.66 ઈંચ, થાનગઢમાં 3.50 ઈંચ, શિનોરમાં 3.43 ઈંચ, ચોટીલામાં 3.15 ઈંચ, નસવાડી અને કપડવંજમાં 3.11-3.11 ઈંચ, કઠલાલમાં 3.07 ઈંચ અને ચીખલીમાં 3.03 ઈંચ વરસાદ નોંધાયો છે.</p> <p class="PDq2pG_selectionAnchorContainer" data-start="1915" data-end="2056">જ્યારે પાટણ અને દિયોદરમાં 2.99 ઈંચ, કામરેજ અને સિદ્ધપુરમાં 2.99 ઈંચ, તેમજ સુરત શહેર અને રાજકોટ શહેરમાં 2.91 ઈંચ વરસાદ નોંધાયો છે.</p> <p data-start="2058" data-end="2451" data-is-last-node="" data-is-only-node="">રાજ્યના વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદને કારણે નદી-નાળાઓમાં નવા નીરની આવક થઈ છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવા, ગ્રામ્ય માર્ગો પર પાણી ફરી વળવા અને વાહનવ્યવહારને અસર થવાના અહેવાલ મળી રહ્યા છે. હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ અને ક્યાંક ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. તેથી નાગરિકોને સાવચેતી રાખવા અને સ્થાનિક તંત્રની સૂચનાઓનું પાલન કરવા અપીલ કરવામાં આવી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...