Ahmedabad: કરોડોના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડન પર ફરી વળશે બુલડોઝર,ગુજરાત યુનિવર્સિટી સામે કોંગ્રેસના ગંભીર આરોપ

<p style="text-align: justify;"><strong>Ahmedabad News:</strong> ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે વિકસાવવામાં આવેલા બોટનિકલ ગાર્ડનને લઈને હવે ગંભીર સવાલો ઊભા થયા છે. કરોડો રૂપિયાના ખર્ચ બાદ બોટનિકલ ગાર્ડન પર બુલડોઝર ફેરવવાનો વારો આવ્યો છે. નેચર પ્રોજેક્ટમાં ગેરરીતિ અને કૌભાંડના કોંગ્રેસના આક્ષેપો વચ્ચે હવે સમગ્ર મામલો ચર્ચામાં આવ્યો છે. ગુજરાત યુનિવર્સિટીમાં વર્ષો પહેલા સાઇન્સ ડિપાર્ટમેન્ટની આસપાસ બોટનિકલ ગાર્ડન વિકસાવવામાં આવ્યો હતો. અહીં દેશ-વિદેશના પક્ષીઓ તેમજ અનેક પ્રકારની વનસ્પતિઓ જોવા મળતી હતી. પરંતુ હવે આ જ બોટનિકલ ગાર્ડનના એક મોટા હિસ્સાને લઈને વિવાદ ઊભો થયો છે.</p>
<p style="text-align: justify;">&nbsp;</p>
<p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p>
<p style="text-align: justify;"><strong>25 કરોડના ખર્ચે બે કોન્ટ્રાક્ટરોને આર્બોરેટમ અને નક્ષત્ર વન બનાવવાનું ટેન્ડર આપવામાં આવ્યું હતું</strong></p>
<p style="text-align: justify;">ગુજરાત યુનિવર્સિટીમાં લગભગ 25 કરોડ રૂપિયાના ખર્ચે બે કોન્ટ્રાક્ટરોને આર્બોરેટમ અને નક્ષત્ર વન બનાવવાનું ટેન્ડર આપવામાં આવ્યું હતું. પ્રોજેક્ટ અંતર્ગત વિવિધ પ્રકારના વૃક્ષો અને વનસ્પતિઓનું જતન, કુદરતી વાતાવરણનું નિર્માણ અને પક્ષીઓ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરવાનો હેતુ હતો. અહેવાલ મુજબ વર્ષ 2020થી સમાનના કરોડો રૂપિયાના ખર્ચે એક કંપનીને આર્બોરેટમ તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. પરંતુ હવે સવાલ એ છે કે કરોડો રૂપિયાના ખર્ચ બાદ આ પ્રોજેક્ટનું શું થયું? આક્ષેપ છે કે એક સમયે અહીં જોવા મળતું નેચરલ વેટલેન્ડ હવે ગાયબ થઈ ગયું છે.</p>
<p style="text-align: justify;"><a title="આ પણ વાંચો...Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી" href="https://ift.tt/qEwep2K" target="_self">આ પણ વાંચો...Umreth News: ઉમરેઠ સંતરામ મંદિરના મહંતનું નિધન,ભક્તોમાં ઘેરા શોકની લાગણી</a></p>
<p style="text-align: justify;"><strong>કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી સામે ગંભીર આક્ષેપો કર્યા</strong></p>
<p style="text-align: justify;">સાથે જ નક્ષત્ર વનનો પ્રોજેક્ટ પણ હવે અસ્તિત્વમાં ન હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.સમગ્ર મામલે કોંગ્રેસે ગુજરાત યુનિવર્સિટી સામે ગંભીર આક્ષેપો કર્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે કુદરત અને પર્યાવરણના નામે કરોડો રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો, પરંતુ યોગ્ય આયોજન અને જાળવણીના અભાવે આજે સ્થિતિ એવી છે કે બનાવવામાં આવેલા પ્રોજેક્ટ જ ગાયબ થઈ રહ્યા છે. કોંગ્રેસે સવાલ ઉઠાવ્યો છે કે જો કરોડો રૂપિયાના ખર્ચે આર્બોરેટમ, નક્ષત્ર વન અને વેટલેન્ડ તૈયાર કરવામાં આવ્યા હતા તો તેની જાળવણી કેમ ન થઈ? અને હવે બોટનિકલ ગાર્ડન પર બુલડોઝર ફેરવવાની જરૂર કેમ પડી? કોંગ્રેસે સમગ્ર મામલે ખર્ચ થયેલા નાણાં, ટેન્ડર પ્રક્રિયા, કોન્ટ્રાક્ટરોની કામગીરી અને પ્રોજેક્ટની હાલની સ્થિતિ અંગે તપાસની માંગ કરી છે.</p>
Comments
Post a Comment