Skip to main content

Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા


<p style="text-align: justify;"><strong>Ahmedabad News:</strong> ગુજરાત યુનિવર્સિટી છેલ્લા ઘણા સમયથી સમાચારમાં છે. પૂર્વ કુલપતિ પર ભ્રષ્ટાચારના આરોપને અનેક સવાલો ઉઠી રહ્યા છે. એવામાં ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા તેમની સામે લાગેલા ભ્રષ્ટાચારના આરોપો બાદ પ્રથમ વખત ખૂલીને સામે આવ્યા છે. તેમણે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને તેમણે પોતાની સામે લાગેલા તમામ આરોપો અંગે સ્પષ્ટતા કરી છે. નીરજા ગુપ્તાએ આરોપ લગાવ્યો છે કે,  વ્યક્તિગત સ્વાર્થ માટે તેમને બદનામ કરવાના હેતુથી જ ભ્રામક નેરેટિવ ફેલાવવામાં આવી રહ્યું છે.</p> <p style="text-align: justify;"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;">તેણે 40 કરોડ રૂપિયાના પ્રોજેક્ટ અંગે ઉઠેલા સવાલો પર સ્પષ્ટતા કરતા દાવો કર્યો હતો કે પ્રોજેક્ટ મંજૂર ચોક્કસ થયો હતો, પરંતુ તેમાં કોઈ નાણાકીય ટ્રાન્ઝેક્શન થયું જ નથી. વધુમાં તેમણે ઉમેર્યું કે ગત વર્ષે 16 કરોડ 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ આવી હતી, જેમાંથી માત્ર 1 કરોડ 90 લાખ રૂપિયાનો જ ખર્ચ થયો હતો અને બાકીની તમામ રકમ ગુજરાત યુનિવર્સિટીને સરેન્ડર કરી દેવામાં આવી હતી.</p> <p style="text-align: justify;"><a title="આ પણ વાંચો... ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગત" href="https://ift.tt/oSPwlAB" target="_self">આ પણ વાંચો... ગુજરાતમાં વરસાદનો નવો રાઉન્ડ: અંબાલાલ પટેલ અને હવામાન વિભાગે કરી મોટી આગાહી, જાણો વિગત</a></p> <p style="text-align: justify;">પોતાની સામે રચાયેલી તપાસ સમિતિ અંગે સવાલો ઉઠાવતા નીરજા ગુપ્તાએ જણાવ્યું હતું કે, આ કમિટીમાં એક્ઝિક્યુટિવ કાઉન્સિલ (EC)ના એવા બે સભ્યો સામેલ છે જેઓ અગાઉ કુલપતિ તરીકે લીધેલા મારા નિર્ણયોથી અસંતુષ્ટ હતા. આ સિવાય પેઈડ રિસર્ચના મુદ્દે તેમણે ઉમેર્યું હતું કે કુલપતિ તરીકે પેઈડ રિસર્ચ કરી શકાય છે અને તે દરેક યુનિવર્સિટીમાં થતી સામાન્ય પ્રક્રિયા છે. </p> <p style="text-align: justify;">નોંધનિય છે કે, આ ખુલાસા અને તેમના પર લાગેલા આરોપમાં કેટલી સચ્ચાઈ છે તે તો તપાસ બાદ જ સામે આવશે. આ ભ્રષ્ટાચાર અંગે એનએસયૂઆઈ અને એબીવીપી આક્રમક મૂડમાં છે અને યોગ્ય તપાસની માગ કરી રહ્યા છે.</p> <h4 class="abp-article-title">NSUI એ કર્યું હતું વિરોધ પ્રદર્શન</h4> <p style="text-align: justify;">25 ઓગસ્ટના રોજ NSUI એ પ્રદર્શન કહ્યું હતું. પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તા આક્ષેપ લગાવવામાં આવ્યો હતો કે,  પ્રધાનમંત્રી જન વિકાસ કાર્યક્રમ (PMJVK) હેઠળ મળેલી કરોડો રૂપિયાની ગ્રાન્ટના સંચાલન અને પોતાના પદ સંબંધિત નિમણૂકને લઈને ગરબડી કરી છે. પૂર્વ કુલપતિએ પોતાની જ સહીથી પોતાને PMJVK પ્રોજેક્ટમાં પ્રિન્સિપાલ ઇન્વેસ્ટિગેટર તરીકે નિયુક્ત કર્યા હોવાનો અને આ પદ માટે દર મહિને રૂ.4.20 લાખનું વળતર મેળવ્યું હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત, PMJVK ગ્રાન્ટના ખાતામાંથી તેમના પુત્ર અક્ષત ગુપ્તાના ખાતામાં રૂ.9.84 લાખ ફોરેક્સ ટ્રાન્સફર કરાયા હોવાના પણ આક્ષેપો સામે આવ્યા છે. </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...