Skip to main content

Amreli News: દૂધાળા ગામે કેન્દ્રીય મંત્રી અમિત શાહના હસ્તે ગુજરાત ગૌરવ સરોવરનું લોકાર્પણ


<p style="text-align: justify;" data-path-to-node="0"><strong>Amreli News:</strong> અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દૂધાળા ગામે ગાગડીયો નદી પર નવસર્જિત 'ગુજરાત ગૌરવ સરોવર'નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે ભવ્ય લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પદ્મશ્રી સવજીભાઈ ધોળકિયા અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા હાથ ધરાયેલી જળક્રાંતિ અંતર્ગત આ સરોવરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ પ્રસંગે ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવી, કૃષિ મંત્રી જીતુ વાઘાણી તેમજ મંત્રી કૌશિક વેકરીયા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા.</p> <p style="text-align: justify;" data-path-to-node="0"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;" data-path-to-node="1">લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ધોળકિયા પરિવારની સામાજિક સેવા અને જળસંચયની કામગીરીને બિરદાવતા જણાવ્યું હતું કે, દૂધાળામાં તૈયાર થયેલા આ સરોવરો માત્ર મનને જ નહીં પરંતુ આત્માને પણ અસીમ આનંદ આપે તેવા છે. ધોળકિયા પરિવારે 10 દીકરાઓ સમાન પુણ્યનું કામ કર્યું છે. તેમણે ઉમેર્યું હતું કે બદલાતી વરસાદી પેટર્નમાં આવી જળસંચય યોજનાઓનું મહત્વ વધી જાય છે, અને જો વરસાદી પાણીને જમીનમાં ઉતારવામાં આવે તો દેશ કે પ્રદેશમાં ક્યારેય દુષ્કાળનો સામનો કરવો ન પડે.</p> <p style="text-align: justify;" data-path-to-node="1"><a title="આ પણ વાંચો...Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા" href="https://ift.tt/iAXjdpW" target="_self">આ પણ વાંચો...Ahmedabad: ગુજરાત યુનિના પૂર્વ કુલપતિ નીરજા ગુપ્તાએ પોતાના પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપ અંગે આપી પહેલી પ્રતિક્રિયા</a></p> <p style="text-align: justify;" data-path-to-node="2">કોંગ્રેસ શાસનની ટીકા કરતાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 80ના દશકમાં સતત ત્રણ વર્ષ દુષ્કાળ પડ્યો ત્યારે તત્કાલીન કોંગ્રેસ સરકારમાં પાણી વિતરણની યોગ્ય વ્યવસ્થા નહોતી અને કૌભાંડો થતા હતા. જોકે, 2002 પછી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ગુજરાતમાં દુષ્કાળ ભૂતકાળ બની ગયો છે. નરેન્દ્રભાઈએ 'જળ એ જ જીવન'ને સરકારનો મંત્ર બનાવીને લાખો ચેકડેમો, સેંકડો તળાવો, નર્મદા યોજનાના દરવાજા ખોલવા અને સૌની યોજના દ્વારા સૌરાષ્ટ્રના ડેમો-નદીઓ ભરવાનું ઐતિહાસિક કાર્ય કર્યું છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="3">ઉલ્લેખનીય છે કે 57 કિલોમીટર લાંબી ગાગડીયો નદી પર ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 40 જેટલા સરોવરોનું નિર્માણ કરવામાં આવ્યું છે, જેનું અગાઉ વડાપ્રધાન, પૂર્વ રાષ્ટ્રપતિ અને પૂર્વ મુખ્યમંત્રીઓ પણ લોકાર્પણ કરી ચૂક્યા છે. આ જળક્રાંતિથી ખારાપાટ વિસ્તારના કૂવાઓ જીવંત થયા છે, ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવ્યા છે અને સ્થાનિક ખેડૂતોને સીધો આર્થિક ફાયદો થઈ રહ્યો છે.</p> <h3 style="text-align: justify;" data-path-to-node="5"><strong data-path-to-node="5" data-index-in-node="0">અમિત શાહ બોપલ-ઘુમામાં યોજશે 'લોક દરબાર': સ્થાનિક પ્રશ્નો સાંભળશે</strong></h3> <blockquote class="twitter-tweet"> <p dir="ltr" lang="und">અમરેલીમાં હરિકૃષ્ણ ગ્રુપ અને ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા નવનિર્મિત 'ગુજરાત ગૌરવ સરોવર'ના લોકાર્પણ સમારોહથી લાઈવ.<br /><br />अमरेली (गुजरात) में हरिकृष्ण ग्रुप और ढोलकिया फाउंडेशन द्वारा नवनिर्मित 'गुजरात गौरव सरोवर' के लोकार्पण समारोह से लाइव… <a href="https://t.co/Ze8AcUT1PY">https://t.co/Ze8AcUT1PY</a></p> — Amit Shah (@AmitShah) <a href="https://ift.tt/tFVYzLa 27, 2026</a></blockquote> <p> <script src="https://ift.tt/Zyr6MEa" async="" charset="utf-8"></script> </p> <p style="text-align: justify;" data-path-to-node="6">અમરેલીના કાર્યક્રમ બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બોપલ-ઘુમા વિસ્તારના નાગરિકો સાથે સીધો વાર્તાલાપ કરવા માટે <strong data-path-to-node="6" data-index-in-node="110">'</strong>લોક દરબાર<strong data-path-to-node="6" data-index-in-node="110">'</strong> અને જનસંપર્ક કાર્યક્રમ યોજશે. આ કાર્યક્રમમાં બોપલ, શેલા, શીલજ, ઘુમા અને આંબલી વિસ્તારના સ્થાનિકો તેમજ વિવિધ સોસાયટીના ચેરમેન અને સેક્રેટરીઓ ઉપસ્થિત રહેશે.</p> <p style="text-align: justify;" data-path-to-node="7">અમિત શાહ આ વિસ્તારોમાં ચોમાસા દરમિયાન થતા જળભરાવ, રોડ-રસ્તા અને ડ્રેનેજ સહિતના પાયાના પ્રશ્નો અંગે નાગરિકોની રજૂઆતો અને સૂચનો પ્રત્યક્ષ સાંભળશે. લોકોની સમસ્યાઓનો ત્વરિત ઉકેલ લાવવા માટે તેઓ સ્થળ પર જ સંબંધિત અધિકારીઓને જરૂરી આદેશો અને દિશાનિર્દેશો આપશે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...