Skip to main content

સુરતમાં BJP ધારાસભ્યની ઓફિસમાં જ મારામારી, તોડબાજીનો લાગ્યો આરોપ, મહિલા કોર્પોરેટર અને તેમના પતિ ઈજાગ્રસ્ત


<p style="text-align: justify;" data-path-to-node="2"><strong>Surat BJP Clash:</strong> સુરતમાં ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિવાદ હવે સપાટી પર આવી ગયો છે. ઉત્તર સુરતના ભાજપ ધારાસભ્ય કાંતિ બલરની ઓફિસમાં જ પક્ષના બે નેતાઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ છૂટાહાથની મારામારી થતાં ચકચાર મચી ગઈ છે. આ હિંસક ઝપાઝપીમાં મહિલા કોર્પોરેટર જયશ્રી વોરા અને તેમના પતિ મનહર વોરાને હાથ તથા આંગળીના ભાગે ફેક્ચર સહિતની ઈજાઓ પહોંચી છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="3"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;" data-path-to-node="3">મળતી માહિતી મુજબ, વોર્ડ નંબર 5 (ફૂલપાડા-અશ્વિનીકુમાર) માં આવેલી ભટની વાડી સોસાયટીના પડતર પ્રશ્નો અને ડિમોલિશન સંબંધિત રજૂઆતો અંગે ચર્ચા કરવા માટે ધારાસભ્ય કાંતિ બલરે ચારેય કોર્પોરેટર અને સ્થાનિક આગેવાનોની બેઠક બોલાવી હતી. સ્થાનિક આગેવાનો પોતાની રજૂઆત કરીને નીકળ્યા બાદ અંદરોઅંદરની વર્ચસ્વની લડાઈ સામે આવી હતી. બેઠકમાં કોને બોલાવવામાં આવ્યા અને કોને બાકાત રખાયા તે મુદ્દે ચર્ચા શરૂ થઈ હતી.</p> <p style="text-align: justify;" data-path-to-node="3"><a title="આ પણ વાંચો...નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'" href="https://ift.tt/UFlQDrs" target="_self">આ પણ વાંચો...નેશનલ હાઈવે ઓથોરિટીને ગુજરાત હાઈકોર્ટની ટકોર, કહ્યું- 'ટોલ ઉઘરાવો છો તો સુવિધા પણ આપો'</a></p> <p style="text-align: justify;" data-path-to-node="4">આ દરમિયાન, મહિલા કોર્પોરેટર જયશ્રી વોરાના પતિ મનહર વોરાએ ટીપી કમિટીના ચેરમેન મહેન્દ્ર દેસાઈ પર પક્ષપાત કરવાનો અને સંકલન ન રાખવાનો આરોપ લગાવ્યો હતો. આ વાતથી ઉશ્કેરાયેલા મહેન્દ્ર દેસાઈ અને મનહર વોરા વચ્ચે સામસામે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને મામલો મારામારી સુધી પહોંચ્યો હતો. આરોપ છે કે ધારાસભ્યની હાજરીમાં જ મહેન્દ્ર દેસાઈ ખુરશી લઈને મારવા દોડ્યા હતા.</p> <p style="text-align: justify;" data-path-to-node="5">બીજી તરફ, મનહર વોરાએ દાવો કર્યો હતો કે કતારગામ અને વરાછા ઝોનમાં સૌરાષ્ટ્રવાસીઓ તથા પાટીદારોના ઉદ્યોગોને ટાર્ગેટ બનાવીને ડિમોલિશન કરવામાં આવી રહ્યું છે. જ્યારે કાર્યકર્તાઓની મહેનત યાદ અપાવી રજૂઆત કરવામાં આવી, ત્યારે ટીપી ચેરમેને યોગ્ય પ્રતિસાદ આપ્યો નહોતો. ધારાસભ્ય અને અન્ય કોર્પોરેટરોએ વચ્ચે પડીને મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાથી સુરત ભાજપના આંતરિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="5"><strong>મહેન્દ્ર દેસાઈએ જીઆઈડીસીમાંથી 2 લાખ રૂપિયાનો તોડ કર્યાનો આરોપ</strong></p> <p style="text-align: justify;" data-path-to-node="5"> મહિલા કોર્પોરેટર જયશ્રીબેન વોરાએ મહેન્દ્ર દેસાઈ પર ગંભીર આક્ષેપો કરતા દાવો કર્યો છે કે તેઓ તોડ કરવા માટે જ કોર્પોરેટર બન્યા છે અને નાણાકીય ફાયદો મેળવવા માટે જ જાણી જોઈને ડિમોલિશનની કાર્યવાહી કરાવે છે. જયશ્રીબેને વધુમાં આક્ષેપ કર્યો હતો કે મહેન્દ્ર દેસાઈએ જીઆઈડીસીમાંથી 2 લાખ રૂપિયાનો તોડ કર્યો છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="5">સુરતમાં ભાજપના ધારાસભ્યની ઓફિસમાં થયેલી હિંસક મારામારીના કેસમાં હવે એક નવો અને સનસનીખેજ ટ્વીસ્ટ સામે આવ્યો છે, જેનાથી સુરત ભાજપમાં ભયંકર ભાંજગડની શરૂઆત થઈ ગઈ છે. એબીપી અસ્મિતા સાથેની ખાસ વાતચીતમાં ભાજપના જ કોર્પોરેટરે આરોપ લગાવ્યો છે કે આ બબાલ સ્થાનિક લોકોના પ્રશ્નોને લઈને નહીં, પરંતુ ડિમોલિશનમાં રૂપિયાની લેવડદેવડ અને તોડબાજીના મુદ્દે થઈ હતી. સુરત મનપાના ભાજપના કોર્પોરેટરો વચ્ચે જ જાહેરમાં હિંસક બબાલ અને એકબીજા પર આમને-સામને સનસનીખેજ આરોપબાજી શરૂ થઈ જતાં રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...