Skip to main content

અમદાવાદમાં સિક્યુરિટી ગાર્ડે યુવતીને બનાવી હવસનો શિકાર, ધાબા પર ચાલવા ગયેલી વિદ્યાર્થિનીને વાયરથી બાંધી આચર્યું દૂષ્કર્મ


<p style="text-align: justify;" data-path-to-node="3"><strong>Ahmedabad News:</strong> અમદાવાદના પોશ ગણાતા આનંદનગર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા પર સવાલ ઊભા કરતી એક આઘાતજનક ઘટના સામે આવી છે. અહીંના એક પેઇંગ ગેસ્ટ (PG)માં રહીને ઇન્ટિરિયર ડિઝાઇનિંગનો અભ્યાસ કરતી એક વિદ્યાર્થિની પર ફ્લેટના જ સિક્યુરિટી ગાર્ડે દુષ્કર્મ આચર્યું હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગણતરીના કલાકોમાં જ આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી લીધી છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="3"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;" data-path-to-node="4">પ્રાપ્ત માહિતી અનુસાર, પીડિતા રોજ રાત્રે જમીને ફ્લેટના ધાબા પર ચાલવા જતી હતી. ગઈકાલે (8 ઓગસ્ટ) રાત્રે પણ તે ધાબા પર ગઈ હતી. આ દરમિયાન સોસાયટીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતો ધર્મસિંહ રામશંકરસિંહ પણ તેની પાછળ ધાબા પર પહોંચ્યો હતો. આરોપી પહેલેથી જ ધાબા પર યુવતીની રાહ જોતો હોવાનું પણ કહેવાય છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="4"><a title="આ પણ વાંચો...Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ" href="https://ift.tt/gWVCvnm" target="_self">આ પણ વાંચો...Rain Forecast: 9 અને 10 ઓગસ્ટના રોજ રાજ્યના આ જિલ્લામાં પહોંચશે મેઘસવારી, વરસાદનું એલર્ટ</a></p> <p style="text-align: justify;" data-path-to-node="5">શરૂઆતમાં ધર્મસિંહે યુવતી સાથે વાતચીત કરી શારીરિક સંબંધ બાંધવાની બીભત્સ માંગણી કરી હતી. યુવતીએ તેનો સખત ઇનકાર કરી તેને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. જ્યારે યુવતી ધાબા પરથી નીચે ઉતરવા લાગી, ત્યારે આરોપીએ અચાનક પાછળથી હુમલો કરી દીધો. તેણે યુવતીના ગળે વાયર બાંધીને તેને નીચે પછાડી દીધી. ત્યારબાદ ધાબાનો દરવાજો અંદરથી બંધ કરી, યુવતીનું મોઢું દબાવીને એક કલાક સુધી તેની પર બળાત્કાર ગુજાર્યો હતો.</p> <p style="text-align: justify;" data-path-to-node="6">દુષ્કર્મ આચર્યા બાદ આરોપી સિક્યુરિટી ગાર્ડ લિફ્ટમાં બેસીને નીચે ભાગી ગયો હતો, જે સમગ્ર ઘટના બિલ્ડિંગના CCTV કેમેરામાં કેદ થઈ ગઈ છે. યુવતીએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કરી બનાવની જાણ કરી હતી. હાલમાં પીડિતાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="7">પોલીસ કમિશનરના આદેશથી રાત્રિ પેટ્રોલિંગ સઘન બનાવાયું હોવા છતાં, PG ના ધાબા પર બનેલી આ ઘટનાએ ખળભળાટ મચાવી દીધો છે. સ્થાનિક પોલીસ, LCB (લોકલ ક્રાઇમ બ્રાન્ચ) અને ક્રાઈમ બ્રાન્ચની 10 થી વધુ ટીમોએ તાત્કાલિક એક્શનમાં આવી, બાતમી અને CCTV ફૂટેજના આધારે વહેલી સવારે જ આરોપી ધર્મસિંહની ધરપકડ કરી લીધી હતી.</p> <p style="text-align: justify;" data-path-to-node="8">પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી ધર્મસિંહ ઉત્તર પ્રદેશના હરદોઈ જિલ્લાનો વતની છે. ચોંકાવનારી વાત એ છે કે તે માત્ર છ-સાત દિવસ પહેલાં જ આ ફ્લેટમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી પર લાગ્યો હતો. આનંદનગર પોલીસે આરોપી સામે ગુનો નોંધી, કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરી છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...