Skip to main content

અપૂરતા વરસાદથી સૌરાષ્ટ્ર-કચ્છમાં ખેડૂતો-પશુપાલકો ચિંતિત, ખરીફ પાકો નિષ્ફળ થવાનું જોખમ


<p>સૌરાષ્ટ્ર-કચ્છમાં અપૂરતા વરસાદના કારણે ખેડૂતો-પશુપાલકો ચિંતિત થયા છે. 10 જિલ્લામાં 50 ટકાથી પણ ઓછો વરસાદ વરસ્યો છે. દેવભૂમિ દ્વારકામાં 6 ટકા, કચ્છમાં 29 ટકા વરસાદ વરસ્યો હતો. ઓછા વરસાદના કારણે મગફળી અને કપાસના પાક નિષ્ફળ થવાનું જોખમ છે. લીલા ચારાની અછતથી દૂધ ઉત્પાદન ઘટ્યું છે. કચ્છમાં દૂધ ઉત્પાદનમાં 1 લાખ લીટરનો ઘટાડો થયો છે. ખરીફ પાકો નિષ્ફળ જવાનું જોખમ છે. </p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=dN9GQh0-F2v7rknX" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p>સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ભારે અછત ખેંચ જોવા મળી રહી છે. કચ્છમાં અત્યાર સુધીમાં સરેરાશ માત્ર 29.27 ટકા જ વરસાદ થયો છે, જ્યારે દેવભૂમિ દ્વારકામાં સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે, જ્યાં સીઝનનો માત્ર 6 ટકા વરસાદ નોંધાયો. રાજ્યના કુલ 10 જિલ્લાઓ એવા છે જ્યાં આ સીઝનમાં 50 ટકાથી પણ ઓછો વરસાદ થયો છે. વરસાદી ખેંચની સીધી અસર ખેતરોમાં ઊભા ખરીફ પાક પર પડી રહી છે.</p> <p><a title="આ પણ વાંચોઃ દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા" href="https://ift.tt/fxFMZWP" target="_self">આ પણ વાંચોઃ દૂષિત પાણીએ અમારા ગામમાં 21 લોકોનો લીધો જીવ, 100થી વધુ લોકોને કેન્સર, કોઇ નથી સાંભળતું: ગ્રામજનની વ્યથા</a></p> <p>હાલ મગફળીમાં શીંગ બેસવા અને દાણા ભરાવાનો અત્યંત મહત્વનો તબક્કો ચાલી રહ્યો છે. જમીનમાં પૂરતો ભેજ ન હોવાથી દાણાનું કદ અને ઉત્પાદન બંને ઘટવાની પૂરેપૂરી શક્યતા છે. પાણીની અછતને કારણે કપાસના છોડનો વિકાસ અટકી રહ્યો છે. તલ, મગ, અડદ, બાજરી અને જુવાર જેવા વરસાદ આધારિત પાકો પણ લાંબા વરસાદી વિરામથી સુકાવાના આરે આવી ગયા છે. </p> <p>હવામાન અને સીઝનલ પેટર્ન મુજબ 15 સપ્ટેમ્બરથી ચોમાસાની વિદાયનો તબક્કો શરૂ થતો હોય છે. જેથી આગામી 3 અઠવાડિયામાં જો યોગ્ય વરસાદ નહીં પડે તો વરસાદ આધારિત તમામ પાકો સંપૂર્ણપણે નિષ્ફળ જવાની ભીતિ છે. વરસાદના અભાવે ખેતીની સાથે પશુપાલન ક્ષેત્રે પણ મોટી મુશ્કેલી ઊભી થઈ છે. માંડવી, લખપત અને અબડાસા સહિતના તાલુકાઓમાં લીલા ઘાસચારાની ભારે અછત સર્જાઈ છે. સરકારે જૂલાઈ માસમાં રાહત દરે ઘાસચારો આપ્યો હતો, પરંતુ હાલ ચારાની તંગી અને મોંઘવારીની અસર દૂધ ઉત્પાદન પર દેખાઈ રહી છે. સામાન્ય રીતે ચોમાસા દરમિયાન કચ્છમાંથી દૈનિક સરેરાશ 5 લાખ લીટર દૂધનું ઉત્પાદન થતું હોય છે, જે આ વર્ષે ઘટીને 4 લાખ લીટરથી નીચે આવી ગયું છે. પૂરતો પોષણયુક્ત આહાર ન મળવાના કારણે પશુઓની રોગપ્રતિકારક શક્તિ પર પણ વિપરીત અસર પડી રહી છે.                                 </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...