Skip to main content

ભાવનગર લઠ્ઠાકાંડની ઘટનામાં માનવ અધિકાર આયોગની એન્ટ્રી, તપાસનો માગ્યો રિપોર્ટ, જાણો અપડેટ્સ


<p class="text-3xl md:text-4xl font-bold text-gray-900 leading-tight"><strong>Gujarat hooch tragedy: </strong>ભાવનગર જિલ્લામાં લઠ્ઠાકાંડમાં અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગે મીડિયાના અહેવાલોના આધારે સુઓમોટો લઇને કડલ વલણ અપનાવ્યું છે. એટલું જ નહીં આયોગે લઠ્ઠાકાંડને લઇને રાજ્યના મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડાને નોટિસ ફટકારી અહેવાલ માંગ્યો છે. પ્રાથમિક તપાસ અનુસાર  બુટલેગરોએ દારૂમાં માનવ સ્વાસ્થ્ય માટે અત્યંત ઘાતક એવા મિથેનોલ કેમિકલની ઊંચી માત્રા ભેળવી હતી. આ ઝેરી પ્રવાહીને  અસલી સાબિત કરવા માટે વિદેશી દારૂની બ્રાન્ડની ખાલી બોટલમાં રી-પેક કરીને બજારમાં વેચવામાં આવી રહ્યો હતો. આ નકલી દારુએ 13 લોકોના જીવ લીધા છે. ત્યારે રાષ્ટીય માનવ અધિકારે આ મામલે તાત્કાલિક કાર્યવાહી કરી રાજ્યના મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડાને નોટિસ ફટકારી છે.  આયોગે આગામી બે અઠવાડિયાની અંદર આ સમગ્ર કાંડ, જવાબદારો સામે લેવાયેલા પગલા અને ભવિષ્યમાં આવી ઘટનાઓ રોકવાનો પ્લાન અંગેનો વિગતવાર રિપોર્ટ રજૂ કરવા આદેશ આપ્યો છે.</p> <p><iframe title="YouTube video player" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw?si=-P2Po9lTtaiDDLAJ" width="560" height="315" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p><strong> શું  છે સમગ્ર ઘટના ? </strong></p> <p>સમગ્ર ઘટનાની વાત કરીએ તો   વિગતવાર માહિતી અનુસાર, ભાવનગર શહેરના ઘોઘા સર્કલ સહિતના વિવિધ વિસ્તારોમાં મંગળવારે મોડી રાત્રે નકલી કેફી પીણાનું સેવન કરવાથી લોકોની એકા એક  તબિયત  બગડવા લાગી હતી. ડુપ્લીકેટ ઈંગ્લીશ દારૂ બનાવવાની ફોર્મ્યુલા આપનારા સ્થાનિક તબીબનું પણ આ ઝેરી પીણાના સેવનથી મોત નીપજ્યું છે, જ્યારે ગિલ્બર્ટ એપાર્ટમેન્ટમાંથી શિક્ષક હિતેશ પરમારનો મૃતદેહ મળી આવ્યો હતો. આ ઉપરાંત, ઘોઘા સર્કલ વિસ્તારના અવિનાશ ડાંગર નામના યુવકે પણ રાત્રિના સમયે આ દારૂનું સેવન કર્યું હોવાથી તેની તબિયત અત્યંત નાજુક બની હતી, જેને ત્વરિત ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. આ રીતે આ નકલી દારૂના એટલે કે  ઝેરી પ્રવાહી પીનાર 13 લોકોના આ ઘટનામાં મોત થયા હતા. આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે. ઉલ્લેખનિય છે કે,   પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે અતિ ઝેરી રસાયણો ભેળવીને બનાવવામાં આવેલા આ ડુપ્લીકેટ દારૂના કારણે લોકોના વિઝન અને આંતરડા પર ગંભીર અસર થઈ છે.     </p> <p><strong>આ પણ વાંચો:<a title="<strong> </strong>ગુજરાતમાં ક્યારે વરસશે સાર્વત્રિક સારો વરસાદ? આગામી 7 દિવસ રાજ્યમાં કેવું રહેશે હવામાન" href="https://ift.tt/sv9PIkg" target="_self"><strong> </strong>ગુજરાતમાં ક્યારે વરસશે સાર્વત્રિક સારો વરસાદ? આગામી 7 દિવસ રાજ્યમાં કેવું રહેશે હવામાન</a></strong></p> <p> </p> <p>લઠ્ઠાકાંડ મુદ્દે ભાવનગર પોલીસ વિભાગમાં મોટી કાર્યવાહીના સંકેત  મળી રહ્યાં છે. આઈજી ગગનદીપ ગંભીર સતત ચોથા દિવસે DSP કચેરી પહોંચ્યા હતા. સતત ત્રણ દિવસ પોલીસ અધિકારીના નિવેદન નોંધ્યા બાદ આજે ફરી બેઠક થશે<br />હવે ગમે તે સમયે બેદરકારી અધિકારી-કર્મચારી સામે કાર્યવાહી થઇ શકે છે. </p> <p><strong>ભાવનગરમાં ફરી એકવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો</strong></p> <p>લઠ્ઠાકાંડ વચ્ચે ભાવનગરમાં ફરી એકવાર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. તળાજા તાલુકાના વેણકા વિસ્તારમાંથી વિદેશી દારૂની 348 બોટલ જપ્ત કરવામાં આવી છે. પોલીસ તપાસમાં દકાના ગામના પુનાભાઈ મકવાણાએ દારૂનો જથ્થો છુપાવ્યો હોવાનો ખુલાસો થયો છે. સમગ્ર મામલે પોલીસે દારૂનો જથ્થો કબજે કરી ફરાર બુટલેગરની શોધખોળ શરૂ કરી છે.</p> <p>                                               </p> <p> </p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...