Skip to main content

ખંભાતમાં તળાવમાં ડૂબી જતાં એક જ પરિવારની ત્રણ બાળકીઓના મોત, પરિવારમાં છવાયો માતમ


<p style="text-align: justify;" data-path-to-node="1"><strong>Khambhat News:</strong> આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના ખડઉ સીમ વિસ્તારમાં એક અત્યંત ગમખ્વાર અને હૃદયદ્રાવક દુર્ઘટના સામે આવી છે. શૌચક્રિયા માટે તળાવ કિનારે ગયેલી એક જ પરિવારની ત્રણ સગી માસૂમ બાળકીઓ કોઈ કારણોસર પાણીમાં પડી જતાં ડૂબી ગઈ હતી. આ ઘટનામાં ત્રણેય દીકરીઓના કરુણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં ભારે અરેરાટી સાથે શોકની લહેર ફરી વળી છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="2"> </p> <p><iframe title="Israel Iran War LIVE | Sthanik Swaraj Election | Gujarat Politics | Breaking News | ABP Asmita LIVE" src="https://www.youtube.com/embed/dLKYujgl3Dw" width="1335" height="751" frameborder="0" allowfullscreen="allowfullscreen"></iframe></p> <p style="text-align: justify;" data-path-to-node="2"><strong data-path-to-node="2" data-index-in-node="0">તળાવ કિનારે કાગળની હોડીઓ જોઈ પરિવારને શંકા ગઈ</strong></p> <p style="text-align: justify;" data-path-to-node="3">મળતી માહિતી મુજબ, શકરપુરના મોસમફળીયા ખાતે રહેતા અને ખેતમજૂરી કરી ગુજરાન ચલાવતા અશ્વિનભાઈ બારૈયાની ત્રણ પુત્રીઓ શૌચક્રિયા અર્થે ખડઉ સીમ વિસ્તારમાં આવેલા તળાવ તરફ ગઈ હતી. ત્રણેય દીકરીઓ લાંબો સમય સુધી ઘરે પરત ન ફરતાં પરિવારજનો અને સગા-સંબંધીઓએ આસપાસના ખેતરો તથા અન્ય વિસ્તારોમાં શોધાશોધ શરૂ કરી હતી. આશરે બે કલાક સુધી ચાલેલી ભારે અફરાતફરી બાદ તળાવના કિનારે કાગળની બનાવેલી હોડીઓ તરતી જોવા મળી હતી. જેના આધારે પરિવારજનોએ તળાવમાં તપાસ લંબાવી હતી.</p> <p style="text-align: justify;" data-path-to-node="4"><a title="આ પણ વાંચો...ગુજરાતમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગનું અનુમાન" href="https://ift.tt/CGFK5WN" target="_self">આ પણ વાંચો...ગુજરાતમાં એક સપ્તાહ સુધી હળવાથી મધ્યમ વરસાદની આગાહી, મોન્સૂન ટ્રફ સક્રિય થતાં હવામાન વિભાગનું અનુમાન</a></p> <p style="text-align: justify;" data-path-to-node="4"><strong data-path-to-node="4" data-index-in-node="0">સ્થાનિક યુવકે ત્રણેય બાળકીઓને બહાર કાઢી</strong></p> <p style="text-align: justify;" data-path-to-node="5">બનાવ અંગેની જાણ થતાં સ્થાનિક એક તરવૈયા યુવકે તાત્કાલિક તળાવના ઊંડા પાણીમાં ઉતરી શોધખોળ હાથ ધરી હતી. થોડા સમયની મહેનત બાદ તેણે ત્રણેય બાળકીઓને પાણીમાંથી બહાર કાઢી હતી, પરંતુ દુર્ભાગ્યે ત્રણેય માસૂમ બાળકીઓ મૃત હાલતમાં મળી આવી હતી. બનાવને પગલે ઘટનાસ્થળે આસપાસના ગ્રામજનોના ટોળેટોળાં એકત્રિત થઈ ગયાં હતાં.</p> <p style="text-align: justify;" data-path-to-node="6"><strong data-path-to-node="6" data-index-in-node="0">હોસ્પિટલમાં તબીબે મૃત જાહેર કરી, પરિવારમાં શોકનો માહોલ</strong></p> <p style="text-align: justify;" data-path-to-node="7">તમામ બાળકીઓને 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી, જ્યાં ફરજ પરના તબીબે ત્રણેયને તપાસીને મૃત જાહેર કરી હતી. મૃતક બાળકીઓમાં પ્રિયા (13 વર્ષ), ઈશા (11 વર્ષ) અને રીના (8 વર્ષ)નો સમાવેશ થાય છે. સરકારી હોસ્પિટલ ખાતે ત્રણેય બાળકીના મૃતદેહના પોસ્ટમોર્ટમની તજવીજ હાથ ધરવામાં આવી છે.</p> <p style="text-align: justify;" data-path-to-node="8">એકસાથે ત્રણ વ્હાલસોયી દીકરીઓ ગુમાવતાં બારૈયા પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. માતા-પિતાના કરુણ આક્રંદથી હોસ્પિટલ પરિસરમાં અત્યંત ગમગીની છવાઈ ગઈ હતી અને ઉપસ્થિત સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ હતી.</p> <p style="text-align: justify;" data-path-to-node="9"><strong data-path-to-node="9" data-index-in-node="0">પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી</strong></p> <p style="text-align: justify;" data-path-to-node="10">ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે અને હોસ્પિટલ દોડી આવ્યો હતો. પોલીસે અકસ્માતે મોતની નોંધ કરી સમગ્ર બનાવ અંગે કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે. ખેતમજૂરી કરતા પિતાએ એકસાથે પોતાની ત્રણેય દીકરીઓ ગુમાવતાં સમગ્ર શકરપૂર ગામ અને આસપાસના વિસ્તારમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.</p>

Comments

Popular posts from this blog

મતદારો માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ લોન્ચ:વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ

https://ift.tt/Gi6WhAp કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) 2025 જાહેર કરાયો છે. આ ઝૂંબેશ અંતર્ગત મતદારો પોતાની માહિતી અને વિગતો સરળતાથી જાણી શકે તે માટે 'ચૂનાવ સેતુ' વેબસાઇટ શરૂ કરવામાં આવી છે. આ વેબસાઇટ મતદારો માટે એક હાથવગું સાધન પૂરું પાડે છે. મતદારો https://ift.tt/uG4htBo લિંક પર જઈને પોતાની વિગતો માત્ર એક ક્લિક પર જોઈ શકે છે. આ વેબસાઇટ પર વર્ષ-2002ની મતદારયાદીથી લઈને વર્તમાન સુધીની તમામ વિગતો ઉપલબ્ધ છે. તેમાં મતદારો પોતાનું નામ, ગત SIR ઝૂંબેશની યાદીમાં નામ, EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મેળવી શકે છે. ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) હાથ ધરવામાં આવે છે. વર્ષ-1951 પછીથી આ નવમી વખતની કામગીરી છે. આ ઝૂંબેશ આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. બનાસકાંઠા જિલ્લામાં હાલ બીએલઓ (બૂથ લેવલ ઓફિસર) દ્વારા ઘરે-ઘરે જઈને એન્યુમરેશન ફોર્મ આપવાની અને પરત લેવાની કામગીરી પ્રગતિમાં છે. નાગરિકો પણ આ SIR ...

મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ(SIR) 2025-અમદાવાદ જિલ્લો:મતદારોને SIR સંદર્ભે માહિતી અને વિગતો માટે હાથવગું સાધન એટલે ‘chunav setu’ વેબસાઇટ, આંગળીના ટેરવે પોતાની વિગતો જોઈ શકાશે

https://ift.tt/tcp3NmB કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા દેશના 12 રાજ્યોમાં મતદારયાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ (SIR) જાહેર કરાયો છે ત્યારે મતદારો SIR સંદર્ભે પોતાની માહિતી અને વિગતો જાણી શકે તે માટેનું હાથવગું સાધન એટલે ચૂંટણી પંચ દ્વારા તૈયાર કરવામાં આવેલી ‘chunav setu’ વેબસાઇટ. જેના પર મતદારો માત્ર એક ક્લિક પર પોતાની વિગતો જોઈ શકે છે. સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. જે અંતર્ગત, https://ift.tt/nIjvkbf લિંક પર જઈને મતદારો વર્ષ-2002ની મતદારયાદીમાં પોતાનું નામ, ગત મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ-SIRની યાદીમાં પોતાનું નામ, તેમની EPIC વિગતો અને સેક્શનની વિગતો પણ આંગળીના ટેરવે મળી મેળવી શકાશે. અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે ઉલ્લેખનીય છે કે, મતદાર યાદીને પારદર્શી અને અદ્યતન બનાવવાના હેતુથી સમયાંતરે ભારતીય ચૂંટણી પંચ દ્વારા મતદારયાદી ખાસ સઘન સુધારણા ઝૂંબેશ એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન(SIR) હાથ ધરવામાં આવે છે. જે મુજબ વર્ષ-1951 પછીથી હાલ નવમી વખત આ કામગીરી ચાલી રહી છે. જે આગામી 7મી ફેબ્રુઆરી, 2026ના રોજ અંતિમ સુધારેલી મતદારયાદીના પ્રકાશન સુધી ચાલશે. હાલ તા. 4...

રાજ્યના મંત્રીઓને આખરે કાયમી PA અને PS મળ્યા: મંત્રીમંડળના ફેરફારના દોઢ મહિના બાદ નિમણૂક

<p><strong>gujarat &nbsp;ministers PA PS:</strong> ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગ દ્વારા મંત્રીમંડળના વિસ્તરણ અને ફેરફારના આશરે દોઢ મહિના જેટલા લાંબા સમય બાદ મંત્રીઓના અંગત સ્ટાફની સત્તાવાર નિમણૂક કરવામાં આવી છે. અત્યાર સુધી નવા વરાયેલા અથવા ખાતું બદલાયેલા મંત્રીઓ કામચલાઉ PA (પર્સનલ આસિસ્ટન્ટ) અને PS (પર્સનલ સેક્રેટરી) દ્વારા વહીવટી કામગીરી સંભાળી રહ્યા હતા, પરંતુ હવે તેમને કાયમી સ્ટાફ ફાળવી દેવામાં આવ્યો છે.</p> <p>સામાન્ય વહીવટ વિભાગે તારીખ ૫ ડિસેમ્બર, ૨૦૨૫ના રોજ બહાર પાડેલી અધિસૂચના મુજબ, નાયબ મુખ્યમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને રાજ્યકક્ષાના મંત્રીઓના કાર્યાલયમાં પ્રતિનિયુક્તિના ધોરણે અધિકારીઓની નિમણૂક કરવામાં આવી છે.</p> <p><strong>મહત્વના મંત્રીઓના સ્ટાફમાં કોનો સમાવેશ?</strong></p> <p>જાહેર કરાયેલી યાદી મુજબ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના અંગત સચિવ (PS) તરીકે અધિક કલેક્ટર &nbsp; એન.એ. રાજપુત અને અધિક અંગત સચિવ તરીકે &nbsp; વેદાંત જોષીની નિમણૂક કરવામાં આવી છે. આ ઉપરાંત, નાણામંત્રી &nbsp; કનુભાઈ દેસ...